ધર્મ અને અધ્યાત્મનું આપણા જીવનમાં મહત્વ

હું તાજો તાજો ચશ્મીસ થયો છું. એટલે વારે ઘડીએ ચશ્માં સાફ કરવાનો ફોબિયા મને હજુ લાગ્યો નથી. ગ્લાસમાંથી જયારે બરાબર ન દેખાય ત્યારે ત્યારે સાફ કરી લઉં.

બે દિવસ પહેલાં એવું જ થયું. ચશ્માં સાફ કરવાનું નક્કી કર્યું એટલે એને સાફ કરવાં માટેનું લીક્વીડ ગોતવા માંડ્યો. મેં ચશ્માં પહેરેલાં જ હતા. ત્યાં એક ફ્રેન્ડનો ફોન આવ્યો અને હું ભૂલી ગયો કે હું શું ગોતું છું. એ એટલા માટે કે કે હું એ પણ ભૂલી ગયો હતો કે શું સાફ કરવાનું છે. કલાક સુધી મથતો રહ્યો... યાદ જ ન આવ્યું. મેં લગભગ મારા ટેબલ પર વારંવાર બધું તપાસ્યું કે મને આઈડિયા મળે કે હું શું શોધતો અને શેના માટે. છેવટે થાક્યો અને ચશ્માં કાઢીને લેપટોપ પર મુક્યા. અને તરત જ યાદ આવ્યું... અરે બાપ રે...

આવું જ નથી થતું આપણી સાથે પણ? આપણે જીવનની સમસ્યાઓનાં સમાધાન માટે જીવન સાથેનાં પ્રયોગો શરુ કરી દઈએ છીએ. એ પ્રયોગોમાં ઘણું આવી જાય છે. પણ એક સમય એવો આવે છે કે આપણે ચશ્માં સાફ કરવા માટેની વસ્તુઓ ગોતતા જ રહીએ છીએ મતલબ કે, સમસ્યાઓ ભૂલીને એને સમાધાન માટે શરુ કરેલા કાર્યોમાં જ એટલા અંદર ઘુસી જઈએ છીએ કે અંતે સમસ્યા જ ભુલાઈ જાય છે. અને રહે છે એ ફક્ત પ્રયોગો. જે ક્યારેય કામ નથી આવતાં...

એટલે જ ધર્મ અથવા આધ્યાત્મિકતા તમને તમારી જાત સાથે વાત કરતા શીખવાડે છે. એ તમને પોતાની જ મેળે સમજાવે છે કે તું શું ગોતતો હતો. અને પછી આપણા તમામ રસ્તાઓ ખુલી જાય છે જયારે ક્યાં જવું છે એ ખબર હોય.

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ