અબ આગે બઢો

જયારે ભાગલા પડ્યા ત્યારે પણ ભારતને પાકિસ્તાનમાં કોઈ રસ ન હતો, અને એટલે જ એમને છુટ્ટા કરી દીધા કારણકે એમને એમાં જ શાંતિ મળતી હતી એવું લાગ્યું હશે. જયારે વચ્ચ ગાળામાં યુધ્ધો થયાં ત્યારે પણ ભારતને કોઈ રસ ન હતો અને ન રસ હતો હાલ પણ. ઉદાહરણ લઈએ કે, એક નાનું બાળક કે જયારે એને એમ લાગે કે એનાં માતા પિતા કે એના ભાઈ બહેન કે જે હમેશાં એની આજુ બાજુ હોય છે એ હવે એને ઇગ્નોર કરી રહ્યા છે અથવા એને કોઈ મહત્વ જ નથી આપી રહ્યા એટલે એ પોતાનું મહત્વ વધારવા એવા ધમપછાડા કરે કે ન પૂછો ને વાત. હાલ પાકિસ્તાન ખરેખરએવાં જ ધમપછાડા કરી રહ્યું છે. અરે યાર એ લોકોને કેમ નથી સમજાતું કે ભારતને કોઈ દિલચસ્પી જ નથી પાકિસ્તાન શું કરે છે? અને શું કામ હોય પણ? આખરે સબંધ ત્યાંથી જ તુટ્યો હતો...જુદું એમને થવું તું અને આપણે એ સમયે પણ લોઈનાં દસ્તાવેજે મંજુરી પણ આપી. હવે શું છે એ લોકોને? કોઈ પાકિસ્તાની ને પૂછીએ કે ભાઈ કાશ્મીરમાં શું કામ રસ છે તમને? તો એ લોકો કહે કે એ લોકો તકલીફમાં છે એમને આઝાદ કરો. તો મેં એમને તુરંત જ કહ્યું કે, આ દુનિયામાં ઘણાં એવા દેશો છે જેમને આઝાદ થવું છે. લડો એમનાં માટે પણ. પ્રોટેસ્ટ કરો એમનાં માટે ત્યાં જઈને. આવી દલીલનો જવાબ આખરે એ મળ્યો કે, " એ લોકો મુસ્લિમ છે." હે ભગવાન! અને ખરેખર મિત્રો આપણે એમણે ગાળો આપીને પણ એમનું મહત્વ શું કામ વધારીએ છીએ? જેમ ઉજ્બેગીસ્તાન, તુર્કમેનિસ્તાન અને મોન્ગોલોયા જેવા દેશો સાથે આપણને કશુંજ લેવા દેવા નથી એમ જ પાકિસ્તાન સાથે પણ કોઈ પ્રકારની સમજ કે ગેરસમજ રાખવામાં મજા નથી. સાહેબે ખાલી ૨૦૦% ડ્યુટી વધારી દીધી તો ટમેટાનાં ભાવ ત્યાં આસમાન પર પહોંચી ગયા. ટીક્કા મસાલા હવે ખાલી કાંદાની ગ્રેવીમાં બનતા હશે....! :D પાકિસ્તાન સાથે તો હવે ભેદ નીતિ નો પણ ઉપયોગ કરીને કોઈ મતલબ નથી. કારણકે આ જે થયું છે એનું જ આ પરિણામ છે. સાહેબ આપણે દેશને આગળ લાવવામાં ધ્યાન આપીએ અને આપણી કુદરતી ધરોહર જેટલી છે એનો સદુપયોગ કરીને એક અગ્રણી ઉત્પાદક દેશ તરફ આગળ વધવાનો ખુબ અનેરો અવસર છે. જય હિન્દ જય જવાન જય કિસાન - કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ