ડ્રાઈવિંગ અને બેદરકારી

તકલીફ જયારે માણસને થાય છે ત્યારે તે શું કરે છે તેના પર તો આખે આખી લેખન સૃષ્ટિ રચાઈ ચુકી છે પરંતુ જયારે એક "કપી" અથવા "વાનર" જેવા અબુધ સજીવને જયારે તકલીફ થાય છે ત્યારે એ જે રીતે પ્રતિભાવ આપે છે તેના પરથી કુદરતની કમાલ નજરે ચડે છે.

એવો જ એક પ્રસંગ મારા અંકલે મને કહ્યો હતો, થોડો રમુજ લાગશે પણ વાનરની વ્યથા તો એજ જાણતો હશે. તો થયું એમ કે, મારા અંકલે મને આજે એક વિડીયો બતાવ્યો જેમાં એક માણસ વાનરને કઇંક હેરાન કરે છે અને એ જોઇને જ હું બોલ્યો કે,

આ વાંદરાનો મગજ જાય તો એની કેવી હાલત કરશે...!

ત્યાં જ અંકલે જોયેલ એક પ્રસંગ મારી સાથે શેર કર્યો......

એમણે કહ્યું કે, તેઓ જયારે અમદાવાદ, બાપુનગર રહેતા હતા ત્યારે વાનર અને તેની ફેમીલી રસ્તો ઓળંગી રહી હતી અને રીક્ષા વાળથી માતા વાનર સાથે ભટકાઈ અને માતા વાનરની સાથે ચોટેલો તેનો બાળ વાનર નીચે પડી ગયો.....

અંકલે કહ્યું કે, એ ઘડીથી જે પણ રીક્ષા વાળો ત્યાંથી પસાર થાય ત્યારે વાનરો પહેલા રીક્ષા રોકે, રીક્ષા ચાલક ને બહાર કાઢે અને એને બરાબર નો મારે..... hahahaha અને આવું ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી લોકો એ પ્રાણીસંગ્રહાલય વાળાને મદદ માટે ન બોલાવ્યા.....

અંકલે આગળ કહ્યું કે, રીતસર રિક્ષાવાળાઓમાં એ થોડા દિવસ એવો ખોફ ચાલી રહ્યો હતો કે, એ રૂટ પરથી રીક્ષા જ ચલાવવાનું બંધ કરી દીધું હતું.... :D

મોરલ ઓફ ધ સ્ટોરી, અંકલના કહેવા પ્રમાણે એ રીક્ષા ડ્રાઈવર જેણે વાનરને ઈજા પહોચાડી હતી ત્યારે એ કોઈપણ પ્રકારની સેન્સ વગરની ડ્રાઈવિંગ કરી રહ્યો હતો અને એ એક્સીડેન્ટ કરી બેસ્યા હતા.

ભારતમાં ફક્ત વાહનચાલકોની બેદરકારીને લીધે દરરોજ પર સ્ટેટ ૩૦૦ જેટલા પ્રાણીઓનું મૃત્યુ થાય છે. અને ૧૦૦૦૦ જેટલા માણસોનું મૃત્યુ સંભવે છે. આ બધા કેસમાં મોટા ભાગે, ઓવરસ્પીડ, ડ્રાઈવિંગ સેન્સનો અભાવ અને બેદરકારી હોય છે.

હા આ મુદ્દો એ સમસ્યાને પણ સામે લાવે છે જેમાં લોકલ ગવર્મેન્ટ બોડી / કોર્પોરેશન રખડતાં પ્રાણીઓને એ લેવલ પર કંટ્રોલ નથી કરી શકી જે લેવલ પર થવી જોઈએ. જંગલો એક પછી એક કપાઈ રહ્યા છે એટલે આ બિચારા પ્રાણીઓ પોતાની ઉજ્જડ થઇ રહેલી જમીનો ને મૂકી ને મૂકી કોન્ક્રીટ અને ડામરોના જંગલો તરફ આવી પહોંચે છે. આ ખુલ્લા રખડતા પ્રાણીઓ માટે ઘણી સંસ્થાઓ કાર્ય કરે છે એમનો પ્રયાસ કેટલો મજબુત છે એ ડેથરેટ ઉપરથી સમજી શકાય છે. આખરે તે મૂંગા પ્રાણીઓ પણ આપણી ઈકોલોજીકલ સિસ્ટમના મહત્વના અંગ છે. આપણે બની શકીએ તો વ્યવસ્થિત ડ્રાઈવિંગ કરીએ.



આ સૃષ્ટિ પર જેટલો હક આપણો જીવવાનો છે એટલો જ એમનો છે. સૌથી બુદ્ધિજીવી તરીકે વિવેક સાથે જ આપણા જ બનાવેલ સંશાધનોનો એ રીતે ઉપયોગ કરીએ જેથી આપણી સૃષ્ટિ તેના કુદરતથી મ્હેકતી રહે.

કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ