અંતિમવાદ (Extremism) નો જવાબદાર કોણ?

રાષ્ટ્રવાદી અંતિમવાદનો જવાબદાર કોણ?
ધાર્મિક અંતિમવાદના પ્રેરક અને મુળ જવાબદાર કોણ?

ખરેખર આ આખા જગતની રાજનીતિની ગ્રાઉન્ડ રીયાલીટી છે શું? કે જયારે જનતા પોતાની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ચુંટવા નીકળે ત્યારે એમને અંતિમવાદી કહી ને સંબોધવા પડે?

આપણે હર વખતે ઘટના બન્યા પછી અનુમાન કરવાની અને ઓબ્જેકશન લેવાની જ જવાબદારી લઈએ છીએ. (દરેક જાણકારની વાત છે) આપણે ગ્રાઉન્ડ રીયાલીટીનાં પર ખદબદતાં દુષણ પર ફક્ત આક્ષેપબાજી કરી છુટા થઈએ છે. પણ એ દુષણોને ડામવાના પ્રયત્નો નથી થતા, ઉલ્ટું જનતાને એમનાં લીધેલાં સ્ટેન્ડ પર એમને મુરખ, કટ્ટર, આતંકવાદી અથવા અંતિમવાદી કહીં ને જાકારો આપીએ છીએ.

આખરે ક્યાં સુધી આપણે જનતા જનાર્દનને એમના લીધેલા પગલા બાબતે એમને દોષિત માનતા રહીશું? આખરે એવાં તો ક્યાં કારણો છે જે જનતાને ખ્યાલ છે પણ મને અને તમને નહીં?

આખરે જનતા અંતિમવાદ અથવા રાષ્ટ્રવાદનાં રવાડે કેમ ચડે છે?

એક ઘટના મેં સાંભળી હતી. એક વૈજ્ઞાનિકને અમુક એક પ્રકારનું પીણું ખુબ ભાવતું પણ એ પીણું જેમાંથી તૈયાર થતું એ છોડ મોટે ભાગે ગરમીમાં જ ફળતું. પરંતુ તેનો પાક શિયાળામાં અને વરસાદમાં એમને ન મળે. સીઝનલ હતું. હવે તેણે છોડના આંતરિક માળખા સાથે અમુક પ્રયોગો કરીને એજ પ્રજાતિનું એવું બીજ ડેવલોપ કર્યું કે જે કોઈપણ સિઝનમાં ફળ આપી શકે. તેના માટે તેણે નિયંત્રિત વાતાવરણનું ઇન્કયુબેટર ડેવલોપ કરવું પડ્યું. હવે એ ઇન્કયુબેટરમાં જે છોડવા ઉગ્યા તે તમામ બીજને બહાર ખેતરમાં રોપણી કરવાનું શરુ કર્યું. અને છેવટે એ છોડ મેળવવામાં કામયાબ થયો અને એ ફળ કોઈપણ સીઝનમાં મળતું થયું.

આપણે પણ સામન્ય જનતામાં જ આવીએ છીએ. જેમ મેં વાત કરી એ પ્રમાણે જનતાની ગ્રાઉન્ડ રીયાલીટી એ છે કે, એમને એમની પ્રાથમિક જરૂરિયાતો મળવી જ જોઈએ. જો એ ન મળે તો તેના માટે તેઓ જે પગલું ઉપાડે તેના જવાબદાર ગવર્મેન્ટ.  

પ્રાથમિક જરૂરિયાતો એટલે શું? કે જેને અંતિમવાદની જનેતા કહી શકાય. મુળ પ્રાથમિક જરૂરિયાતો માણસને કુદરતી પણે ઊભીને ઉભી જ હોય છે. તેના માટે વ્યક્તિ કોઈપણ મજુરી કરી લે અથવા જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં વસવાટ કરે. પણ જયારે કોઈ ટોળાનો સરદાર રાષ્ટ્રીય કે ધાર્મિક બાબતોની અસુરક્ષિતતાને લોકો સમક્ષ ગળે ઉતારી દે એટલે લોકોના માનસપટ પર એ અસુરક્ષિતતા એમની પ્રાથમિક જરૂરિયાતોમાં આવી ગઈ. તો વાંક કોનો? લોકોનો કે એ સરદારોનો કે જે આ અંતિમવાદીઓની ફોજ તૈયાર કરે છે?

તમે, હું અને બીજા તમામ લોકો માણસોને આ રીતે ચુંટણીનાં જવાબદાર ગણીને છૂટી જઈએ છીએ પણ એ અંતિમવાદનાં નાબુદી તરફનાં પગલાઓ લઈએ છીએ ખરા?

જેમ આગળ વાત કરી એ પ્રમાણે આપણે એવાં એવાં શિક્ષિત સમાજ તૈયાર કરવા પડશે કે જે, સારું શું અને સાચું શું તેની વચ્ચેનો ફરક્ર સમજી શકે અને સમજાવી શકશે.  

અને માસ લેવલ પર જવાની જરૂર નથી પણ આવા ઇન્કયુબેટરો ઉભા કરીને એ તમામ લોકોને સમાજમાં છુટા મુકવાની જરૂર છે.

અને એજ તો એ અંતિમવાદીઓની સ્ટ્રેટેજી છે. તેઓ પણ મુલ્લાઓ, પંડિતજી, સરદારોને સમાજમાં ખુલ્લા મૂકી દે છે.

હાલમાં પણ શિક્ષિત લોકો સમાજમાં બધુંય સમજે છે પણ કઈ કરી નથી શકતા કારણ કે તેઓને કોઈ પણ પ્રકારનું બેકઅપ નથી. કે જે એ અંતિમવાદીઓના સરદારોને ભરપુર મળે છે.

રહી વાત અમેરિકાની, તો કોઈપણ જનતાને હક છે પોતાની પ્રાથમિક જરૂરિયાતો પ્રત્યે જાગૃત રહેવાની. અમરિકાની જનતા છેલ્લા ત્રણ ટર્મથી આત્યંતિક કહી શકાય એવાં રાજનૈતિકોને જ પ્રમુખ બનાવી રહ્યા હતા. ધીમે ધીમે લોકો એ સમજવા લાગ્યા. અને તેઓને આ બધાનું જ પ્રતિબિંબ હિલેરીમાં દેખાયું.

હા અમેરિકાની જનતા રિસ્ક લીધું છે. પણ મુર્ખામી નથી કરી. જો ટ્રમ્પ કોઈ ગડમથલ કરશે તો આવતી ટર્મમાં એને એનું ઓરીજનલ સ્થાન મળી જ જશે. પણ આ આપણા અંતિમવાદીઓનું એવું જરાય નથી. તેઓ કોઈ રીતે જાગૃત નથી. તેઓના માનસપટ પર બસ આજ ધાર્મિક અરાજકતા અને રાષ્ટ્રવાદી અસુરક્ષિતતાની ભાવનાઓ એટલી બેસાડી દેવામાં આવી છે કે લોકો પોતાની ઓળખ ભૂલી ગયા છે. લોકોને પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ યાદ નથી આવતી.

એ સમયમાં આપણે એવાં ઇન્કયુબેટરો તૈયાર કરવા રહ્યા જેમાંથી ઉત્તીર્ણ થતાં શિક્ષિતને બેકઅપ મળતું હોય. અને તેં લોકોને અને સમાજને જાગૃત કરી શકે.

Kamal Bharakhda

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ