ભારતીયો અને તેમના સામાજિક અને ખાનગી જીવનથી થતી પ્રગતિ પર અસર

કાલે જ મારી એક જ્ઞાની સાથે વાત થતી હતી. એ બોલ્યા કે, કમલ,

"ગુગલ, માઈક્રોસોફ્ટ અને દુનિયાની સર્વશ્રેષ્ઠ કમ્પનીઓ ચીફ મેનેજર આપણાં ભારતીયો છે. જે હવે કોઈપણ ભોગે ભારતીયો રહ્યા નથી. એમનાં પ્રત્યે ગર્વ લઈને કોઈ પ્રદર્શન કરવાની જરૂર નથી."

મેં કહ્યું કે, હા એ વાત તમે સાચી કરી, હવે તેઓ  ભારતીયો રહ્યાં જ નથી. અને કોઈને પ્રદર્શન કરવાની પણ જરૂર નથી. કારણકે તેનાથી આપણા ભારતીયો પર કોઈ જ ફરક પડવાનો નથી.

મેનેજમેન્ટ સ્કીલ્સ અને માણસોને સાચવવાની આવડત આપણા માં નથી જ એટલે બહારના લોકો આપણા બુદ્ધિ જીવીઓને સાચવે છે. અને તક આપે છે. આપણા જીવનનું લક્ષ્ય ફક્ત આગળ વધતાં વિદેશીઓને જોઈજોઈ ને તાળી ઓ પાડવાનું જ છે.

વિદેશના રાષ્ટ્રોમા માનવીય જરૂરિયાતો ક્યારેય દેશની પ્રગતિની પ્રાથમીકતામાં અડચણ રૂપ થતી જ નથી. શિક્ષિત વ્યક્તિની પર્સનલ અને સામાજિક જીવનની સ્વતંત્રતા એ પ્રગતિશીલ રાષ્ટ્રો માટે ખૂબ જ અનિવાર્ય પગલું છે. જે અહીં ભારતમાં થઈ શકે એમ નથી. એટલે ભારતનો બુદ્ધિજીવી કઈંક અનોખું કરવા જતાં જ આવતી અડચણોનો ભોગ બની રહે છે.

કમલ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ