જાત્રા
આજે ઘણા સમય પછી હું મારા કુળદેવી શ્રી હરસિધ્ધિ માતા, પોરબંદર જઈ રહ્યો છું.
આ બે દિવસ મારા માટે ફ્રેશનેશથી ભરેલા રહેશે. જાત્રા કરવાનો અનુભવ જ કૈંક અલગ જ હોય છે.
હું માતાજીની પૂનમ જેવું કાંઈ નથી ભરતો અને એવું ખાસ કાંઈ માનતો પણ નથી પરંતુ જ્યારે ઈચ્છા થાય ત્યારે વગર કોઇ તૈયારીએ બસમાં બેસી જાઉં છું. હા એ વાતનો જરૂરુથી ખ્યાલ રાખું કે હું જાત્રા એકલો જ કરું.
હું લગભગ જાત્રા મારી જાત સાથે જ કરું છું.
ઘણું મનોમંથન કર્યું હતું એ વાત પાછળ કે લોકો પૂનમ કેમ ભરતા હશે...?
પછી મને કારણ સમજમાં આવ્યું કે, પૂનમ ભરવાના બહાને પહેલા લોકોને પોતાની જાત સાથે સમય ગાળવાનો ચોખ્ખો સમય મળી જતો હતો. એ સમયમાં એ વ્યક્તિ આગળ થયેલા સારા ખરાબ કર્મો વિશે જ વિચારે અને તેના પોતાના આત્મબળે જ સમાધાન કાઢવાનો પ્રયત્ન કરતા. અને એમની દરેક સમસ્યાઓનું સમાધાન પણ મળી જ જતું... એટલે જ તો એકસમયે પૂનમ ભરવા જવાનું મહત્વ ઘણું હતું.
આ મારા વિચારો છે.
કમલ ભરખડા
awesome bro
જવાબ આપોકાઢી નાખોThanks bhai....for read and comment. You must do kind of activity. It will help you realize you original portion of mitul.
કાઢી નાખોशब्द शुद्धे (હું જાત્રા એકલી જ કરું) હું જાત્રા એકલો જ કરું
જવાબ આપોકાઢી નાખોdone.... :) thank you so much for the reading and suggestions.
કાઢી નાખો