Where are you now?

the more you into wilder

the more you into your self 

the more you into gentle

the more you away from wilder 

the more you into a calm

the more you away from everything and into everything!

#Kamalam

અમદાવાદ એટલે?

અમદાવાદ એટલે મેટ્રો બનવા થનગતતું પણ રિતરીવાજોને બદલીને નહીં.

અમદાવાદ નવાં લોકો ને અપનાવતું શહેર પણ પોતાનાં લોકો ને બદલી ને નહીં.

અમદાવાદ એટલે નવીનવી વાનગીઓ ને આવકારતું શહેર પણ પોતાની જ વાનગીઓની દુકાનોમાં ભીડ ઓછી કરીને નહીં. #રાયપુર #ભજીયાં

અમદાવાદ એટલે પોતાની ઉડાડીને બીજાની કાપતું શહેર પણ વર્ષમાં ફક્ત બે જ દિવસ...#ઉત્તરાયણ

અમદાવાદ એટલે જાણીતું પરંતુ અજાણ્યું ઘણું.

#Kamalam

Corona, Festivals and Effects on Pandemic in India!

તહેવારોનું મહત્વ સમજવું હોય તો આ ગ્રાફ સમજવો જરૂરી છે. કોવિડ-19 સમસ્યા માનસિક કેટલી છે એ સમજવા માટે આ ગ્રાફ જુઓ. ગ્રાફમાં તમે જોઈ શકો છો પીળો માર્ક, જે છે કોરોનાની મહામારી વધ્યા પછીનો સૌથી પહેલો લો (નીચેનો) પોઇન્ટ. શું કામ છે ખબર છે? કારણકે એ સમયે દિવાળીનો ઉત્સવ ચાલી રહ્યો હતો. લોકો માનસિક રીતે ઉત્સવોમાં પરોવાઈ ગયા હતા. ભલે એટલો મોટો પણ ચેન્જ નથી પરંતુ પ્રભાવિક તો છે જ. 

આના પરથી ખ્યાલ આવે કે, ઉત્સવો અને રીતિરીવાજો ભલે જુના થઇ ગયા હોય પણ તેની પાછળનું વિજ્ઞાન કદાચ હજુ પણ શક્તિશાળી છે. માણસે માણસ બનવાનું છોડવું નહીં એ જ સૌથી મોટો ઉત્સવ છે. 

#Kamalam



It is important to understand this graph if you want to understand the importance of festivals. See this graph to understand how mental the Covid-19 problem is. In the graph, you can see the yellow mark, which is the first lowest point after the corona epidemic in India. Do you know why? Because Diwali was going on at that time. People were mentally engrossed in the festivities. Although not a big change, it is impressive.

This suggests that even though the festivals and rituals are old, the science behind them is probably still powerful. The biggest celebration is not to let a man stop being a man.

#Kamalam

Truth of Generations!

We are bunch of conscious and unconscious memories. Memories from zero to now. We are adding fear and helplessness in our generation which is handicapping the future generation right from the root. We are nothing and everything. 

#Kamalam

મોદી મોદી મોદી, સીપ્લેન, અને ઉજ્જવળ ભવિષ્ય

એરોનોટિકલ એન્જિનિયરિંગમાં મેં અભ્યાસ કર્યો હોવાને લીધે આજે ઉદ્ઘાટિત થયેલ અમદાવાદ-કેવડિયા-અમદાવાદ રૂટ પરની સી-પ્લેનની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખુબ જ અદ્ભૂત અને મોટિવેશનલ છે. જે-તે સમયે હું મારો અભ્યાસ પૂર્ણ નહતો કરી શક્યો કારણકે એરોનોટિક્સ એન્જીનીયર્સની ભારતમાં ટેક્નિકલ સુપરવાઈઝર કરતા વધારે કોઈ કાર્યમાં ઉપયોગીતા નહતી અને હજુ કદાચ નથી. 

2014, ની આસપાસ આ વિચાર મને આવ્યો હતો. ભારતમાં જો એર ટ્રાન્સપોર્ટનું ભવિષ્ય વધારવું હોય તો એક જ ઉપાય છે સી-પ્લેન વ્યવસ્થાનો ફેલાવો. ભારતના લગભગ મહાનગરો, નગરો અને શહેરો કોઈના કોઈ જળ સ્ત્રોતની આજુ બાજુ છે. આ સી-પ્લેન જેવી વ્યવસ્થા ખુબ જ ઉપયોગી નીવડે તેમ છે. મેં મારી રીતે HAL અને NAL ને ઇમેઇલ પણ લખ્યા હતા પરંતુ કોઈ સંવાદ પાંગર્યો નહતો. 

પરંતુ આ સી-પ્લેનની વ્યવસ્થા ને સેજ પણ સામાન્ય કક્ષા એ ન ગણાતા. ભારતના ભવિષ્યની ટ્રાન્સપોર્ટ ફેસેલિટી સાબિત થશે.  

પાણી પર લેન્ડિંગ અને ટેકઓફની વ્યવસ્થા ને લેધે મોંઘા અને સમય માંગી લે તેવા રનવે બનાવવાની જરૂરી નથી. 

ડોનિયર-320 જેવા સ્વદેશઓ વિમાન બનાવી ને હિન્દુસ્તાન એરોનૉટિકસે સાબિત કર્યું છે કે આપણે એરક્રાફ્ટનું ઉત્પાદન કરી શકીએ છીએ. 

આ બધા મુદ્દાઓને ધ્યાનમાં  લઈએ ત્યારે એ સાબિત થાય છે કે આ ઘટના કેટલી મોટી હશે અને નરેન્દ્ર મોદીનું ગણિત કેટલું ચોક્કસ અને વિશાળ હશે. અમદાવાદમાં રિવર ફ્રન્ટના આઇડિયાને એક જ ઝાટકે તોડીપાડનાર લોકો ને ખ્યાલ આવ્યો હશે કે એ વિચાર કેટલો સુસંગત સાબિત થયો છે. 

વેલ, ખોટી ચર્ચામાં મારે પડવું નથી. પરંતુ અમેરિકા જેવા અમેરિકામાં પણ સરકાર ને સપનામાં કોઈ આઈડ્યા કે વિચારો આવતા નથી. ત્યાં ઈલોન મસ્ક, સ્ટીવ જોબ્સ જેવા ધુરંધરો એ પોતાના પર જોખમ લઇ લઈને પ્રોજેક્ટ પ્લાન કર્યા હતા અને કરતા રહશે. 

સી-પ્લૅનની આ ઘટના એ તમામ ભારતીય યુવાઓ માટે એ ગ્રીન સિગ્નલ છે જેમને પોતાની ક્રિએટિવિટી ચકાસવી છે. 

ફરી નરેન્દ્ર મોદી ને ખુબ ખુબ ધન્યવાદ અને એમના નેતૃત્વ બદલ ભારત આભારી રહશે હરહંમેશ.

#કમલમ 

સ્વભાવ, ધર્મ અને જન્મભૂમિ ના સંસ્કાર

મારુ માનવું છે કે, ધર્મ સાથે માણસની કટ્ટરતાને જોડવી એ અન્યાય છે. કટ્ટરતા ધર્મ નથી આપતું પણ તેની જન્મભૂમીના સંસ્કાર આપે છે.

આપણે અહીંયા જાગૃત વ્યક્તિઓ છીએ. ચોક્કસ, મન અને મગજને સુન્ન કરી નાખે એવા પ્રવચનો સાંભળીને કોઈ પણ વ્યક્તિનું લોહી ઉકળી જાય અને અપ્રાકૃતિક કાર્ય કરી બેસે તેમાં કોઈ જ નવાઈ નથી. એવા પ્રવચનો ફક્ત ધાર્મિક લીડરો જ નહીં પણ સમાજના જે તે ક્ષેત્રોમાં અવારનવાર યોજાતા હોય છે.

આ પોસ્ટ ઇસ્લામને લગતી જણાય છે પણ ફક્ત ઇસ્લામની જ વાત નથી. દરેક ધર્મની વાત છે. 

ઉદાહરણ લઈએ. 

ઉત્તર પશ્ચિમ ચીન લગભગ ઇસ્લામિક છે. તેની પર ચીની રાજકીય પોલીસીનું દબાણ છે એટલે તેઓ શાંત પ્રવૃત્તિના છે એવું કહી શકાય પણ ખરેખર એવું નથી. તેઓની માનસિકતા જ ત્યાંની ભૌગોલિક અવસ્થા પર ટકી હોય છે. એટલે ત્યાંના મુસ્લિમો કહો કે બુદ્ધિસ્ટ એ બંનેના સામાજિક લક્ષણો લગભગ સરખા દેખાઈ આવે. 

એની સામે આપણા ગુજરાતી મુસ્લિમો વિષે થોડી વાત કરીએ

લગભગ શાંતિપ્રિય પરંતુ ઉત્તર પૂર્વ ભારતીય શરીયા પદ્ધતિ વશ અર્ધજાગૃત હોવાના લીધે ક્યારેક કટ્ટરતા દેખાઈ આવે છે. 

ભારતના અમુક ઉત્તર પૂર્વી પ્રદેશોમાં માણસોના દેખાવ પર જઈએ તો ખબર પડે કે એ ક્યાં ધર્મ નો છે બાકી જો એ ધર્મનું ફિલ્ટર કાઢી નાખીએ તો વાણી, સ્વભાવ અને વિચારોમાં સેજ પણ ફરક નહીં

હા, આપણે ભગવાન શ્રી રામ, કૃષ્ણની લીલાઓ સાંભળીએ અને એનું મનોમંથન કરીએ અને પછી ત્યારબાદ આપણામાં પાંચથી દસ ટકા સ્વાભાવિક ફેર પડે બાકી નફા-નુકશાનની વાતમાં એકી ગુજરાતી માણહ હિન્દૂ હોય કે મુસલમાન, મગજ તો બંને નો સરખો જ જાય. 

અફઘાનિસ્તાન, ઈરાન, અને સાઉદી જેવા પ્રદેશો કદાચ ઇસ્લામિક ન પણ હોય તોય ત્યાંના રહીશોના વર્તન અને સ્વભાવમાં કોઈ જજો ફર્ક ન પડે. 

વિચારો આવકાર્ય છે. 

#કમલમ

વર્ણ, આધુનિક સમાજ, શ્રી રામનું જીવન

આજે શ્રી કાલિદાસ રચિત શ્રી રામચરિત માનસની એક ચોપાઈ વાંચી જેમાં મને સંવેદનશીલ શબ્દોનો પ્રયોગ નજરે ચડ્યો, અને એ શબ્દ હતો "શૂદ્ર".

હાલ નો સમાજ વર્ણની કક્ષા ઓળંગવાની પરવાનગી નથી આપતું. 

પહેલા એવું ન હતું. માણસ જન્મે શુદ્ર કહેવતો. ત્યારબાદ કર્મે જ્ઞાન લઈ ધનિ થતો. અને સરખું ભંડોળ ભેગું કરી તે રખેવાળ બનતો. અને અંતે સમગ્ર અનુભવ કેળવી બ્રહ્મ બનતો. 

ત્યારે એ સગવડતા હતી. વર્ણ ભેટની. પણ હવે જ્યારે વર્ણ શબ્દ ને જ ખોટો મનાતો હોય છે ત્યારે તેની વિચારસરણી કેટલી વ્યવહારિક સાબિત થઈ શકે એ જરૂરી થઈ પડે છે. 

જેમ જે તે સમાજને વાલ્મિકી ગળે ન ઉતરતા કવિ કાલિદાસે તેને મધ સાથે ભેળવી હળવું કર્યું એમ હવે સમય સાથે શ્રી રામનાં જીવનને  હળવું કરવાનો સમય આવી ગયો છે. જે સમય સાથે જીવન વ્યવહારની વાતો સંકલિત કરી તેની વ્યવહારિક સમજણ પુરી પાડે. 

#કમલમ

Lakshmi Bomb, Hijra Community and Society

#LakshmiBomb

When I saw the poster of the Lakshmi Bomb, I was more concerned about the storyline. I was really hoping a lot and thinking, finally, someone has made such a piece that may show the positive side of the transgender community.

A few years back, I was traveling from Ahmedabad to Mumbai and due to an urgent call from home, I have an only option and which is general coaches.

I always feel terrified in presence of them (hijra community)

The same thing happened around surat when those people get into my coach. I was doing my engineering at that time, I was checking newly purchased Advance Mathematics book and also using it to hide my self, so I wouldn't get noticed by them, but it didn't happen.

They were two guys and one of them picked my book and told me to refer another author for the same subject.

I was speechless as well as fascinated to know about her so I asked her and she replied, she was M.Tech from Madras University, but due to her gender, she wasn't allowed to pursue her carrier in the same field.

And she ends up doing what others of the same community do.

I was felt shameless and terrible. I also wanted to make a short movie on the incident that happened. I have started writing it too.
But that experience has changed my perspective to see anyone without the barrier of gender.

For them, it's not difficult to get an education nowadays because it's a money-driven. Anyone who has money can get an education. That fact is not arguable. I'm sure we all agree with that.

But after the incident, I did some research to know more about this community and found they are very very sympathetic, and showering love and facilities to new members in their hut. They want to give everything to them and that's why one who wants to learn more they never resist them but unfortunately when they want to apply their knowledge in for society, still proximity is not there.

In that case, few regions are still struggling to cope with female colleagues in their business. That's how our society has been built.
well, that's why I was so much excited after seeing the poster of the Laxmi bomb. but.....

Well, I'm nothing and have no standard to criticize anyone but still, I felt that the community needs exposure.

#Kamalam

સ્ત્રી, બારોટજી અને વંશવેલો

અસામાન્ય વિચાર 

ભાટ/બારોટ જી વિષે લગભગ આપણે જાણતાં જ હશું. તેનું કારણ એ છે કે તેઓ સદીઓથી પરિવારના વંશ વેલા સાચવે છે. તેઓ એક પુસ્તકમાં લખતા હોય છે. લગભગ વિસ ત્રીસ પેઢીની વિગત એમની પાસે સાચવેલી હોય છે. રોચક અતિ રોચક. તેઓ જયારે જયારે આવે ત્યારે ત્યારે અવનવી વાતો ભૂતકાળની ખુલે અને જાણવા મળે અને અત્યંત રોચક હોય છે. એટલે જ લગભગ જેઓ આ વિષે જાણે છે તેઓ તો ભાટ/બારોટજી પધારે એની રાહ જોતા હોય છે. 

એ બધું તો ઠીક કે વંશ વેલા સચવાય છે પણ તેમાં સ્ત્રીઓની માહિતી નથી હોતી. ફક્ત પુરુષની જ એન્ટ્રી  અંકિત થાય છે. મને વિચાર આવ્યો કે આવું કેમ? 

ઘણું વિચાર્યું અને મને આશા છે કે મારી આ પોસ્ટ વાંચીને ઘણા ખરા મિત્રો મને સચોટ જવાબ પણ આપશે પરંતુ હું મારો ઉત્તર આપી દઉં જેથી મારી જવાબદારી પૂર્ણ થાય. 

સ્ત્રી તો સ્વયં વૃક્ષ સમાન છે. જેને સાચવવાની કે ટેકાની જરૂર નથી પડતી તે આપો આપ વેલાઓને આધાર આપે છે અને એમને સાચવે છે. 

#પૂર્ણવિરામ

#કમલમ

शुरू हो जा

कहे सुने सब कोई 
हाथ बढ़ावत आए न कोई 
छोड़ मांग दूसरे हाथन की 
लागे जगत पीछे जो तू शुरू होई...
#कमलम

ભારત, ભૂજળ અને વૃક્ષો

 Image may contain: text that says '54% of India's Ground- water Wells Are Decreasing Groundwater Level (meters below ground level) High(<1.5) 5.9-10 Medium (10.3-14.6) (>14.6) Data www.indiawatertool.in WORLD RESOURCES INSTITUTE'


ભૂજળ એ સોના કરતા પણ મહત્વનું છે એ હંમેશા યાદ રાખવું

અને ભૂજળની માત્રા વધારવી અથવા ટકાવી રાખવા નું કામ ફક્ત જંગલો અથવા વૃક્ષોથી જ છે.

લોકો શહેરો તરફ આવી રહ્યા છે તેના અનેક કારણો માંથી એક કારણ એ પણ છે કે ખેતી ઉપયોગી ભૂજળ હવે ચિત્ર માં બતાવેલા ભાગોમાં ખુબ જ અલ્પમાત્રામાં રહ્યા છે. 

વૃક્ષ એ જ જીવન છે. વૃક્ષ હશે તો જ પાણી હશે અને તો જ આ દુનિયા જીવવા લાયક બની રહેશે

#કમલમ 

Where you got dragged?

it doesn't matter who you are, what you have, and where you want to go, nature/god/time/cosmic energy will drag you to the point where you actually belong.


So to elevate your Standard/Conscience/Deservability you need work on your self, on your thinking process, on your behavior, and on your path to look for the truth. 


Remove heavy dirt within you and be light enough so you naturally elevate to the higher level. 


#kamalam

નીંદર કેમ લાવવી?

નીંદર કેમ લાવવી એ બાબતે મારુ થોડું નિરીક્ષણ છે જેના બેસ પર મેં થોડા પ્રયોગો કર્યા અને હું સફળ રહ્યો છું. 

નિંદ્રા પેદા ક્યાં થાય છે? મગજમાં

એટલે મગજમાં 100% એક એવું માળખું હશે કે જે એક્ટિવેટ થાય કે તરત જ તમે એક એવી માનસિક સ્થિતિમાં ચાલ્યા જાઓ કે તમે કોઈ પણ બાહ્ય તરંગો કે મેસેજ લેવાનું બંધ કરી દ્યો

જેમકે, મચ્છર પણ કરડે તો ખબર ન પડે અથવા ઝીણો અવાજ કે જે ડિસ્ટર્બ કરતો હોય. પણ ઘણી વખત એવું પણ બને છે કે બહાર ગરબા ચાલતા હોય અને એ ઘોંઘાટમાં પણ આપણ ને નીંદર આવી જાય છે. 

તેની કારણ છે આપણી  સ્વીકારશક્તિ 

જી હા, તમે જયારે સુવાની તૈયારી કરો એટલે તમારી આજુબાજુનું જે પણ વાતાવરણ હોય, કોઈ નશ્કોરા બોલાવતા હોય કે પછી અન્ય અવાજો આવતા હોય સૌ પ્રથમ તો તેને સ્વીકારી લ્યો

જેવું સ્વીકરશો એટલે તરત જ એ તમારી તકલીફ નહીં રહે. એવું કરી ને તમે મગજ ને ગફલત ખવડાવી દીધી કે એ પ્રકારનો જે પણ આવજ આવશે તો મગજ કોઈ રિએક્શન નહીં આપે. એટલે ઘણી વખત નશ્કોરા આપણ ને હેરાન નથી કરતા કારણકે એ આપણે સ્વીકારી લીધું હોય છે. આપણે નહીં પણ આપણા મગજે. પણ મગજ ત્યારે જ સ્વીકારે જયારે આપણે એને સિગ્નલ આપીએ. 

હવે આ સ્ટેજ પર આવ્યા પછી સૌથી મહત્વ નું કામ, 

મગજ ને વ્યસ્ત કરી દ્યો જેમ કે હું નવી ક્રિએટિવ સ્ટોરી, કે પ્રોગ્રામિંગ આઈડિયાઝ વિચારવાનું શરુ કરી દઉં છું. આપણે કોઈ સીગ્નલ મગજને આપવાના જ નથી એ ધ્યાન રાખવાનું છે. મગજ જે ઉપજાવે એ જોયા કરવાનું અને એક સમય એવો આવશે કે મગજ થાકી જશે અને એ સુસુપ્ત અવસ્થામાં સારી પડશે

#kamalam

how to make vegetable biryani/pulao at home just like a restaurant-style?

how to make vegetable biryani/pulao at home just like a restaurant-style? Order a vegetable biryani/pulao from the restaurant, now, separate each ingredient (like, rise, vegetables, whole masalas, paneer, etc. etc.) and after five minutes of successful separation, get a bowl to your self and mix all the ingredients again. that's it. It's better than learning from scratch. Surprised? People are being educated this way. Everyone will teach you how to assemble but not... #kamalam

Why not Film Making been taught in School?

Why not?

We can understand basic accounting by now because we learned maths in school

We can think rationally by now because we learned science, history, geography etc. Etc. in school.

We can easily learn foreign language because we learned english in school.

But why we were not been taught FILM MAKING in school?

I personally saw difference in myself before and after knowing little bit about film making. I have started understanding conceptual cinema. I started to understand acting and efforts.

After this phase, I tend to watch good cinema.

Now see if we all been taught film making in the school as just a general subject then not just few % of people but major % of people from the nation will tend to demand level cinema.

We might have had many Ray, Ghatak, Anand Gandhi, Patwardhan, Manjhule, And many more respected filmmakers.

We can demand this in our syllabus for our future generations for our better future of Indian cinema.

Just a thought.

What makes cinema different from all other mediums?

I saw a cool scene in an episode of a Turkish show.

A character (40 year old lady) is drinking tea alone in her house. She was looking calm and happy while enjoying the mood. And suddenly she sees a toy planted to decorate a Christmas tree fall out of it. The lady picks it up and puts it back on the tree. Right after that she gets a call that her father has passed away.

At first I thought why but when she get a call it has ended my curiosity.

I think cinema is different from every art here. It is difficult to create this in a book or through music.

* Conclusion: *

It is necessary to discuss what's the need of cinema should be when we onto making of the one.

If people can read or listen to our message clearer than what is shown on the screen, then it is useless to create a scene on the screen.

Cinema should be used in such case when it is very difficult to weaving it through other mediums.

Just my opinion :)

#Kamalam

સિનેમા કઈ રીતે જુદું છે બીજાં માધ્યમોથી?

ટર્કીશ શો ના એક એપિસોડમાં મેં એક મસ્ત સીન જોયો.

એક કેરેકટર (40 એક વર્ષની લેડી) પોતાનાં ઘરમાં એકલી ચા પી રહી છે. અને ચા પી ને ઉભી થાય છે. અને જુએ છે કે ક્રિસમસનાં વૃક્ષ પર સજાવવા માટે લગાડેલું એક રમકડું તેમાંથી નીચે પડી ગયું છે. એ લેડી તેને ઉપાડીને ફરીથી વૃક્ષ પર લગાડે છે. લગાડીને ફરીથી આગળ જવા વળે છે ત્યાં તેને ફોન આવે છે કે, તેના પિતાજીનું દેહાંત થયું છે.

વાહ, શું સીન ક્રિએટ કર્યો હતો.

પહેલા મને લાગ્યું કે આ સીનની જરૂરિયાત શું કામ હોય પણ એકદમ ક્લીઅર કર્યું.

મારા ખ્યાલથી સિનેમા અહીંયા દરેક કળાથી જુદું પડે છે. પુસ્તકમાં કે સંગીત દ્વારા આ ક્રિએટ કરાવવું અઘરું છે.

નિષ્કર્ષ:

સિનેમાની જરૂરિયાત શું કામ હોવી જોઈએ તેના પર ચર્ચા કરવી જરૂરી છે..

જો સ્ક્રીન પર બતાવ્યાં કરતાં લોકો આપણાં મેસેજને વાંચી અથવા સાંભળીને વધારે ક્લીઅર સમજી શકે તો તેના માટે નો સીન સ્ક્રીન પર ક્રિએટ કરવો વ્યર્થ છે.

સ્ક્રીન પર એ જ શોભે જે પુસ્તક અથવા સંગીતમાં તમે વણી ન શકો.

#કમલમ

how the world is driven?

Creating a difference in real life and showing the same difference on screen.

We believe or not but cinema is a powerful source of behavioral transformation. Showing dirt or half-truth on a screen without a solution is misusing the great opportunity to express and transform the social structure. If we believe we can.

#kamalam

Learning history? Make sure...

We shouldn't learn history to reinvent wheel instead we should focus on how we can recover from the disintegrated beauty of the nature due to wheel. We are the brightest so let's not spread DARK.

#Kamalam

સ્પર્ધા અને પરચા

બે શહેરો વચ્ચે સ્પર્ધા નક્કી થઈ.

સ્પર્ધા: ઉત્પાદનની ક્ષમતા

ઉદ્દેશ: ઉત્પાદનની ક્ષમતા જાણી આયાત શૂન્ય અને નિકાસ વધારવી. ટૂંકમાં આયાત નિકાસના દરને શૂન્ય કરવો.

પરિણામ: સ્પર્ધામાં જરૂરી એવા ઉપકરણો દેશમાં કોઈ ઉત્પાદન નહોતું કરી રહ્યું એટલે તેના આયાત કરવા બાબતે મિટિંગ યોજાઈ. ધંધાકીય ફાયદો દેખાતા આયતનું ટેન્ડર ફૂટી ગયું અને જે શહેરો વચ્ચે આ સ્પર્ધા યોજાવવાની હતી એ શહેરો જ એ ઉપકરણોનાં સૌથી વધારે વપરાશકર્તા બન્યાં. આયાત નિકાસનો દર એ વર્ષે સૌથી વધારે રહ્યો પાછલાં દસ વર્ષનાં રેકોર્ડમાં.

પૂર્ણવિરામ

#કમલમ

સમયનું પુનરાવર્તન

કાળીયો ઠાકર ન કરે પણ જો કોરોનાને લીધે આવેલ બંદિશો અથવા કે લિમિટેશન જેમ કે, માસ્ક, હાથ ન મિલાવવા અને દૂર થી દર્શન કરવા અને અન્ય બીજી તકલીફો જો આવતા 20 વર્ષ સુધી એમની એમ જ રાખવા નિર્દેશ મળે તો? 

તો શું? આપણે તો થોડા સમયમાં અનુકુલીન થઇ જાશું પણ આવનાર લિબરલ મોડર્ન પ્રજા એટલે કે 20 વર્ષ પછી જો આપણ ને પૂછે કે, તમે કેમ દૂર દૂરથી એક બીજાને મળો છો? અને આ માસ્ક કેમ પહેરો છો? અને પછી એને આપણે સમજાવીએ અને એ લોકો આપણ ને ગામડિયા કે પછી રૂઢિવાદી, કે પછી રૂઢિચુસ્ત માની ને નકારી દે તો? 

ખ્યાલ આવ્યો? આવું અત્યારે આપણે જ કરી રહ્યા છીએ આપણી સંસ્કૃતિ ને જાળવી રાખવાવાળા સાથે. એ લોકો બીજું કઈ નહીં પણ એકદંરે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણ ને સાચવી કે સુરક્ષિત રાખવાનું જ કાર્ય કરી રહ્યા છે. જેમ આપણે આપણી આવનાર પેઢી ને માસ્ક પહેરવા કહેશું 

બરાબર ને? 

#કમલમ 

સામ, દામ, દંડ અને ભેદ

કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. 

જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર પ્રકારની નીતિનો ઉપયોગ કરે છે. 

સામ, દામ, દંડ અને ભેદ. 

સામ - એટલે વ્યવહારિક અને તમારી સાથે સ્પર્ધા કરી તમને પરાસ્ત કરવાની નીતિ 
દામ - તમને કોઈપણ પ્રકારની લાલચ કે રિશવત આપી લલચાવી પરાસ્ત કરવાની નીતિ 
દંડ - તમને શારીરિક હુમલો કરી પરાસ્ત કરવાની નીતિ 
ભેદ - એટલે કે તમારા પર માનસિક હુમલો જેમાં દરેક વ્યક્તિ તમારી સાથે ઓળખાણ નો સબંધ તોડી દે છે. જે સૌથી પીડા દાયક હોય છે. 

એટલે પહેલા સામ નીતિ નો પ્રયોગ થાય અને જો એ કામ ન લાગે તો દામ નીતિનો પ્રયોગ થાય અને જો એ કામ ન લાગે તો દંડ નીતિ નો અને જો એ પણ કામ ન લાગે એટલે અંતે ભેદ નીતિ નો પ્રયોગ કે જે સુશાંત સાથે થયો તેની જ ઇન્ડસ્ટ્રી ના લોકો દ્વારા

બુદ્ધિમાન અને ચપળ વ્યક્તિ એ ચારેય નીતિના આગમનથી વાકેફ હોય છે. જે વ્યક્તિ એ ચારેય સહન કરવાની ક્ષમતા રાખે તે અજય હોય છે.

#kamalam

Love...

#Classics

Interviewer: "If you were to give advice to a woman, what would it be?"

Édith Piaf (French Singer): "Love." To a young girl? "Love." To a child? "Love."

Source: La Vie en rose (film)

The world's best and worst innovation?

For me, the world's best innovation is

Language

And, the world's worst innovation is

Language

-----

Language has ridiculously disturbed every other species of the world but mankind.

Now, let me tell you why did I come to this conclusion?

I suppose we didn't have language in our life, then we still try to understand things quite primitively. Just like how monkeys are communicating with each other. And because of that, we might not have such a brain that we are having right now.

Every little man-made calamities/disasters are the product of the functionally super active evil brain.

I hope this makes sense.

#kamalam

Moral of the story....

What is the most easiest thing to do?

The thing you want do.

What is the most hardest thing to do?

The thing you want to do but in another's way.

So moral of the story is, precious is not what you are doing, earning, living or etc. Etc. But important is that how you are doing it. 😌

#kamalam

Vasudhaiv Kutumbakam, is it possible now?

In last few centuries, i have noticed (history) huge women exploitation in vasudhaiv kutumbakam ideology. And people didn't care about it either. It becomes like that till modern era rang the bell.

But there's one more truth... Once the women exploitation begins sloweddown in the modern era, we faced reductions in the joint family ideology either. Why?

I think here we have silent opportunity to implement modern lifestyles into the traditional one with some modern fabrication. But how? Is that even possible? Or there's no solution exists without exploiting women's rights?

#Kamalam

ભારતની બ્રાન્ડ vs વિદેશી બ્રાન્ડ

મેં A.C. નાં રિમોટ માટે ત્રણ વર્ષ પહેલાં Duracell કમ્પનીનાં સેલ લીધાં હતાં. તેની પહેલાં લોકલ બ્રાન્ડનાં સેલ દર 3થી 4 મહીનમાં બદલવા જ પડતા. હવે હું જો ફરીથી Duracell બેટરી ખરીદ્યું તો હું ખોટું કરી રહ્યો છું?

શું આપણી લોકલ બ્રાન્ડમાં ક્ષમતા છે ખરી એ એ બ્રાંડને ટક્કર આપવાની?

માની લઈએ કે લોકલ માર્કેટની ડિમાન્ડ જ સસ્તું માંગે છે. હા તો એ બનાવો ને. કોણ ના પાડે છે. પણ શું એ નફા માંથી તમે એકદમ સીમિત પણ ખૂબ જરૂરી એવી ટક્કર આપે એવી પ્રોડક્ટ બનાવવા તરફ વિચાર્યું ખરાં?

પૂર્ણવિરામ

#કમલમ

વેસ્ટર્ન ફિલ્મોમાં ભારત

મેં એક વસ્તુ માર્ક કરી કે જ્યારે કોઈ વેસ્ટર્ન ફિલ્મ મેકર ભારતને કેન્દ્રમાં રાખી ને ફિલ્મ બનાવે છે ત્યારે તે બે જ ક્લાસનાં લોકો ને બતાવે છે.

1. અત્યંત ગરીબ અથવા લોવર મિડલ કલાસ
2. અત્યંત અમીર અથવા અપર મિડલ કલાસ

સાચું ભારત એ છે જે દુનિયાની મોટી મોટી કમ્પનીઓને ચલાવી રહ્યાં છે. એ છે રિયલ મિડલ કલાસ ભારતીય.

જે ખરેખર સાચું ભારત છે અને સૌથી મોટું ભારત છે.

મિડલ કલાસનું માપદંડ દેશની આર્થિક સ્થિતિની એવરેજમાં ન બેસે પણ જેતે ક્ષેત્રની આવકનાં માપદંડ સાથે મેળ હોવો જોઈએ.

આજે ગુજરાતનું અંતરિયાળ ગામડું કે જ્યાં માથાદીઠ આવક દિવસની એવરેજ 200 રૂપિયા હોય ત્યાં 200 રૂપિયા કમાવનાર મિડલકલાસ વર્ગ કહેવાય અને મુંબઇ કે જ્યાં 500 રૂપિયા મિનિમમ આવક હોય ત્યારે મિડલકલાસના ગણીત ત્યાં બદલાય છે.

#કમલમ

Why brilliant people are good in research?

Why most brilliant people are very good in research? Because to research, the one has to observe something and Observation is the only ability or a skill that keeps their over-active brain quite a busy from getting messed-up because of routine fantasized-negative thoughts. :P

estimated from my observation. ;) lol

#kamalam

આપણે કેટલા સુસંગત છીએ સમાજમાં?

આજે સાંજે સૂપ પીધું અને એજ ખાલી વાટકામાં સુપની ચમચી મૂકી. 


જેવો ઉભો થઈને રસોડામાં મુકવા ગયો ત્યાં ખબર પડી કે, બે કલાક પહેલા પીધેલ કોફીનો કપ પણ ત્યાં જ હતો. એટલે પછી એ કપને મેં જલ્દી-જલ્દીમાં વાટકામાં મૂકી દીધો. પણ મને લાગ્યું કે વાટકામાં ચમચીનાં લીધે કપ બરાબર સમાયો નહતો એટલે કપ સેજ જુલતો જ હતો.

બીજાં હાથમાં મોબાઈલ હતો પણ એને સાઈડમાં મુકવાની બુદ્ધિ ન ચાલી. એટલે ઉભાં થતી વખતે હલક-ડોલક થવાથી  જો બેલેન્સ ન રહે અને કપ નીચે ન પડે એટલા માટે મેં હળવેકથી વાટકા અને કપની વચ્ચેની ચમચી લઇ લીધી. 

પણ જેવી ચમચી લેધી ત્યાં ખબર પડી કે મારી ગણતરી ખોટી હતી. કપ અનસ્ટેબલ એટલે ન હતો કે વાટકામાં ચમચી પડી હતી એટલે કપ બરાબર વાટકામાં સેટ ન થયો પણ કપનું પોતાનું જ પકડવાનું નાળચું વિલન હતો. બિચારી ચમચી ખોટે ખોટી નજરે ચડી.

આવું થાય છે. આપણ ને લાગે કે સમાજમાં અને સીસ્ટમમાં બદલાવ જરૂરી છે. પણ આપણે આપણું નાળચું તો જોતા જ નથી કે આપણે કેટલા સુસંગત છીએ સમાજમાં. 

પૂર્ણવિરામ
#કમલમ

વાસ્તવિક સોસિયલ માનસિકતા

થોડા દિવસ પહેલાં એક ગુજરાતી વ્યક્તિને ગુજરાતીમાં મિમ બનાવવાનું ઘેલું લાગ્યું. એણે બનાવ્યું પણ ખરાં. કમ્યુનિટી વધવા લાગી અને શરૂઆતમાં અમુક જાણકાર ગ્રુપનાં મિત્રો જ મિમ બનાવતાં. એ જોતાં ધીરે ધીરે દરેક જોડાયેલ વ્યક્તિ મિમ બનાવવા તરફ હાલી નીકળ્યાં. અને લોકો દ્વારા બનેલા ગુજરાતી મિમ પાછાં જેવા-તેવાં પણ નહીં..ધીરે ધીરે એ મિમ ગ્રુપ વધવા લાગ્યું અને તેમાંથી એક ગ્રુપ સ્પેસિફિક વિચારધારા વાળું જુદું પડ્યું અને નવું ગ્રુપ બનાવ્યું. લ્યો કરો વાત.

હવે હાલની તારીખમાં નાનાં-નાનાં ઘણાંય ગુજરાતી મિમ ગ્રુપ તૈયાર થઇ ગયાં છે. જોકે આ તો ભારતીય તરીકે આપણે સામાન્ય તરીકે લેવાય એવી ઘટનાં છે. એકની દુકાન કે પ્રોડક્ટ ચાલે એટલે પછી દરેક નિર્ભર પ્રાણીની જેમ એ કન્સેપ્ત પર ઝપટી જ પડવાનું. એ પછી સામાન્ય વેપારીથી લઈને મુકેશભાઈ સુધીની વાત છે. ઈન્ટરનેટનું ઘેલું વોડાફોન, એરટેલ અને અન્ય કમ્પનીઓએ લગાડ્યું અને પછી તેના બનેલા પ્લેટફોર્મ પર સૌથી વધારે પ્રોફાઈલ સાથે પ્રોડક્ટ લોન્ચ કરી પોતે રાજા બની ગયા.

ઠીક છે એ શક્ય છે. કારણકે એક સામાન્ય ભારતીયમાં ઇનોવેશન કરી માર્કેટ ડેવલોપ કરવાની હેસિયત નથી તેના કારણો સોસિયો-ઇકોનોમિકલ છે.

પણ મેં એક બીજી વાત પણ નોટ કરી અલગ અલગ એઓ જ પ્રકારના ગ્રુપ બનવા પાછળ.

100 જણા એક જ વિચારધારા ધરાવતાં હોય તો તેઓ એક ગ્રુપ બનાવે છે. પછી એમાંથી પણ 50 જણા પોતાની વિશેષ આવડત સરખી હોવાને લીધે 50નું ગ્રુપ બીજા 50થી અલગ પડે છે. એમ એ 50માં હજી 25 લોકો પોતાના જેવા સાથે 25નું ગ્રુપ બનાવી અલગ થાય છે. અને એ 25માં 12 લોકો પોતાની જેવા લોકોને ભેળવી અલગ ગ્રુપ તૈયાર કરે છે.

એમ થતાં થતાં માણસ છેવટે એકલો આવીને ઉભો રહે છે અને ગ્રુપ મેકેનિઝમના વાસ્તવિક સ્ટ્રક્ચરની વાટ લગાવી દે છે. અને પછી નિમણો થઈને બેઠાં બેઠાં વિચારતો રહે કે, "સાલું આપણાં દેશમાં ક્યાં એકતા જેવું કઈંક છે જ?"

પૂર્ણવિરામ

#કમલમ

ચલચિત્ર(ફિલ્મ) એક માધ્યમ

જો એક પુસ્તક, કાવ્ય, નૃત્ય અને અન્ય કળાઓ સામાન્ય વ્યક્તિને જ્ઞાનીત કરી શકે તો ફિલ્મ કેમ નહીં?

ફિલ્મ તો એક એવું માધ્યમ છે જ્યાં તમે અગણિત શક્યતાઓ પીરસી શકો છો. માયકાંગલા જેવા મનોરંજનની અપેક્ષા ફિલ્મો પાસેથી રાખીએ છીએ એટલે જ ફિલ્મો ક્યારેય શાળા નથી બની શકી! 

ફિલ્મ જગતને જેવું તેવું ન સમજતા. એ જ્ઞાન સાથે સાથે લાખો લોકોને રોજી રોટી આપવાનું કાર્ય પર કરે છે. જ્યાં સુધી આપણે નહીં બદલીએ ત્યાં સુધી ફિલ્મ મેકરો સારું આપવાનું સાહસ નહીં કરે કારણકે ફિલ્મ એક જ એવી કળા છે જે વગર પૈસે બની જ નથી સકતી. એટલે જે પણ વ્યક્તિ પૈસા રોકે છે એનો ભાવ વ્યાપાર કરવાનો તો હોય જ છે પણ સાથે સાથે સામાજિક શિક્ષણનો પણ. 

કદાચ હવે બોલીવુડ ને બદલી નહીં શકીએ પણ ગુજરાતી સિનેમા ને જરૂર બદલી શકીએ છીએ. જેમકે, હેલ્લારો ને જે રીતે લોકો એ પ્રતિસાદ આપ્યો એ રીતે જો સારી ફિલ્મો પર પ્રતિસાદ મળતો જ રહેશે તો કોને ખબર કે ગુજરાત કોન્ટેન્ટ ક્રિએટ કરવામાં નમ્બર વણ બને. અને સારી ફિલ્મો બનતી થઇ જાય. અને જો ફિલ્મો દ્વારા ચોક્કસ આવક નો અંદાજો મળે તો પછી કદાચ નિવેશકો ફિલ્મો નીવેશ કરવા બાજુ પણ વળે. ચાલ જીવી લઈએ એ ઉત્કૃષ્ટ દાખલો છે. પહેલી ગુજરાતી ફિલ્મ કે જેણે ૫૦ કરોડનો વ્યાપાર કર્યો. અને કેમ ન કરે જો વિષય અને સંદેશો સારો ન હોય તો? અને સૌથી વધારે મહત્વનું તો છે ફિલ્મ મેકિંગ. એ ટેકનીકલ બાબત છે. જેમ મારુતિ અને મર્સીડીસ ગાડીમાં જે ફર્ક છે એજ ફર્ક ટેકનીકલ લેવલ પર ફિલ્મ મેકિંગ માં જોવા મળે છે. 

એમ ફિલ્મ જગત એ ખુબ જ આવશ્યક અને પ્રગતિશીલ માધ્યમ છે. ચાલો આપણે ગુજરાતી સિનેમાને બિરદાવતા થઈએ. 

મને ગમતી ગુજરાતી ફિલ્મો:
  1. ચાલ જીવી લઈએ 
  2. બે યાર
  3. કેવી રીતે જઈશ
  4. લવની ભવાઈ

તમને ગમતી ફિલ્મો જણાવો

#કમલમ

When criticism hurts?

Criticism hurts when you don't know the difference between constructive and destructive criticism.

#kamalam

સૌથી મોટી મૂડી?

અનુભવથી મોટું ધન બીજું કશું જ નથી. મોટામાં મોટો ધનવાન જો સમુદ્રમાં વચ્ચે ફસાઈ જાય છે તો નાવિકથી વધારે અનુભવી ન હોવાને લીધે એ જીવનભર તેનો ઋણી થઈ રહે છે. એટલે જ અનુભવ સૌથી ઉચ્ચકક્ષાની મૂડી છે.

#કમલમ

કિંમતી એટલે શું?

મારા કાકા સાથે સામાન્ય વાત કરતા કરતા અમે એક ઘણાં અસામાન્ય નિષ્કર્ષ પર આવ્યાં. કે કિંમતી શું? અને કોઈપણ વસ્તુ શેનાં આધારે કિંમતી બને છે? ચાલો ઉદાહરણ લઈએ સોનું. ગોલ્ડ. 



સોનું કેમ કિંમતી છે? સોના કરતા પણ ઘણી વસ્તુઓ કિંમતી છે. પરંતુ સોનાને જેટલું માન છે એટલું આજ સુધી તેનાથી કોઈપણ વધારે કિંમતી વસ્તુને નથી. કારણકે 

૧. તેને અડવાથી કોઈ નુકશાન થતું નથી. 
2. તેને ગમે તે રીતે રાખી શકાય છે. 
૩. આજથી હજારો વર્ષો પહેલા બનેલા સોનાનાં ઘરેણાંઓને અમુક દ્રવ્યોથી સાફ કરો એટલે ફરી પાછાં ચમકદાર. એટલે વર્ષોનાં વર્ષો સુધી સચવાઈ રહે તેવી ધાતુ. જેને કોઈ કાટ ન લાગે. 
4. ઉપરાંત તેને તમે જોઈએ એ ઘાટ આપી શકો અને તેને જોઈએ એટલું પાતળું બનાવી શકો. સોનું મજબુત પણ ખરું જ. 
5. શરીરમાં તેના કણો જવાથી પણ કોઈ ગેરફાયદો નથી. 

આ બધા કરતા સૌથી મોટા અને બે મજબુત કારણો...

સોનું ક્યારેય ગોતવાથી મળતું નથી. 
અને બનાવવાથી બનતું નથી. 

નક્કી કરી લ્યો...

નક્કી કરી લ્યો... 
#કમલમ

થોડા વર્ષો પેહલાંની વાત છે. 

મારા મિત્રને ત્યાં પ્રસંગ હતો એટલે આગલી રાત્રે મિત્રોએ ભેગા થઇને રસોડે બેસવાનું નક્કી કર્યું. ફ્રુટસલાડ જેવી દૂધની આઈટમ સ્વીટ તરીકે રાખી હતી.

રાત્રીનાં બે થવાં આવ્યાં હતા. રસોડામાં કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું અને કામ તો ઠીક પણ મહારાજને ઓર્ડર આપવા જ કદાચ અમે ભેગા થયાં હતા એવું લાગ્યું. પેલા ભજીયા બનવડાવ્યા, પછી બટેટાની ચિપ્સ અને ચા તો દર અડધી કલાકે. ઘણાં સમયે મિત્રો ભેગા થયા હતા એટલે મોજ હતી. 

સાડા ત્રણ વાગ્યે મહારાજ આવ્યાં અને મિત્રને કીધું કે, "ભાઈ દૂધ ઘટશે... ૧૦ એક લીટર મંગાવી રાખો એટલે ઘટ નો પડે." 

અમે તો જેવી સવાર પડી એટલે દૂધ લેવા નીકળ્યા. હાયરે છાશ લાવવાનું કીધું તું. અમે તો દૂધ લીધું અને થેલી મૂકી દીધી રસોડામાં. અને મહારાજને કીધું કે અમે જઈએ છીએ અને તમારે જે જોતું છે ઈ બધું આ થેલી માં છે જોઈ લેજો. 

અને ત્યારબાદ મહારાજે એના કોઈ હેલ્પરને કીધું કે આ બધું દૂધ એક તગારામાં ખાલી કરીદે. અને મારા બેટા એ છાશ અને દૂધ બેય ભેગા ખાલી કરી નાખ્યાં... હવે ઈ બે દેખાય તો હરખા અને તરત તો ખબર પડે નહીં એટલે મહારાજે તો દૂધ નાયખુ ફ્રુટસલાડમાં અને સવારનાં દસ વાયગે ખબર પયડી કે ફ્રુટસલાડની તો લસ્સી બની ગઈ છે. 

ભાયરે કરી. પછી બાસુંદી મંગાવી અને પ્રસંગ હેમખેમ પૂરો કર્યો અને મહેમાનોને સાંજ સુધી રોકીને ફ્રુટ વાળી લસ્સી પીવડાવીને જ મોકલ્યાં. hahaha. હવે ભૂલ અમારી હતી કે પેલા હેલ્પરની એ ચર્ચા કરવાની જરૂર નથી. 

કહેવાનો તાત્પર્ય એ કે, ત્યારે અમારી પાસે બાસુંદી અથવા અન્ય મીઠાઈ ખરીદી કરવાનો વિકલ્પ હતો પણ જો અત્યારે આ કોરોનાનાં સમયમાં આપણામાંથી કોઈ આ ફ્રુટ સલાડ જેવાં ૪૦ દિવસનાં સંઘર્ષમાં ઘરની બહાર નીકળી ને છાશનું કામ કરશે તો આપણા માટે બીજો વિકલ્પ નથી એ ધ્યાન રાખજો. 

જો આવનાર એક મહિનો ઘરમાં નહીં બેસો તો આખું વર્ષ ઘરમાં બેસવાનો વારો આવશે. 

નક્કી કરી લ્યો... 

#કમલમ

કુદરત અને તેની ક્ષમતા

#સદવિચારો

જય હિન્દ

કોરના પરિસ્થતિને લઈને દરેક જગ્યા એ લોકડાઉન સ્થાપિત થયું છે જે ફક્ત અને ફક્ત માણસ માટે જ તકલીફ દેહ છે અથવા નથી એ પોતાનાં વિચારો પર નિર્ભર રાખે છે. પરંતુ માણસોએ પોતાને જ્યારથી લોકડાઉનમાં રાખ્યાં છે ત્યારથી કુદરતને પોતાનું કાર્ય કરવામાં કોઈ માણસે રોક્યું નથી. જેની સીધી અસર કુદરતી પરિબળો જેમકે, જંગલ, નદી, તળાવ, અને અન્ય પરિબળોમાં આવેલી ચોખ્ખાઈ તેની સાબિતી આપી જાય છે.

દરેકે હાલમાં જ ગંગાજીનાં નીર ચોખ્ખા થયેલા નિહાળ્યાં હશે. કાચ જેવું ચોખ્ખું પાણી? જોયું કુદરતની પ્રવૃતિમાં જો તમે ખલેલન પહોંચાડો તો કુદરત તેની દરેક વસ્તુને ચોખ્ખી કરવાની પ્રવૃત્તિ કરી જ રહી છે. એટલે કુદરત નક્કી એક ફોર્મુલા કે સીસ્ટમ પર ચાલે છે. કુદરતને ખબર છે કે એણે જેણે જનમ આપ્યો છે તેની સાળસંભાળ કઈ રીતે રાખવાની છે. હવે આવડી મોટી સ્થાપિત સીસ્ટમની સામે આપણા શુક્ષ્મ મગજમાંથી ઉપજેલા ઉપચારોની શું હેસિયત?

પરંતુ એ વિચાર કરતા-કરતા મારું ધ્યાન હાલમાં ચાલી રહેલા ઉપવાસ કે જેને ધાર્મિક પ્રવૃત્તિ માનવામાં આવે છે તેના પર ગયું. કદાચ આપણા વડલાઓ આ બાબતે ખાસ જાણતા હશે કે, કુદરતને જો પોતાનું કાર્ય કરવાની પરવાનગી આપીએ તો તમારું શરીર જ તમારો ડોક્ટર છે. તેના અંગો જ તમારા ઉપચાર છે. પણ એ કઈ રીતે?

જવાબ છે, ઉપવાસ!

ઉપવાસને ધાર્મિક પ્રવૃતિમાં માનીને આપણે પોતાનાં જ સાથે ઘણો અન્યાય કરી રહ્યા છીએ. આપણામાં શ્રાવણ મહિનો કરતા લોકો તેનું ઉદાહરણ છે ઉપરાંત મહિનામાં બે દિવસ ઉપવાસ કરતા લોકો પણ કુદરતની નજીક છે એ કહી શકાય. પરંતુ ભોગી પ્રવૃતિના માણસોએ ઉપવાસને પણ પોતાની વ્યાખ્યા આપી દીધી છે. ઉપવાસમાં ફક્ત અન્નન ખવાય બાકી તળેલું, દુધની વસ્તુ અને બધું ખવાય. અરે વ્હાલા એ બધું ભલે અન્ન ન હોય પણ તેને પ્રોસેસ કરવા માટે શરીર ને મહેનત તો કરવાની જ ને?

અને શરીરની પોતાનું એક ઓટોમેશન છે. એ જઠરને હમેશાં પ્રાથમિકતા આપે. એટલે શરીર જયારે પોતાની સીસ્ટમને રીસ્ટોર કરવા માટે કામ કરતું હોય અને ત્યાં જ આપણે જઠરમાં કઇંક પધરાવીએ એટલે શરીર તેની સંપૂર્ણ ઉર્જા તેના પર લગાવે છે અને સીસ્ટમનું કાર્ય ત્યાંથી અટકે છે જેણે લઈને જ હાલમાં કેન્સર અને અન્ય બીમારીઓ ઘણી સામાન્ય થઇ છે.

ઉપવાસ ખુબ જરૂરી છે. હું સળંગ એક મહિનો ઉપવાસ ન કરી શકું પરંતુ રોજ નાના નાના પ્રયત્નો કરી શકું. ગઈ દિવાળીથી મેં નિર્ણય લીધો કે, સાંજે 6 વાગ્યાં પછી ભોજનનો ત્યાગ કરવો અથવા ફક્ત પાણી પ્રયોગનો ઉપવાસ કરવો. અને હાલ આટલા મહિના પછી હું એ પ્રવૃતિમાં ઘણો સફળ રહ્યો છું. આ મારો જાત અનુભવ છે એટલે જ અહીં આ સદવિચારો મેં લખવાનાં પ્રયત્ન કર્યા છે.

દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં મને ફીવર, શરદી અને ઉધરસ રહેતા જ. પરંતુ આ વખતે મારા આ સાંજે 6 વાગ્યાં પછી ન જમવાના પ્રયોગે મને કૈંજ ન થવા દીધું જેની સીધી અસર એ થઇ કે મારી ઈમ્યુંનીટી કદાચ વધી છે. એવી જ રીતે જેમ આપણે હાલ ગંગા નદી અને જંગલોમાં ફરીથી આવી રહેલા ફળદ્રુપ ફેરફારો જોયા છે.

ઉપવાસ કઈ રીતે કરવા એ હું તમને નહીં કહું પરંતુ આયુર્વેદમાં કહેવાય છે કે શરીર જો દિવસમાં ઓછામાં-ઓછાં 16 કલાક સુધી અન્ન ત્યાગ થાય તો એ દૈનિક ઉપવાસ કહી શકાય છે જે ખુબ જરૂરી છે. જેને લીધે આપણા શરીર ને પોતાની ખામીઓ પર કાર્ય કરવાનો પુરતો સમય મળી રહે છે. કુદરત પાસે એ તમામ યોજનાઓ છે એ બાબતે તો હવે કોઈને શંકા જ નહીં હોય. હાલ હું 6 વાગ્યે મારું વાળું પતાવી લઉં છું અને પછી સવારે થોડું પ્રવાહી અને બપોરે જ જમવાનું લઉં છું જેથી મને 16 થી ૧૮ કલાકનો ઉપવાસ મળી રહે છે. જો આ ન થાય તો વર્ષમાં એક મહિનો સળંગ ઉપવાસ રાખવાની પ્રથા પણ સારી જ છે.

આશા છે કે દરેક વ્યક્તિ આ વિચારને પોતાના જીવનમાં સ્થાન આપશે.

જય હિન્દ.

#કમલમ

સપનાં કે વિશ્વાસ?

સપનાઓ તો સિકંદરનાં પણ પુરા નથી થયા અને 

અને વિશ્વાસ તો નરસીંહ મહેતાનાં પણ અડગ રહ્યાં છે.


કારણ ખબર છે? 


સપનાઓ બેજવાબદાર હોય શકે છે. 

જયારે વિશ્વાસ તો જવાબદારી સાથે જ રાખવાનો અને આપવાનો હોય છે. 

#કમલમ

Modern Science Vs Primitive Science

Only people who can blame modern science and engineering who is still living in primitive ages. The insecurity of fall as underdeveloped making people blaming progressive things. which is very common for any timeline. Even during the time of Issac newton, many scientists like Bruno and their peers have been persecuted due to their forward and modern perspective of the general issues. But people who have sympathy for primitive knowledge and even don't using it in their routine which is making them pseudo-protester. Yes, protester should behave like Gandhiji, who had liberated everything to catch Swarajya. But people don't have enough courage to follow even their own calls.

I believe in modern science and primitive science both but there's no bridge between them as of now and once we have it we can relate.

#kamalam

અલ્પસંખ્યકો અને ભારતની વહીવટી ખામીઓ

થોડા સમય પહેલાની વાત છે. અમે ગુજરાતીયત ગ્રુપનાં ભીતરીયાઓ ચેટ કરી રહ્યા હતા. અને મિત્રએ એની જવાબદારી અંતર્ગત સભ્યતા સાથે દરેકને ટકોર કરી કે, આપણે ગુજરાતીયત ગ્રુપને અમુક પ્રકારની સામજિક પ્રકારની પ્રવૃત્તિઓથી અલગ રાખવું છે એટલે બની શકે તો તમે એ જ મેમ્બર્સને આમંત્રિત કરો કે જેઓ ગ્રુપની આમના જાળવી શકે અને ફળદ્રુપ ફાળો આપી શકે. ત્યાર પછી મેં ફક્ત એટલું પૂછ્યું કે આપણે આ રીતે નક્કી ન કરી શકીએ કારણકે ક્યારેક તો વિરોધી તત્વો ને પણ નમન કરવાનું મન થાય એવી વાતો કહી જાય છે. એટલે આપણે એક ગાઈડલાઈન્સ કે ગ્રુપમાં સામેલ કરવામાં આવતા સભ્યો માટે એક રૂપરેખા બનાવવી જોઈએ. ત્યારબાદ દરેક સભ્યો એ સહમતી બતાવી અને અમે એ વિષય પર ખાસ્સું સારી રીતે કામ કરી પણ રહ્યા છીએ અને તેનો પ્રભાવ તમે બધા જુઓ જ છો. 

આ બાબતે હું વધારે વિચારતો ત્યારે થયો જયારે અમારા વડીલ મિત્ર એ એક વિડીયો મેસેજ કર્યો. ( એ વિડીયો તમે કમેન્ટમાં જોઈ શકશો)

તો વાત એ હતી કે, આપણા દેશમાં માઈનોરીટી માટે કોઈ રૂપરેખા છે જ નહીં. ભારતમાં અમુક પ્રદેશો કે જ્યાં હિંદુઓ ફક્ત ૧ થી 5 ટકા સુધી છે તેઓ ત્યાં મેજોરિટીમાં આવે છે અને જેઓ તે પ્રદેશમાં અન્ય ધર્મના ૯૫ થી લઈને ૯૯ સુધીની વસ્તી છે તેઓની માઈનોરીટીમાં એટલે કે અલ્પસંખ્યક તરીકે ગણતરી થાય છે. એટલે આ ખરેખર જોવા જઈએ તો ઘણી જાતિઓ અને ધાર્મિક સમુદાયો સાથે અન્યાય થઇ રહ્યો હશે. ત્યારબાદ આ બાબતે જે મહાશયે પીટીશન દાખલ કરી છે તેઓએ પોતાની રીતે થોડું સંશોધન કર્યું તો ખબર પડી કે, ભારતીય સંવિધાનમાં કે વહીવટીય માળખાંમાં અલ્પસંખ્યક માટેની કોઈ રૂપરેખા જેવા પરિપત્રો છે જ નહીં. આં એક ગંભીર સમસ્યા છે જે ભારતનાં જ સંશાધનોનો દુરુપયોગ દેખાડી જાય છે જેની ભરપાઈ આપણા ખીચાં માંથી થાય છે. 

પરંતુ પ્રશ્ન અને ચર્ચા અલ્પસંખ્યકોને મળતી સગવડતાને લઈને નથી પરંતુ પ્રાદેશિક ધોરણે રૂપરેખા ન હોવાનાં લીધે જેઓ ખરેખર જે-તે પ્રદેશમાં અલ્પસંખ્યક તરીકે સાબિત થાય છે તેઓ સાથે થઇ રહેલાં અન્યાય બાબતેની છે. 

સમજવાની વાત એ છે કે જો આપણે આ સાવ સામાન્ય અને જે હજી અમુક હજાર સભ્યોનું ગ્રુપ પણ નથી બન્યું તેના સંચાલકો જો રૂપરેખાની માંગણી કરતા હોય છે તો શું આટ-આટલા વર્ષો સુધી અલ્પસંખ્યકોના મુદ્દે  દેશમાં એક ન્યાયિક કાયદો બની ન શક્યો હોવો જોઈએ? 

હવે કારણો જે પણ હોય પરંતુ દેશમાં લાહ્ળ્યું ખાતું કેટલું ચાલે છે એ તમે આ સ્તરે જોઈ શકતા હશો. કૃપયા કરી આ દિશામાં ચર્ચા અને વિચારણાઓ કરવાની શરૂઆત કરીએ અને જો કોઈ પીટીશન દાખલ કરી શકીએ તો વધારે સારું. 
તમારી આસપાસ અને અનુભવમાં આવેલ આવા મુદ્દાઓ તરફ ધ્યાન દોરી શકો છો. 

#કમલમ


ફ્રીડમ ઓફ સ્પીચ કે પછી ફ્રીડમ ઓફ એક્સપ્રેસન

શિશુપાલે શ્રી કૃષ્ણને જે કહ્યું એ તેની ફ્રીડમ ઓફ સ્પીચ હતી. તો પછી શ્રી કૃષ્ણએ શિશુપાલ સાથે જે કર્યું એ શ્રી કૃષ્ણની ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ન કહી શકાય? અને બોલવું પણ એક પ્રકારનું એક્સપ્રેશન જ છે. જો સંવાદને લઈને કોઈ દુઃખ થતું હોય અને પણ જો એમાં સત્ય હોય તો વકતાને હક તે બોલવા એક્સપ્રેસ કરવાનો. પણ જો અર્ધસત્ય અથવા નિહાયત જુઠાણાનો મારો ચાલતો હોય અને જો લોકો એને પણ ફ્રીડમ ઓફ સ્પીચ સાથે સરખાવે તો આપણે જે કરીએ એ પણ આપણી સ્વતંત્રતામાં આવે છે. જો આપણે એક્સપ્રેસ નથી કરી શકતા તો કોઈને બોલવાનો પણ અધિકાર નથી જેઓ કોઈને ત્યાં સુધી મજબુર કરે કે તે અનર્થ કરવા પર આવી જાય. તમારા શબ્દોથી કોઈને હાર્ટ એટેક આવી જાય છે તો શું તમે ગિલ્ટી છો? જો નહીં તો સામે વાળો પણ કેમ? જો આ વ્યર્થ જ છે તો ફ્રીડમ શું છે?

યા તો ફ્રીડમ ઓફ સ્પીચ ખોટી છે અથવા ફ્રીડમ ઓફ એક્સપ્રેશન  જ અંતિમ સત્ય છે. 

#કમલમ

આનંદ મહિન્દ્રાની ટ્વીટ

"ફેસબુક સાથે Jio નો સોદો ફક્ત તે બે માટે જ સારો નથી. વાયરસ-સંકટ પછી ભારતના આર્થિક મહત્વનું પ્રબળ સંકેત છે. તે એવી પૂર્વધારણાઓને મજબૂત બનાવે છે કે વિશ્વ ભારત માટે એક નવું વિકાસ કેન્દ્ર બનશે. બ્રાવો મુકેશ!"

- આનંદ મહિન્દ્રા

ફેસબુક એ  ₹43,576 કરોડમાં Jio ના 9.9% શેયર લીધાં છે અને એ બાબતે આનંદ મહિન્દ્રાની ટ્વિટ સકારાત્મક ઊર્જા અપાવનારી છે દરેક ભારતીય માટે. ફેસબુકનું ભારત તરફનું પ્રયાણ એ સૂચવે છે કે ભારત વિશ્વનાં વિકાસ કેન્દ્ર તરફ બનવાની તરફ કૂચ કરી દીધી છે. એ મુજબ હવે આપણે એક નાગરિક તરિકે અને ભારતીય તરીકે કેટલી મહેનત અને આવનારી તકો ઝાડપવાની છે એ તરફ વિચારવાનું શરૂ કરીએ.

જય હિન્દ.

"Jio’s deal with Facebook is good not just for the two of them. Coming as it does during the virus-crisis, it is a strong signal of India’s economic importance post the crisis. It strengthens hypotheses that the world will pivot to India as a new growth epicentre. Bravo Mukesh!"

https://twitter.com/anandmahindra/status/1252876578654007298?s=19

મગજનો બાટલો

https://gujarati.pratilipi.com/story/%E0%AA%AE%E0%AA%97%E0%AA%9C%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9F%E0%AA%B2%E0%AB%8B-0byhyrlkxigd

ચકો મહામુસીબતે અને મહેનતે હુરટ(સુરત) જવા બોરીવલીથી ઇન્ટરસિટી પકડે છે. અનામતીય બેઠકો અને અનારક્ષિત બેઠકો પર પાસ વાળાઓ આરક્ષિત ઉમ્મેદવાર જેવું વર્તન કરી પોતાનું વર્ચસ્વ જમાવ્યાં બાદ વધેલી ચારથી પાંચ બેઠકો માટે ૩૬ જણની અપક્ષ ઉમ્મેદવારી ઉભેલી હોય અને ઘરેથી નીકળેલાં અને કમસેકમ ૧ કિલોમીટર જેટલું ભાગીને પકડેલી ટ્રેનમાં, કાળીયો ઠાકર સાથે જ હોય અને જ્યાં ઉભાં હોય ત્યાં જ બેસવાની જગ્યા મળે એટલે આ ભવનો જન્મારો એળે નથી ગયો એવું વિચારી ચકો બેસે અને ત્યાંજ એની બાજુમાં બકાની મુલાકાત થાય જે સતત બોરીવલીથી બોલવાનું ચાલુ કરે અને છેક ચાલુ રહે વાપી સુધી અને ચા પીતાં જ બોલવાનું બંધ કરે અને ચા પીધાં પછી બકો બોલે છે કે...

બકો: અરે! ક્યાંરનો હું જ બોલે જાઉં છું. તમેય કૈંક બોલો! શેનો ધંધો છે તમારે?

ચકો: બાટલાનો

બકો: ઓહ! શેનાં બાટલાનો? ઓક્સીજન, કે પછી બીજા...

ચકો બે મિનીટ સુધી ચુપ રહે છે.

બકો: અરે બોલોને...

ચકો: મગજનાં બાટલાનો...

બકો: hahaha શું મજાક કરો છો સાહેબ...

ચકો: નાં ખરેખર! આ મારો બાટલો ક્યારે ફાટી જાય એનું નક્કી નથી હોતું અને ક્યારેક તો દિવસમાં બે ત્રણ વાર ફાટી જાય એટલે થયું કે લાયને ધંધો જ ચાલુ કરું એટલે જરૂર પડે તો ક્યાંય ગોતવાતો નો જાવો...

આટલું બોલ્યાં બાદ ચકાને વાપીથી સુરત સુધીની શાંતિ થઇ ગઈ.

પૂર્ણવિરામ

#કમલમ

મારા મુજબ રાષ્ટ્રવાદ એટલે...

રાષ્ટ્રવાદ ફક્ત દેશની વ્યાખ્યા સાથે જોડાયેલો શબ્દ નથી એનો સંદર્ભ ઘણો ઊંડો છે. જાણવો હોય તો આ અહેવાલ વાંચવા વિનંતી.



દેશ એટલે એક વિચાર. એવી જ રીતે કે જેમ આપણે ભારતીય તો છીએ પણ સાથે સાથે એશિયા ખંડના પણ નાગરિક છીએ એટલે એશિયન પણ. અને આપણે બધા એશિયન સાથે સાથે પૃથ્વીવાસી પણ ખરા.

અને એ જ રીતે, આપણે ભારતમાં ગુજરાતના છીએ એટલે ગુજરાતી, અને તેમાં અમદાવાદનાં છીએ એટલે અમદાવાદી, અમદાવામાં કાલુપુરના છીએ એટલે પોલના રહીશ, અને પોલમાં રાજા મહેતાની પોળમાં રહું છું એટલે પોળનો છોકરો ખરી, પોલમાં કાનજી દીવાનના ખાંચામાં રહું છું એટલે એ ખાંચાનો રહેવાશી પણ ખરો અને ખાંચામાં ૨૦૨૧ નંબરનાં મકાનમાં રહું છું એટલે એ મકાનમાં રહેનાર રહીશ પણ ખરો...

એવી જ રીતે પૃથ્વીથી, ખંડ, દેશ, રાજ્ય, જીલ્લો, તાલુકો/શહેર, ગામ/એરિયા, સોસાયટી/પોળ, ખાંચો/શેરી, મકાન/ફ્લેટ, જુપડી કે પછી જે પણ...

જે પરિસ્થતિમાં મારી ઉપસ્થિતિ જેમાં હશે હું તેનો વફાદાર. એજ મારું રાષ્ટ્રવાદ પણું. એની બહારનું મારા માટે પરિસ્થતિ મુજબ વિરોધી તત્વ.

અને મારી ઉપસ્થિતિ જે જે જગ્યાની હશે એ જગ્યાનો હું રાષ્ટ્રવાદી અને એ જગ્યા એ રહેલા તમામ લોકો માટેની મારી જવાબદારી એ મારી માનવતા.

આને સીધી રીતે સમજીએ તો મારી સોસાયટીમાં બાજુની સોસાયટીનાં અમુક તત્વો આવી ને તોફાન કરે તો હું તેને મારા દેશના નાગરિક છે એ વિચારીને જવા તો ન જ દઉં. એને એનો પાઠ તો ભણાવું જ. કારણકે ત્યારે મારી સોસાયટીને મારા પ્રતિનિધિત્વની જરૂર વધારે છે. અને ત્યારે એ તોફાનીઓને ભાર કાઢવા મારે જે કરવું પડે એ રાષ્ટ્રવાદ અને એજ માનવતા મારા સોસાયટીઓના બીજા રહીશ તરફની. 

પણ જો મને ખબર પડે કે મારી જ સોસાયટીના અમુક લોકો એ બીજી સોસાયટી વાળા ને તોફાન કરવા માટે ગેટ ખુલ્લો મુક્યો હતો તો એ એ સોસાયટીના લોકો તરફ માનવતા પ્રદર્શિત કરવી મુર્ખામી છે. ત્યારે બે વસ્તુ શક્ય છે.

શિખામણ, અને છેલ્લે 
દંડ 

એટલે પરિસ્થતિ મુજબ તમારું પ્રતિનિધિત્વ કઈ ભૂમિકાને  વધારે અનુકુળ અને વ્યવહારિક છેે એ જાણવું ખુબ જરૂરી છે. એજ તમને ન્યાય અને અન્યાયની સીમાઓ જણાવશે. 

કોઈને આ વિચાર સાથે આપત્તિ હોય તો એ આઝાદ છે કમેન્ટ કરવા. 

#કમલમ

દાતાર



એક વ્યક્તિએ આખી જીંદગી લોકોને સૂચનો અને સાચાં રસ્તાઓ જ બતાવે રાખ્યાં. અને તેઓ સફળ પણ રહેતા. લોકોને કુતુહુલ અને આંશિક ઈર્ષ્યા રહેતી કે આ મારો બેટો સુચન અને શિખામણો જ આપે છે અને એને તો કોઈ દિવસ કોઈના સૂચનની જરૂર જ નથી ઉભી થતી. એમ કેમ?

એટલે એક દિવસ ગામનાં લોકોએ એ ભાઈની પરીક્ષા લેવા એક સંત પુરુષને એ વ્યક્તિ પાસે મોકલ્યાં અને પછી નો સંવાદ.

સાધુ: દીકરા, લોકોના કહેવા પર તારા માટે અહીં આવ્યો છું. જે આશીર્વાદ જોતા હોય એ માંગી લે.

એમણે કહ્યું: સાધુને ચરણોમાં વંદન. મારે કશું જોતું તો નથી પણ તમારા માટે એક સુચન છે. સાંભળશો?

સાધુ: hahaha જરૂર... સંભળાવો

એમણે કહ્યું: આટલું ઉચ્ચ વ્યક્તિત્વ અને સાદાઈથી જીવવાનું બંધ કરો નહીંતર અમારા જેવા માયાની પાછળ ભાગવાનું બંધ કરી દેશે અને સાદાઈ તરફ વળી જશે તો આ દુનિયા હાલશે કેમ?

આટલું બોલતા જ સાધુ અને એ ભાઈ બંને હસી પડ્યા. અને છેલ્લે જતા-જતા એટલું બોલ્યા કે, "તું ખરો દાતાર."

પૂર્ણવિરામ


- કમલ ભરખડા

સંગીત અને માનસિકતા

ભારતીય શાસ્ત્રીય સંગીત અને વાદ્યો તરફ યુવાનોનો ઓછો થઇ રહેલો રસ અને પસંદગી એ એમની બદલાઈ રહેલી માનસિકતાનો સીધો પરિચય આપે છે. વાદ્ય એટલે કે સંગીત પીરસતું ઈન્સ્ટ્રૂમેન્ટ. આપણા પ્રાચીન ભારતીય સંગીત તરફ નજર કરીએ તો હાલ શાસ્ત્રીય સંગીત ફક્ત જુજ લોકોની પસંદગીમાં રહી ગયું છે. આખરે તે શું દર્શાવે છે? તે દર્શાવે છે સંસ્કૃતિમાં અને માનસિકતામાં આવેલ ધરખમ ફેરફાર.



સંગીત એટલે કે તાલ અને રાગ સયુંકત એક ધ્વની. અને કોઈપણ પરિસ્થતિમાં દરેક પ્રકારનાં સંગીતનું સર્જન શક્ય નથી. કારણકે સંગીતનો સીધેસીધો મેળ તેના પીરસનારની માનસિકતા પર નભેલો છે. માણસ જયારે એક અવસ્થામાં સ્થિર થાય એ પછી ભલે તીવ્ર અવસ્થા હોય કે મંદ અવસ્થા પણ એ જે તે અવસ્થામાં સંપૂર્ણતઃ સ્થિરતા આવ્યાં બાદ જ જે ધ્વની ઉપજે છે એ તે પરિસ્થતિનો રાગ બને છે. અને એ રાગ ને પ્રદર્શિત કરવા જે સાધનની જરૂરીયાત ઉભી થઇ રહે એને કહેવાય સંગીતના ઉપકરણો એટલે મૃદંગ, માટલા, જાન, વીણા, જલતરંગ, વાંસળી વગેરે વગેરે.

આતો જોકે સામાન્ય વિજ્ઞાન છે જે મેં હાલ જણાવ્યું જે લગભગ સંગીતમાં રૂચી ધરાવનાર દરેક વ્યક્તિને જાણ હોય જ છે. પરંતુ તેને ભારતીય શાસ્ત્રીય સંગીત અથવા પશ્ચિમી સંસ્કૃતિના સંગીત સાથે શું લેવા દેવા છે? આખરે કોઈપણ પ્રકારનું સંગીત તો સંગીત છે. તેને નથી કોઈ સીમા કે બાધા નડતી. હા, ખરું. સંગીત પાણી અને હવા જેવું છે. તેને નથી કોઈ રોક-ટોક. એ તો પ્રસરે છે જ્યાં તેને ઘાટ મળે.

તો પછી આ અહેવાલનો મૂળ મુદ્દો કે ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંગીતનાં વાદ્યો તરફ ઘટી રહેલો હાલનાં યુવાનો નાં રસનો સીધો અર્થ શું?

તેનો સીધો સબંધ છે, ભારતમાં શાસ્ત્રીય સંગીત જે-તે સમયે ઉદ્ભવ્યું તે સમયનાં માણસોની માનસિક પરિસ્થતિ અને સામાન્યતઃ મળી રહેતા પદાર્થોમાંથી બનાવવામાં આવેલ સંગીતના વાદ્યો. તો પછી કોઈ કહેશે કે આધુનિક શોધો પ્રમાણે જે જે વસ્તુઓ ઉપલબ્ધ થતી ગઈ તે મુજબ વાદ્યોનું નિર્માણ થતું ગયું અને તે જ મુજબ જે તે પ્રકારનું સંગીત. તો પછી પશ્ચિમ અને ભારતીય સંગીતમાં આટલો ફેર શું કામ?

કારણકે, ભારતીય શાસ્ત્રીય સંગીતનો ઉદભવ જે કાળથી થયો એ ભારતનો આધ્યાત્મિક દ્રષ્ટીએ સૌથી સુવર્ણ કાળ હતો જયારે આદીશંકરાચાર્ય દ્વાર વેદોનું નિર્માણ કર્યું જેમાં સામવેદમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની પુષ્ટિ મળી આવે છે. આધ્યાત્મિક જ્ઞાનની ફળદ્રુપતાએ ત્યારના જનસંચાલકો અને સામાન્ય લોકોનાં સામાજિક અને વ્યક્તિગત સમસ્યાઓનું સમાધાન કર્યું અને ત્યારબાદ સંગીતનો સંપૂર્ણતઃ ઉપયોગ ઈશ્વર તરફનો કરી વ્યક્તિ સંપૂર્ણતઃ ભક્તિમાર્ગી બન્યો હતો જેના લીધે ત્યારનાં લોકોની માનસિક અવસ્થા એટલી શાંત અને સોમ્ય હતી કે તેઓની એ અવસ્થામાં જે સંગીત નીકળે એ એજ કક્ષાનું અને એજ પરિસ્થતિ ઉભી કરનારું હોય. જેમકે, ભારતીય શાસ્ત્રીય સંગીત શાંત અને નદીના શાંત પ્રવાહની વહેતી શાખા જેવું છે. જયારે આધુનિક સંગીતનાં જ્ન્મદાતાઓએ હાલની કેટલી સદીઓથી રાજકીય યુધ્ધો, ધર્મ યુદ્ધ, ઔધ્યોગીકરણ, રાજકીય પ્રપંચ જેવી અનેક આધુનિક સમસ્યાઓમાંથી થઇને નીકળવું પડ્યું છે જેની સીધી અસર એમનાં થઇ રહેલાં અશાંત માનસિકતા તરફ નિર્દેશ કરે છે. જેથી તેમના દ્વારા જન્મેલું સંગીત પણ એજ કક્ષા નું હોય છે જે અશાંત માનસિકતા, ડિપ્રેશન, ગ્લાની અને આંતરિક અગ્નિથી ભરેલું રહે છે. જેને લીધે હાલના યુવકોને એ સંગીત તુરંત જ ફીટ થઇ જાય છે અને તેઓ એ જ દિશામાં આગળ નીકળવા લાગે છે.

અને સંગીત અને માનસિકતા બંને એકબીજાને જનમ આપનાર પરિબળો છે. માનસિકતાને લીધે સંગીતનો ઉદ્ભવ થાય છે અને સંગીતને લીધે માનસિકતામાં બદલાવ. બસ આ ચક્ર ચાલ્યા કરે છે અને પરિસ્થતિઓ વધુને વધુ એ તરફ જતી રહે છે. અને એટલે જ આજના યુવાનો કે જેઓ કોમ્પીટીશન, રસાકસી, અને અન્ય આધુનિક સમસ્યાઓનાં કાદવમાં ઘસી ચુક્યા છે એમને આપણું ભારતીય શાસ્ત્રીય સંગીત ધીમું અને શાંત લાગે એ વાત સેજપણ ખોટી નથી. એટલે જ આજનો યુવાન જે રીતે આધુનિક સંગીત સાંભળે છે એ રીતે શાંતિ થી બેસી શાસ્ત્રીય સંગીત નથી સાંભળી શકતો. કારણકે એ કરવા માટે એ પ્રકારની આધ્યાત્મિક ગુણો અને શાંત અવસ્થાની જરૂરીયાત ઉભી થઇ રહે છે. પરંતુ એ અશક્ય નથી કારણકે આગળ સમજાવ્યુ એ મુજબ બંને સાયકલની એક જ રિંગમાં છે. બંને એક બીજાને ધક્કો મારે છે. જો આપણે પ્રયત્ન કરશું તો ભારતીય શાસ્ત્રીય સંગીત આપણું થઇ શકશે ફરીથી અને એજ મુજબ આપણી માનસિકતા ફરીથી એ આધ્યાત્મિક ગુણોથી ભરપુર થઇ રહશે.

અને આમ પણ કહેવાયું છે કે જીવન એક ધ્રુજારીથી વિશેષ કશું જ નથી. એ મુજબ સંગીતનો આપણી માનસિકતા પર પ્રભાવ રહે એ વ્યાજબી છે. આજે દેશો દુનિયામાં જે જે દેશોએ પોતાનું સંગીત જાળવી રાખ્યું છે એ લોકો એ પોતાની સંસ્કૃતિ પણ જાળવી રાખી છે. એટલે દરેક વાંચનારને પ્રાર્થના કે પોતાના ઘરમાં યુવાન સભ્યોને ભારતીય શાસ્ત્રીય સંગીત અને વાદ્યોનો ઉપયોગ સામાન્ય જીવનમાં એટલો વધારે કે જેટલો આધુનિક સંગીતનો વધ્યો છે.

માણસ અને વાંદરામાં ફરક શું છે?

માણસ અને વાંદરામાં ફરક શું છે?

વાંદરાની પાસેથી એક કેળું લેવા માટે તમે વાંદરાને એ ક્યારેય સમજાવી ન શકો કે તને સ્વર્ગમાં જઈને અનંત કેળાઓના બગીચા મળશે બસ તું આ કેળું મને આપી દે. પણ માણસને સમજાવી શકીએ છીએ..

😅

#કમલમ

Dot or Dash?

It's very hard to become Dot. We all are Dashes. We exchanges our experiences and instincts. But to reveal the dot inside of yours you must need to stop looking solutions from the outside. Because it only creates dashes but to evolve as dot we need to see the inner world of ours. It will awaken the sleeping sun inside yours and then you will be an initiative for the many dashes and so many dots.

#kamalam

સમય અને સાવધાની

સમય અને સાવધાની



અત્યારે હું ઘણાં મુસેજ વાંચી રહ્યો છું જેમાં ચાઈનાને માથે દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે. કદાચ સાચ્ચું જ હશે.

પણ આપણે એક પ્રોગ્રેસીવ માણસો છીએ જે આગળનું વિચારી શકે છે. આમ જો આવી રીતે જ ચાલતું થઇ જશે તો ચાઈના શું પણ કોઈ બાઈના. ડાઈના, અને ગમ્મે તે લલ્લુ પંજુ વાઇરસો બનાવી બનાવીને દુનિયામાં ફેલાવતા રહેશે. તો આપણે શું કરી શકીશું?

આપણે જીવનભર માટે તો લોકોને પરદેશ થી આવતા નહીં રોકી શકીએ? ક્યારેક તો નોર્મલ થશે ને બધું?

એટલે આ જ સમય છે આપણા બાળકો અને યુવકો જેઓ અભ્યાસ લઇ રહ્યા છે તેઓ આ દિશમાં વિચારવાનું શરુ કરે. આપણે એડવાન્સ થવું જ પડશે. આપણે એટલા તો એડવાન્સ થવું જ પડશે કે કોઈ પ્રકારની આપદા નું સોલ્યુશન ગણતરીની ક્ષણો માં નીકળે.

દુનિયાના ત્રણ સૌથી મોટા સ્ત્રોત

૧. જમીન (ફળદ્રુપ)
2. પાણી (નદી)
૩. માણસો (ખેડૂતો, ઈજનેર અને તબીબ)

આ ત્રણથી મોટું કશું જ નથી... જે દેશ પાસે આ ત્રણ વસ્તુઓ હશે એજ સાચો સુપર પાવર કહેવાશે. પણ આપણે સુપર પાવર ની પાઘડી પહેરીને જાવું પણ ક્યાં જો ભૂખ્યા જમાડી પણ નહીં શકીએ કે તરસ્યા ને સારું પાણી પણ નહીં પીવડાવી શકીએ?

એટલે જ આ સમય છે ચેતી જવાનો અને અભ્યાસમાં મોડર્ન વિજ્ઞાન અને પૌરાણિક વિજ્ઞાનની સમજણ ને સાથે લઈને ટેકનીક્સ વિકસાવવી પડશે. જે ક્યારેય દેશને પાછળ નહીં લઇ જાય.

બધાને ખબર છે કોઈપણ પ્રકારનો વાઇરસ, આપણી ઈમ્યુન સીસ્ટમ કરતા મોટો નથી. એજ રીતે, જો આપણો ખોરાક, અને પાણી સ્વચ્છ હશે તો દરેક પ્રકારની પરિસ્થતિઓને સંભાળી શકીશું. ઉપરાંત મોડર્ન વિજ્ઞાનનાં જોર સાથે આપણે એવી તકનીક પણ વિકસાવવી પડશે જેનાથી કોઈપણ ઉપચાર તાત્કાલિક બેઠો થઇ શકે.

એટલે અભ્યાસને એ સ્તરે પણ લઇ જવો પડશે જેમાં માહિતી સાથે સાથે પ્રાથમિક ઉપચાર અને અન્ય પ્રકારની કોમનસેન્સની જાણકારી આપવામાં આવે. ખેતી, ફૂડ ઇન્ડસ્ટ્રી, નેનો ટેકનોલોજી, બાયો ટેકનોલોજી અને હેલ્થ સેક્ટર આવનાર સમયમાં સૌથી મોટા પાયદાન પર રહેશે. સરકારશ્રી એ આ પ્રકારનો અભ્યાસ સામાન્ય લોકો સુધી પંહોચે એ સુવિધા ઘડવી પડશે.  જો સરકાર આ બાબતે કશું ફેરફાર નહીં કરે તો યુવક યુવતી ઓએ ઝુંબેશ શરુ કરવી પડશે...

આજે ક્યુબા જેવડો નાનો દેશ દુનિયાના બેસ્ટ ડોક્ટર્સ આપે છે. કારણકે એ એમનાં ઈરાદામાં હતું. એટલે ઈરાદો મહત્વનો છે.

#કમલમ

પ્રત્યાહારા

સદગુરુ એ આજે એક અતિમહત્વની વાત પર પ્રકાશ પાડ્યો.

પ્રત્યાહારા



પ્રત્યાહાર એટલે બહારની દુનિયા સાથે તમામ પ્રકારના કનેક્શન પડતા મૂકી એ તમામ ઉર્જા પોતાને આપો... એટલે?

એટલે કે, પોતાની સાથે સમય ગાળો. પણ કઈ રીતે?

*આંખ બંધ કરી ને!*

સદગુરુ એ તો દિવસમાં 6 થી ૧૨ કલાકનો સમય આંખ બંધ કરીને જાગૃત અવસ્થામાં રહેવા કહ્યું છે પણ આપણે શરૂઆત 2 કલાકથી કરી શકીએ છીએ. ખબર છે આ યોગ (પ્રત્યાહારા) કરવાથી શું થશે? તમારી આંતરીક ઉર્જા વધારે પ્રફુલ્લિત થશે અને તેને લીધે તમે અગણિત સારું કાર્ય આપી શકશો.

જેમ કે, જો તમે સારું લખતા હોય કે સારું નૃત્ય કરતા હોય. જો તમને યાદ હોય તો તમે ક્યારેક અચાનક જ સારું લખવા માટે કે નૃત્ય કરવા માટે પેન પકડી લ્યો છો કે નૃત્ય કરવા માટે ઉભા થઇ જાઓ છો! કારણક ખબર છે શું કામ? કારણકે ફક્ત બે ત્રણ મિનીટ જેટલી નાની કોઈ ઘટના તમારા હ્રદયને પ્રફુલ્લિત કરી દે છે અને એ પ્રફુલ્લિત હૃદય તમને લખવા કે નૃત્ય કરવા પર મજબુર કરે છે. તો જો એ બે થી ત્રણ મિનીટ નો સમય કલાકો નો થઇ જાય તો? તો તમારા કાર્યની ક્ષમતા અને કક્ષામાં કેટલો વધારો થઇ શકે છે? એ બધા કરતા પણ તમે માણસ તરીકે એક ન જોયેલી અદ્ભુત અનુભૂતિ મેળવો છો જે તમને અત્યાર સુધી મેળવેલા તમામ અનુભવો કરતા પરે લઇ જાય છે.

#કમલમ
સોર્સ : સદગુરુ

કોરો ડાટ માણસ

જે-જે વ્યક્તિ હાલ પોતે જે શહેરમાંથી રોજી-રોટી મેળવે છે એ લોકો એ છોડી ને પોતાનાં વતને પાછાં ફરે છે એમણે ખરેખર પાછું આવવું જ ન જોઈએ...! કારણકે જે ભૂમિ તમારું અને તમારા પરિવારનું પેટ ભરે છે એ ભૂમિ માટે આ કપરા ક્ષણોમાં તમારી ભાવનાત્મકતા શૂન્ય થઇ જાય એ અમાનવીય લક્ષણો છે. તમે જે ગામ મુકીને રોટલી માટે અહી આવ્યાં તે એ ગામ અત્યારે તમને શું આપી દેવાનું છે? અને જો ત્યાં અત્યારે તમે જે પણ કરી ને ગુજરાન ચલાવશો તો આગળ એ રીતે જ ભેગું કરજો...અને શહેરો ને માફ કરજો વ્હાલા. અને ટોળે ને ટોળા નીકળી જ પડ્યા જેમકે દુનિયાનો અંત થવાનો હોય એમ. એ લોકો જ્યાં જઈ રહ્યા છે એ એમનાં વતન ની પણ ચિંતા નથી કરતા!

અને હા બાપુ જે દોઢડાહ્યાંઓ આ બાબતે બિચારા લોકોનો પક્ષ લઈને અહી કમેન્ટ કરવા આવશે એમને કોઈ સ્થાન નથી કારણકે એમને ફક્ત બિચારા પણું દેખાય છે પણ એમની માનસિકતામાં બેસેલી અસ્થિરતા નહીં દેખાય. એ લા ભાઈ, અહિયાં લગભગ બધાની એક જ પરિસ્થતિ છે. દરેકની સુરક્ષા એટલી જ મહત્વની છે જેટલી એમની છે. આ વિષયે ઘણું વિરોધાત્મક બોલી શકાય છે પણ નથી બોલવું. આટલું બસ છે. આ પરિસ્થતિમાં કોઈ અમીર નથી કે કોઈ ગરીબ. સરકારનો સપોર્ટ દરેક માટે સરખો જ છે.

#કમલમ

World Poetry Day

World Poetry Day

આજે કવિતા, કાવ્ય, કે પછી રચના જે પણ કહો, આજે તેનો દિવસ છે. ખરેખર કહું તો ક્યારેય લખી નથી શક્યો પણ પ્રયાસ જરૂર કર્યા છે. મારા મત મુજબ કવિતા એટલે અંતરમાં લાગણીઓનાં ફુવારા નીકળતાં હોય ત્યારે શબ્દો બની જે બહાર આવે તે કવિતા!

આવી જ રીતે, થોડા દિવસ પહેલા ફેસબુક પર જ જોડાયેલાં એક વડીલ શિક્ષકની ભૂમિકા માંથી નિવૃત થવા જઈ રહ્યા હતા. તો તેઓ પોતાના વક્તવ્ય માટે સારી પંક્તિઓ શોધી રહ્યા હતા અને Rikin Pandya દ્વારા મને એ વાત ની ખબર પડી તો મેં જટ પ્રયત્ન કર્યો અને કઇંક તૈયાર કર્યું. કદાચ ઈશ્વરની કે માં સરસ્વતીની કૃપા જ હોય છે જયારે લાગણીઓ શબ્દો બની નીકળે.

તો આ રહી એ રચના:

અધુરી હતી ત્યાં સુધી જ્યાં સુધી અભ્યાસુ હતી
ઈશ્વરે શિક્ષિક બનાવી મને પૂર્ણ કરી

બાળક હતી ત્યાં સુધી જ્યાં સુધી હું ભણતી હતી
ઈશ્વરે શિક્ષિક બનાવી મને વડીલ કરી

સંસ્કાર અને શિક્ષણનો ખોરાક લીધા કરતી હતી
ઈશ્વરે શિક્ષક બનાવ્યા પછી સંસ્કાર આપતા કરી

જવાબદારી શું હોય એ બે આના ની વાત હતી
ઈશ્વરે શિક્ષક બનાવ્યા પછી જવાબદારી લેતા કરી

અઘરો હતો દરેક પડાવ જીવનનો
ઈશ્વરે શિક્ષક બનાવી સરળતાથી જીવતા કરી

ચાલતો જ રહેશે મારો પ્રયત્ન શિક્ષા તરફનો
આજે જે નથી એ અહી લાવવા આ તરફનો

આજે ફરી બાળક બનવા જઈ રહી છું
શિક્ષકપણાનો વેશ ઉતારવા જઈ રહી છું.
આશા છે ઈશ્વર સાથ આપશે
આજે વિરાસત સમાજ ને સોંપવા જઈ રહી છું.

જવાબદારી અને વિરાસતમાં ગફલત કરતા નહીં
વિરાસત તો ટૂંકી હોય છે જીવનમાં
જવાબદારી તો મબલખ છે આ જગતમાં.

આજે ફરીથી બાળક બનવા જઈ રહી છું
શિક્ષકપણા નો વેશ ઉતારવા જઈ રહી છું.
અધુરી હતી ત્યાં સુધી જ્યાં સુધી અભ્યાસુ હતી
ઈશ્વરે શિક્ષિક બનાવી અને પૂર્ણ થવા જઈ રહી છું.

#કમલમ

#WorldPoetryDay

કોરોના

ધમધમતાં શહેરોનાં શહેરો અને દેશોના દેશોને શાંત પાડી દેનાર કોરોના પાસેથી કઇંક શીખવા જેવું.

કોરોના ની સાઈઝ નેનોમીટરમાં છે. આપણા જેવા કે જેઓ આંખની દ્રષ્ટીએ જ જોઈ શકાય એ દુનિયાને દુનિયા કહે છે એ મુજબ કોરોના ઘણો ઘણું શુક્ષ્મ છે. પણ... તાકાત?

ભાઈ ભાઈ...

એમ જ જો તમારા શુક્ષ્મમાં શુક્ષ્મ પ્રયાસને પણ ઓછો ન તોળતા.. જો યોગ્ય સમય, તક, માહોલ, પરિસ્થતિઓ નો સંયોગ થયો તો બધું જ સંભવ છે.

#કમલમ

ગુણીજન

જે ગુણીજનો સાચીવાત મોઢે-મોઢ કહેવાની તાસીર ધરાવતા હોય એને લોકપ્રિય થવા જેવી મામુલી ઘેલછા પણ નથી હોતી.

એને મન તો સત્ય એજ ઈશ્વર અને સત્ય એજ વાણી.

એને ન તો કોઈ આનંદ આપી શકે છે ન કોઈ દુઃખ આપી શકે. આવા ગુણીજન જેટલા બરછટ દેખાતા હોય છે એમનાં નીજી જીવનમાં તેઓ એટલા જ સંયમી અને સરળ હોય છે.

એવા તમામ ગુણીજનો ને દંડવત પ્રણામ અને જય શ્રી ગોપાલ.

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો