જાતિવાદ અને તેનું મૂળ?

જાતિવાદ એ માણસની માનસિકતાઓએ ઉભી કરેલી વ્યવસ્થા છે. એ કોઈ ૩૭૦ની કલમ જેવી નથી. આવા હથોડાથી જાતિવાદ દુર નહીં જાય.

અને રહી વાત ગાંધીજીની જાતીવાદ તરફની વિચારધારા તો પહેલા તો એ સમયની સીમા એ પહોંચવું પડે. ત્યારે જાતિવાદ એક સંપૂર્ણ સ્વચાલિત વ્યવસ્થા હતી. જેને કોઈ ભરણપોષણની જરૂર ન હતી. એ ગાંધીજી સમજતા હતા. અને એ સમયે જાતિવાદ કરતા પણ ગુલામીમાંથી આઝાદ થવું વધારે પ્રાથમિક હતું.

એટલે ગાંધીજી પર કોઈપણ ઓપીનીયન અપાય એ પહેલા આપણે તમામ પરિસ્થતિનો વિચાર કરવો જ જોઈએ.

જાતિવાદ દુષણ છે તો એને સામાન્ય કક્ષા એ રાખવું જ જરૂરી છે. વિરોધ હવે તેની ગરિમાની હદને પાર કરી રહી છેે. કારણકે જે દુષણ સામાન્ય હતું એ હવે મજબુત બની રહ્યું છે. અને મજબુત વસ્તુ ક્યારેય એકલી ન હોય. એને સાચવી રાખવાના કારણો પણ આપણે જ આપીએ છીએ.

લોકોમાં મૂળ તકલીફ એકબીજાનાં પ્રત્યેની અદેખાઈની છે. લોકો પોતપોતાના ગ્રુપમાં રહે છે એની નથી. એ ક્યારે સમજશું?

जातपात को अब होगा कटना
काम करो सब अपना-अपना

#કમલમ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ