બ્રેઈન ડેવલોપમેન્ટ કે પછી ડિમોલિશન?

આજકાલ બાળકો માટે બ્રેઈન પાવર અને માઈન્ડ ડેવલોપમેન્ટને ઝડપી કરવાં માટે જે જે પ્રાઇવેટ ક્લાસીસ અથવા વર્ગો ચાલી રહ્યાં છે એ મુદ્દે આપ સૌનો શું અભિપ્રાય છે?

મારૂં તો એજ માનવું છે કે, એ પ્રકારની પ્રવૃત્તિ અકુદરતી ગણી શકાય. બાળકોને મુકત પણે પોતાની ક્ષમતા મુજબ જ આગળ વધવા દેવા જોઈએ. આ પ્રકારનો બાહ્ય માનસિક દબાવ આગળ જતાં વિદ્યાર્થી પર પરફોર્મન્સને લઇને આવતાં નેગેટિવ દબાણો ઘણાં વધી શકે છે જેનાં ઘણાં નેગેટિવ પરિણામો આવી શકે છે.

બાળકની વૈચારિક ક્ષમતા પર પણ નેગેટિવ પ્રભાવ પડે.

Kamal Bharakhda

ગુજરાતી મૂવીઝ .... બાપ રે.....

હમણાં જ એક ગુજરાતી મુવી લોન્ચ થયું....એનું નામ સાંભળશો!!! ( પોળમાંજ રહું છું એટલે રિલીફ રોડ પર આવાં પોસ્ટરો ઢગલો જોવા મળે રોજ)

" પટેલની પટલાઇ અને ઠાકોરની ખાનદાની "

અને પોસ્ટરમાં બન્ને હીરોની આંખમાંથી લોહી નીકળી રહ્યાં છે એવું દ્રશ્ય.

બાપ રે.

#GujaratiMovies #zindabaad :p

આવા મુવીઝ ગુજરાતમાં ઢગલો બની રહ્યાં છે. અને એ વાત પણ માનવી જ રહી કે જોનાર વર્ગ નાની સંખ્યામાં તો નહીં જ હોય...

આ મૂવીઝ જોનાર દરેક ભાઇઓ બહેનોને પહેલાં શિક્ષિત કરવાં જરુરી. શું કહેવું છે ?

Kamal Bharakhda

तुर्किश कहावत

એક કહેવત મને ઘણી ગમી તો થયું કે, આપ બધાં સાથે શેર કરૂં. વ્યક્તિગત રૂપે એ કહેવતનાં શબ્દો ઘણાં કામ આવી શકે છે. જો લેવાય તો.

''अक्कल अगर भटक जाए तो उसका जमीर उसे वापस सीधे रास्ते पर ले आता है। जबतक आदमी का जमीर जिन्दा रहेता है तबतक आदमी हारता नहीं है।"

- तुर्किश कहावत

સાચી દિવાળી ?

કહેવાય છે કે, ભગવાન શ્રી રામ એ જ્યારે રાવણનું વધ કરીને અયોધ્યા પાછા ફર્યા હતાં એ સમય દિવાળી તરીકે ઉજવાયો હતો.

લોકોએ પોતાના ઘરોને દિવાઓથી જગમગાવ્યુ, જેથી લોકોમાં એવો મેસેજ પહોચે કે, જ્યારે જ્યારે રામ કામ કરે છે ત્યારે ત્યારે સમસ્ત અંધકાર માત્ર એક દિવાથી નાશ પામે છે.

એવી જ રીતે આપણી અંદરનો રામ જ્યારે જાગૃત થસે ત્યારે એ આપણી અંદર બેઠેલા અંધારા રૂપી રાવણનો ફક્ત એક સમજણ રૂપી દિવાથી નાશ કરશે.

ત્યારે જ તો સાચી દિવાળી મનાવી કહેવાશે.

Kamal Bharakhda

હોમોફોબિયા એટલે?


જે પણ મનોવૈજ્ઞાનિકે આ " હોમોફોબિયા " નામની માનસિક બીમારી શોધી હશે એમને તો નમન છે જ પરંતુ એમના દ્વારા થયેલી બીમારીની સાદી સમજણને પણ દાદ દેવી પડે તેમ છે.

પ્રસ્તુત ચિત્રના શબ્દોને જો ખરેખર સમજી લઈએ તો પુરુષ કોઈપણ સ્ત્રી પ્રત્યેનો "પ્રત્યક્ષ" વ્યવહાર સીધે સીધો કરી નાખે ખરો (ભલે આમાં બધા પુરુષો નથી આવતા પણ જે સ્ત્રીઓને એ પરિસ્થતિમાંથી પસાર થવું પડે છે એ તો એમનું મન જ જાણે. )







 ગુજરાતીમાં ભાષાંતર 

" હોમોફોબિયા" એટલે પુરુષોને લાગતો ડર, કે જયારે કોઈ સમલૈંગિક પુરુષ તેની સાથે એવી હરકતો કરશે, જે પુરુષ સ્ત્રીઓ તરફ કરતો હોય"

What to choose!

Time says walk with me
Heart says stay with me
Mind says play with me
Eyes says see with me
Ears says listen with me
Tongue says speak with me

yup, all these orders arrives at the same time and we get result according to what we will gonna choose of them.

Kamal Bharakhda

હાર્લિ એન્ડ ડેવિડસન્સ

આ વાત છે ત્યારની જ્યારે હાર્લિ એન્ડ ડેવિડસન્સ ફકત અટક હતી ત્રણ ચાર લોકોની, કે જેઓ સપનું જોઇ રહ્યાં હતાં એક અનોખી બાઇક બનાવવાનું. એ હજુ કંપની નહોતી બની. પરંતુ એ હાર્લિ એન્ડ ડેવિડસન્સ મિત્રો એ વિચાર્યું કે હવે દુનિયાની સૌથી અલગ બાઇકને જમીન પર ઉતારવી જ છે ત્યારે તેઓ કંપની સ્થાપે છે અને તેનુ નામ રાખવામાં આવે છે, હાર્લિ એન્ડ ડેવિડસન્સ.

હાર્લિ એન્ડ ડેવિડસન્સ મિત્રોએ કેટ-કેટલી બાધાઓ ઓળંગીને દુનિયાની સૌથી લોકપ્રિય અને સફળ બાઇકસ બનાવનાર કંપની બની તેની ગાથા તો ઘણી મોટી છે જે આ લેખમાં સમાવેશ કરવો ઘણો જ અઘરો છે. પરંતુ મારે એક હાર્લિ એન્ડ ડેવિડસન્સ મિત્રો વચ્ચે શરૂઆતમાં બનેલો સંવાદ રજુ કરવો છે.

વોલ્ટર ડેવિડસન્સ બાઇકની ડિઝાઇન જોતાં જોતાં કહે છે કે, " અમેરિકામાં હાલમાં (1901) માં પણ 50થી વધું મોટરસાઇકલ બનાવનાર કંપની છે પણ આપણે સૌથી બેસ્ટ મોટરસાઇકલ બનાવવી છે અને દુનિયાની શ્રેષ્ઠતમ મોટર સાઇકલ બનાવનારી કંપની બનાવવી છે."

આ સંવાદ એટલો બધો પ્રેરણાદાયી છે, એ લોકો માટે કે, જેઓને ભીડમાં પણ દુનિયાને શ્રેષ્ઠ આપવાની ઘેલછા છે. આ સંવાદ હાર્લિ એન્ડ ડેવિડસન્સ મિત્રો વચ્ચે વાતચીત ન હતી પણ એમનો બાઇક પ્રત્યેનો પ્રેમ અને એટીટ્યુડ અથવા અભિગમ હતો, કે જેણે આટલી વિશાળ કોમ્પિટિશનમાં પણ એક સફેદ ધૂમકેતુની જેમ માર્કેટમાં આવ્યું અને કાયમ માટે દુનિયાના તમામ લોકો કે જે બાઇક લવર્સ હોય કે ન હોય પણ દરેકની સપનાની બાઇક બની ગઇ છે. અને વર્ષો સુધી બની જ રહેશે.

કદાચ એ સમયમાં એ હાર્લિ એન્ડ ડેવિડસન્સ મિત્રો ગભરાઈ ગયા હોત અને તેઓ આટલી મોટી કોમ્પિટિશનને કઇ રીતે તોડી શકીશું એવું વિચારીને બેસી ગયાં હોત તો વિચારી લો દુનિયાને હાર્લિ એન્ડ ડેવિડસન્સ જેવી રચના ક્યારેય ન મળી હોત!

તો આ હોય છે, પ્રોડક્ટ પ્રત્યેનાં પોઝિટિવ એટીટ્યુડ, મહેનત અને વિશ્વાસ કે જે બનાવે છે હાર્લિ એન્ડ ડેવિડસન્સ જેવી કંપની.

Kamal Bharakhda

ગામની પંચાત હવે કાયદેસર શિક્ષણનો વિષય!

એક બાજુ ભારતીય શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાના પ્રયાસો ચાલે છે જેથી વિદ્યાર્થી કઇંક માનવીય, વૈચારિક, વૈજ્ઞાનિક, કલાત્મકતા અને સારા નાગરિક બની રહે એવા મૂલ્યો શીખે, પણ ત્યાં મુંબઇ થાણે પાસે એક શાળામાં પરીક્ષા દરમ્યાન રમત ગમતની પ્રશ્નોત્તરીમાં એ મહાનુભાવ શાળા સંચાલન પરીક્ષામાં વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડનું નામ પૂછી બેઠા! છે ને મહાન લોકો!

Times of India | 18th October 
હવે તો કહી શકીએે કે, ગામની પંચાત બન્યો શિક્ષણનો મુદ્દો. એ પેપર સેટરે શું સમજીને આ પ્રશ્ન રાખ્યો હશે? એ ભગવાન જાણે. 

હવે એ શાળા પ્રોપર શહેર વિસ્તારમાં નથી આવે એટલે ગામડું જ કહી શકીએ અને જયાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી અર્બન વિસ્તારની શાળાઓમા આ પ્રકારની ભૂલો ભાગ્યે જ જોવા મળે. પરંતુ ગામડાઓની શાળાઓમાં આ પરિસ્થતી જોતાં જ ત્યાંની શિક્ષણ વ્યવસ્થા સમજાઈ છે. એક નાનકડી ભુલ ઘણી મોટી ખામી કહો કે સમસ્યાઓની બાતમી આપી જાય છે. 

હાલની સરકાર ઘણાં પ્રોજેક્ટો લોન્ચ કરી રહી છે જ્યારે ગામડાઓમાં શિક્ષણની આવી કથળેલિ સ્થિતી જોતાં એ જ વિચાર આવે છે કે સરકાર એ મોટાં મોટાં પ્રોજેક્ટો કરે કે ન કરે..પણ ગ્રામ વાસીઓ યોગ્ય ઢબે શિક્ષિત થાય તેનાં પ્લાનિંગ ચાલુ કરી દેવા જ જોઇએ. બાકી આવા બનાવો એક જ ઝાટકે દેશના ધજાગરા ઉડાવી દે! 

હજી તો કેટલીયે શાળાઓમાં કેવા કેવા ધતીંગો ચાલતા હશે એ કોણ જાણે. શાળાઓનાં આવાં બેજવાબદાર વર્તન જ વિદ્યાર્થીઓને દુષણો બાજું લઇ જવાં પ્રેરે છે. 

બાળકોના ભવિષ્ય સાથે રમવું એ ખરો અન્યાય છે. 

Kamal Bharakhda

સ્વતંત્રતા એટલે?

સ્વતંત્રતા એટલે?

એવું નહીં કે મને બધાય વગર ચાલશે.....
પણ મને મારા વગર તો નહીં જ ચાલે.

Kamal Bharakhda

Born Leader DHONI

;) Sunday Special ;) 

Born Leader Dhoni
===============

હમણાં ધોની સાહેબ, તેમની આવેલી બાયોપિક બદલ ચર્ચામાં છે એટલે કેપ્ટન ધોનીને લઈને જે જે વિચારો છે એ રજુ કરવાની ઈચ્છા છે. (હું એમનો ફેન છું...એ અલગ વાત છે.)

કોઈપણ વ્યક્ત જો કલાકાર હોય તો તેની કલાકારી અને માઈન્ડ સેટ જન્મજાત જ હોય છે. કઈ કળાનાં દાવેદાર છો એ ગૌણ છે પરંતુ કલાકારનું માઈન્ડ સેટ એટલે કે માનસિકતા જ મહત્વની હોય છે જે દરેક વ્યક્તિમાં નથી હોતી અને લગભગ પેદા પણ ન થઇ શકે.

લીડરશીપ પણ એક કળા છે અને લીડર પોતે એક કલાકાર. લીડરનું પણ એક પોતાનું જ માઈન્ડ સેટ હોય છે જે સમય કરતા દસ કદમ આગળ જ ચાલે છે. ધોની તેમાંના એક છે. હવે એ કેમ છે એ આગળ ખ્યાલ આવશે. લીડર ફક્ત તેના કાર્યક્ષેત્ર પૂરતાં જ કેપ્ટન કે લીડર નથી હોતા પરંતુ જીવનકાળનાં દરેક પાસમાં આવનાર દરેક પરિસ્થતિને તેઓ એક લીડરની જેમ જ ઉચિત સમાધાન તરફ લઇ જાય છે. 
હા જી, મહેન્દ્રસિંહ ધોની ઉર્ફે કેપ્ટન કુલ, ઉર્ફે માહી જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના તમામ સ્પોર્ટ્સ પસંદી લોકોનાં વખાણ મેળવી ચુક્યા છે એવા કેપ્ટન કુલ એક સફળ સ્પોર્ટ્સમેન જ નહીં સાથે એક સફળ લીડર પણ છે. 

૨૦૦૭, T૨૦ વર્લ્ડકપથી ભારતીય ટીપની કમાન સંભાળ્યા બાદ પાછું વળીને ન જોનાર કેપ્ટન કુલ પોતાના સાહસિક, ધૈર્યપૂર્ણ ઉતકૃષ્ઠ ખેલ અને માનસિકતા પ્રદર્શને ક્રિકેટ જગતના તમામ ફોરમેટમાં ભારતને સર્વોચ્ય સ્થાન અપાવ્યું છે. એટલું જ નહીં પણ ધોનીની ગણતરી વિશ્વના ટોપ ૧૦ સ્પોર્ટ્સ સ્ટાર્સમાં પણ થાય છે જેના દ્રારા એ ભારતના સૌથી મોટા બ્રાંડ એમ્બેસેડર તરીકે પણ જીવન જીવી રહ્યા છે એટલે જ લક્ષ્મીજીએ પણ પછી ક્યારેય ધોનીની જેમ ધોનીના ઘરમાંથી પાછું વળીને જોયું નથી!

કેપ્ટન કુલનાં પોતાનાં પર્સનલ/ખાનગી જીવનને જાહેર જીવનથી સલામત રાખવાના પ્રયત્નો અત્યાર સુધી સફળ રહ્યા છે. તે કારણોસર જ તેમની અન્ય ક્ષેત્રની લીડરશીપના દાખલા બહું ઓછા નજરે ચડ્યા છે. પરંતુ પોતાની બાયોપિક લોન્ચ કરીને કેપ્ટન કુલ એ એક લાંબી ગેમ રમવાનો તખ્તો તૈયાર કરી લીધો છે. 

ક્રિકેટ ભારતમાં ધર્મની જેમ પુંજાય છે અને લોકો જેમ ઈશ્વરને દિવસમાં પાંચ વખત આરતી, દર્શન અને નમાઝ માટે યાદ કરે છે તેમ જ ક્રિકેટના ચાહકો આખો દિવસ ક્રિકેટના સમાચારો સાથે કનેક્ટ રહે છે! હાલમાં જ ભારતીય ક્રિકેટમાં જે નાના મોટા બનાવો બન્યાં છે તેની જાણ લગભગ બધાને હશે જ. છેલ્લા ઘણા સમયથી ધોની એક સમસ્યામાંથી પસાર થઇ રહ્યા છે જેમાંથી નીકળવાના પ્રયાસોમાં ઘણી વખત તેઓને આકરી ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો છે. પરંતુ કેપ્ટન કુલ એ હંમેશા પોતાના જ તેમના ટીકાકારોને હંમેશા સહજ અને રમુજ અંદાજમાં બંધ કર્યા છે. 

ધોનીએ તેની બાયોપિક ઘણી વહેલી લોન્ચ કરીને પોતાની લીડરશીપ પોતાના માટે જ વાપરવાની તક ખેંચી લીધી. હજી સુધી તેંડુલકર જેવા ભગવાન સ્વરુપ માની લેવાયેલ મહાન ખેલાડીની બાયોપિક  પણ લોન્ચ નથી કરી ત્યાં ધોનીના આ નિર્ણયે લોકોમાં થોડી વિસ્મયતાતો ઉભી કરી જ હશે પરંતુ શક્ય કારણો ખ્યાલ આવ્યા બાદ ખબર પડી કે, બાયોપિક જલ્દી લોન્ચ કરવાનો ઈરાદો નેક પણ છે અને ભારતીય ટીમ માટે પણ એટલું જ જરૂરી અને ફાયદાકારક છે. 

રવિ શાસ્ત્રીનાં ભારતીય ક્રિકેટ ટીમના ટીમ મેનેજર બન્યા બાદ તેમણે પહેલુ કામ વિરાટ કોહલીને કેપ્ટન બનાવવાનો “અયોગ્ય” પ્રયત્ન કર્યો. હવે એમની મંશા કે ઈરાદાઓ શું હોય એતો એ પોતે જ જાણે, પણ એક વાત નક્કી છે કે, એક ટીમમાં બે કેપ્ટનો તો રહી જ ન શકે, એટલે ધોનીને કેપ્ટનશીપ છોડવી પડે એ સ્વાભાવિક હતું. હવે ધોની સંપૂર્ણ ફીટ છે રમત પણ દિન પ્રતિદિન ઉત્કૃષ્ટ થતી જાય છે અને કેપ્ટનશીપ પણ અવ્વલ કક્ષાની. તેની સામે ફક્ત સારી રમતનાં જોરે વિરાટ કોહલી પર ભારતીય ક્રિકેટની સંપૂર્ણ જવાબદારી સોંપવી એ મુર્ખામી ભર્યો વિચાર સાબિત થઇ શકે. કારણકે સારો ખેલાડી સારો કેપ્ટન હોય એ જરૂરી નથી. વિરાટ કોહલીમાં સારા કેપ્ટન બનવાની ક્વોલીટી હોઈ શકે પરંતુ હાલનો સમય એમના માટે ક્રિકેટની રમતમાં વધારે મેચ્યોર અને ગંભીરતા પ્રાપ્ત કરવાનો સમય છે એવું ધોનીનું સ્પષ્ટ પણે માનવું હશે. 

કોઈપણ રમતમાં કેપ્ટનની જવાબદારી ફક્ત ગ્રાઉન્ડ પર નથી હોતી પરંતુ ગ્રાઉન્ડની બહાર ટીમ સિલેકશન, મેનેજમેન્ટ, પ્રેસ મીટીંગો અને ટ્રેનીંગ જેવા વિભાગો પણ કેપ્ટનની જ જવાબદારીમા આવે છે. જેમાં એક ખોટો નિર્ણય આખી ટીમને ભોગવવો પડે છે. ધોની એ આગળ પણ ટીમ સિલેકશન વખતે એવા નિર્ણયો લીધા હતા કે જે ઘણા રિસ્કી હતા પણ એકંદરે પાક્કી ગણતરી વાળા સાબિત થયા. પોતાના પર આટલો આત્મવિશ્વાસ અને હજુ પણ આવનાર દસ વર્ષ માટેની ટીમ તૈયાર ન થઇ હોય ત્યારે પોતાના જેવો પીઠ અને અનુભવી પ્લેયર ટીમ ગુમાવે એ વ્યાજબી નથી એટલે પછી ધોની એ પ્રેસ મીટીંગોમાં ક્રિટીક્સનાં આવતા સવાલોના જોરદાર વળતા પ્રહારો ચાલુ કર્યા. પરંતુ આ બધું કર્યા છતાં પણ ડ્રેસિંગ રૂમનો માહોલ શાંત ન હતો. IPLમાં વિરાટ કોહલી કેપ્ટન તરીકે ભૂમિકા સારી નિભાવી રહ્યો છે પરંતુ હજુ પણ ભારતના કેપ્ટન બની શકે એટલી માનસિક પરિપક્વતાનો અભાવ હોવાને લીધે આવતા વર્લ્ડકપ સુધી પોતે જ ભારતીય કેપ્ટન બની રહે એ જરૂરી હતું જેથી એ ગાળામાં ભારતને આવતા દસ વર્ષ માટે પ્લેયરોને પોતાના અનુભવના છાંયડામાં તૈયાર પણ કરી શકે એટલો સમય મળી રહે.  

પરંતુ ધોનીના સંદર્ભે પરિસ્થતિઓ વિફરી જ રહી હતી અને એ ભારતીય ક્રિકેટ માટે પણ એકંદરે સારા સમાચાર ન હતા. ધોનીની કેપ્ટનશીપમાં છેલ્લી ટુર્નામેનટોમાં ભારતને સદંતર ચડતી-પડતી સામનો કરવો પડ્યો, જેથી ભારતીય ક્રિકેટ ચાહકોમાં પણ વિરાટ કોહલીના કેપ્ટન બનવાની માંગ પરોક્ષપણે ઉભી થઇ રહી હતી. હવે આ પરિસ્થતિમાં લોકોનો ધોની પ્રત્યેનો આત્મવિશ્વાસ વધે એ પણ જરૂરી હતું!

એટલે જ આ બધા વિચારોનો અને મુંજવણોનો ગુણાકાર એટલે તેની પોતાની બાયોપિક M.S.DHONI! 

ધોની એ ખરેખર પોતાની લીડરશીપ કવોલીટીનો સમયસર ઉપયોગ કરી, ભારતીય ક્રિકેટ ટીમ આવનાર વર્ષોમાં પણ હાલની જેમ જ પ્રોડકટીવ રહે એ માટે સમય પહેલા જ બાયોપિક લોન્ચ કરીને ધોનીએ પોતાની જ સ્ટાઈલમાં હેલીકોપ્ટર શોટ માર્યો છે. આ બાયોપીકથી ભારતીય ક્રિકેટ ચાહકોમાં ધોની માટે એક પોઝીટીવ વેલ્યુએશન તૈયાર થશે જે ધોની માટે કેપ્ટન બની રહેવા અત્યંત જરૂરી છે. હવે તમે જ કહો કે ધોનીની બાયોપિક અત્યારે આવે તે યોગ્ય રહે કે ૧૦ વર્ષ પછી? છે ને ચાલબાઝ લીડર! આપણાં કેપ્ટન કુલ! આ એક લીડરશીપ જેવા વિષયો માટે કેસ સ્ટડી કરવાનો મજબૂત મુદ્દો છે.

ભારતીય ક્રિકેટ ટીમ આવનાર વર્ષોમાં ધોનીની લીડરશીપથી ટુર્નામેન્ટો જીતતી રહે અને ભારતને ધોનીની છત્રછાયાં હેઠળ વિરાટ કોહલીની યોગ્યતા કેપ્ટનશીપ બાબતે વધે અને સારા પ્લેયરો મળે એવી શુભેચ્છા.

Kamal Bharakhda

સુધારો અને વિકાસ, આખરે કોનાં હાથમા?

ક્યારેક એવો વિચાર આવી જાય કે, કોઈ ત્રીજો વ્યક્તિ કે જે ભારત પર કઇંક નેગેટિવ કરવા ઇચ્છે છે અને એને જો આપણી ચર્ચાઓ બતાવી આપો તો એને આસાનીથી દુઃખતી રગ મળી જાય.

એના જ પ્રતાપે અંગ્રેજો ને હજુ પણ પાકિસ્તાનના ઓરીજીનલ બાપ કહીં શકાય. નીતિતો આખરે એમની જ હતી.

માણસ આજે છે કાલે નહીં હોય અને દેશમાં જો ખરેખર સુધારો અને વિકાસ એમ બંનેની મદાર કોઇના હાથમા હોય તો એ છે દેશની જ જનતા.

જય હિંદ.

Kamal Bharakhda

નવો શબ્દ : ચર્ચાવાત

નવો શબ્દ

" ચર્ચાવાત "

અર્થ: શાબ્દિક ચર્ચાઓનું વાવાઝોડું ;) 

એ ચર્ચા ખરાં અર્થે સાચી જ્યારે છેલ્લે એક્શન લેવાય, બાકી વાવાઝોડાં....

Kamal Bharakhda

તલાક... તલાક... તલાક.....?

તલાક જેવા મુદ્દા પર જો મુસ્લિમ બહેનોના જીવનને ગંભીર અસર કરતી સમસ્યાનો ઉકેલ જો ભારતના તમામ સમાજો ભેગા મળીને ન કરી શકે તો તલાકનો મુદ્દો એ મુસ્લિમ સંપ્રદાયનો પર્સનલ થયો......!

જો આપણે ભેગા મળીને સમસ્યા સોલ્વ ન કરી શકીએ તો સામે વાળાને એકલા પાડીને સમસ્યાનું સમાધાન ક્યારેય નહીં મળે.....!

જો ખરેખર મુસ્લિમ બહેનોને તકલીફ હોય એમની પોતાની જ સીસ્ટમથી તો એ સર્વોચ્ચ ન્યાયલય જવા કરતા તમામ ભારતીય સમાજને અપીલ કરે....!

અને જો, છતાં પણ જે તે સમાજોના મોભીઓ અને જનગણ દ્વારા સોલ્યુશન ન આવે તો સમજી લેવું કે પરીસ્થ્તી બધે જ સરખી છે. કોઈને બદલાવમાં ઈચ્છા નથી. બસ વાતો કરવી છે.

મોજનું મીટર

લાગે છે "મોજ" કેટલી છે, એનાં મીટર બનાવવા પડશે... ;)
જેને પૂછો, કેમ છે! એટલે એ ધડ દઇ ને કહે કે, " આજે તો મોજમાં!"
મીટર આવ્યાં બાદ લોકો એક બીજાને એમ પૂછશે કે, " હું બાપુ, આજે કેટલા પોઇન્ટ છે"
બાપુ કહેશે, " અલ્યા આજે મોજ એ તો બોવ કરી...200 પોઈંટનો રેકોર્ડ તોડી નાખ્યો, ભાઈ ભાઈ "
Hahahahah મોજમાં રહો.
Kamal Bharakhda

ચર્ચામાં ભદ્રતાંનું મહત્વ

કોઈ વસ્તુનો ઉપહાસ કરવો અને તેની સમજણ આપવી એ લગભગ એક જ વસ્તું છે. એક ટીકા તરીકે લેવાય અને એક જ્ઞાન તરીકે લેવાય.

બન્ને વચ્ચેની જે પાતળી લાઇન છે અને એ છે ભદ્ર ભાષાની.

ભાષા જેટલી વ્યવહારિક વાપરો....રિએક્શન એટલાં જ સારા આવશે પછી ભલેને કહેનારનો ઈરાદો કેવો પણ કેમ ન હોય.

Kamal Bharakhda

તા. ક. બુદ્ધિશાળી અને સમજુ વ્યક્તિ તેની ભાષાનો ગુલામ હોય છે જ્ઞાનનો નહીં.

સ્ત્રી, મહાશક્તિ અને બંધન

હું = માતાજીના ઘણા મોટા ભગત લાગો છો તમે?

એક ભાઈ (વડીલ મિત્ર) = જી હા! ખુબ શ્રદ્ધા છે.

હું = કેમ, તમને એક સ્ત્રી તત્વમાં એટલી બધી શ્રદ્ધા છે?

એક ભાઈ = જી, માતાજીમાં પરમ શક્તિ છે. એ તમામનાં દુઃખ દુર કરશે.

હું = હા એ વાત બરાબર. પણ, તમને ખબર છે તમે જે માતાજીના ભગત છો એ સ્વતંત્ર નથી અને એક પુરુષ તત્વના ભગવાને એમને બાંધી લીધા છે. એટલે હવે એ કોઈનીયે મદદ કરી શકે એટલા પણ સ્વતંત્ર નથી રહ્યા.

એક ભાઈ = આ શું ધડ મુળ વગરની વાત કરો છો કમલ ભાઈ તમે. એ શક્તિ છે. એ કોઈના બંધાયે બંધાઈ શકે?

હું = હા, કેમ નહીં જેમ તમે બાંધીને રાખો છો એમ.

એક ભાઈ = (મારી નાખવાના મુડમાં) તમે તમારું કામ કરો! અમારી ઈજ્જત અમારા હાથમાં જ છે. તમારે જે કરવું હોય એ કરો.

હું = અરે હું તહેવારમાં આનંદ લેવાની વાત કરું છું. આતો મારા મમ્મી કહેતા હતા કે તમારા ઘરની સ્ત્રીઓને ગરબામાં આવવાની ઈચ્છા ઘણી થતી હોય તમે આવવા નથી દેતા. તમારા કારણો જે પણ હશે એ ચોક્કસ અને યોગ્ય જ હશે, પણ એ નિયમો જ્યાં ચાલતા હોય ત્યાં જ રાખવા.

એ ભાઈ = હું સમજ્યો નહીં? જ્યાં ચાલતા હોય ત્યાં જ રાખવા એટલે?

હું = તમે અહિયાં મુંબઈમાં પોતાની સંસ્કૃતિનાં પ્રચાર માટે આવ્યા છો કે, કમાવા?

એ ભાઈ = જે કહેવું હોય એ સીધે સીધું કહો.

હું = અરે તમે ગુસ્સે ન થાઓ. મને એટલું કહો કે, ગુજરાતી તમારી ભાષા નથી છતાં તમે મારી સાથે ગુજરાતીમાં વાત કેમ કરો છો? સમય અને જગ્યા મુજબ બદલાવ આવવો એ સ્વાભાવિક છે. તમે જો સ્ત્રીની સ્વતંત્રતા છીનવી લેશો તો એ તમને એક જવાબદારી જ માનશે. કારણ કે, તમારા માટે તમારી સ્ત્રી જ સાચું તત્વ છે. એ છે એટલે તમે તમારા સમાજમાં અને ધંધામાં આગળ છો. કારણ કે એ તમારી બીજી ઘણી બધી જવાબદારીઓ મૂંગા મોઢે સંભાળીને બેઠા છે. તો એ તમારી જવાબદારીમાં પણ આવે છે કે તમે એમને એટલી તો છૂટ આપો કે જગ્યા અને સમય પ્રમાણે એ બધાની સાથે ભળી શકે. તમને એમના પર શંકા હોય તો આવી રીતે ગામ મુકીને આવવાની જરૂર જ ન હતી. જો એ નીચે ન આવી શકતા હોય તો તમારે પણ આવવાની જરૂર નથી. અને તમને જોઈએ છે એ બધું એ જ સ્ત્રી તરફથી તમને મળે છે તો પછી તમને માતાજી પાસે હજી શું અપેક્ષાઓ છે એ મને કહો?

ઉપરનો સંવાદ મારા અને એક નોન ગુજરાતી વડીલ મિત્ર સાથે થયો હતો. તેઓ અમારા બિલ્ડીંગમાં જ રહે છે. હમણાં નવરાત્રી ચાલે છે એટલે તેઓ એક પંડિતજીને બોલાવે છે અને રોજ આખે આખા બિલ્ડીંગને સંભળાય એ રીતે જોર જોરથી માતાજીની સ્તુતિ કરે છે.

એમના પત્ની એક સુખી ઘરના શિક્ષિત વ્યક્તિ છે. અમારા બિલ્ડીંગમાં થતા નવરાત્રીના ગરબામાં દરેક લોકો હાજરી આપે છે. એ ભાઈ પણ આવે અને બીજા એમના જ પ્રાંતના એક ભાઈ રહે છે એ પણ આવે. પણ ક્યારેય એ લોકો એમની પત્નીને નીચે થતા ગરબામાં ઇન્વોલ્વ કરતા નથી. મારા મમ્મી એમને એકવાર એ બેનને ગરબા માટે બોલાવ્યા તોય એ ભાઈ એ મારા મમ્મી સામે જ એમની પત્નીને નાં પાડી દીધી!

કારણ તો શું હોય એ તમે અને હું બધાય સમજી જ ગયા છે. પણ આવી રીતે બાંધીને રાખવાની વિચારધારા એક જાનવર માટે જ હોઈ શકે. હવે જે શાક્ષાત સ્ત્રી રૂપી તત્વ ઘરે છે એમણે તમે બાંધીને રાખો અને એજ તત્વની સ્તુતિ તમે કરે રાખો એ કેટલી વ્યાજબી?

આ મુદ્દે મારે વધારે તો નહોતું લખવું પણ સીઝન ચાલે છે એટલે લખાઇ ગયું. એ ભાઈ સાથે વધારે થોડી દલીલ થઇ પણ આખરે ગઈ કાલે સહપરિવાર નીચે ગરબા જોવા આવ્યા.

આખરે એજ તો સાચી સમજણ છે.

Kamal Bharakhda

ચમત્કાર એટલે આંતરિક શક્તિઓ કે પછી ધતિંગ?

થોડી જૂની થઈ ગયેલી વાતને ફરી લાવવાનો પ્રયાસ કરૂ છું. જોકે મારી આ પોસ્ટ પહેલા એક કમેન્ટ જ હતી પણ રાજુજી એ મને સ્વતંત્ર પોસ્ટનો વિષય કહ્યો એટલે આ પોસ્ટ તૈયાર કરીને અહિં મુકું છું.

મધર ટેરેસાને સંતનુ બિરુદ જે સ્ટેન્ડ પર મળ્યું એ બાબતે અડ્ડામાં ઘણી ચર્ચા થઇ અને છેલ્લે સામે આવ્યું કે, "ચમત્કાર" એ ફક્ત આડંબર અથવા લોકોને મૂરખ બનાવનાર ધતિંગ જેવું છે. બની શકે લોકો આડંબરને જોઇને જ સમજી જતા હશે પરંતુ તે વિષયમાં દરેક વિદ્યા આડંબર નથી હોતી. વ્યક્તિની દાનત ધતિંગ કરવાની હોય શકે પણ વિદ્યા પોતે ધતિંગ તો ન જ હોય!

જે પણ ધાર્મિક સમુદાયે મધર ટેરેસાને સંતનું બિરુદ આપ્યું તેઓનું એવું માનવું હશે કે, પોતાની આંતરિકશક્તિઓનાં બળે જે વ્યક્તિ "માણસાઈ "માટે અસામાન્ય કાર્યો કરી શકે એ ખરેખર પૂજનીય અને વંદનીય ''અસામાન્ય'' વ્યક્તિ જ હોઇ શકે જેને તેઓ સંત તરીકે ગણે છે. આપણી માન્યતાઓ અને એમની માન્યતાઓ સંત શબ્દનાં બંધારણે સરખી જ હોય એ માની લેવું પણ એક માન્યતા જ છે.

આપણી માન્યતાઓ મુજબ, ભારતમાં સંત એટલે ફક્ત આધ્યાત્મ અને ધર્મ, જોકે એ સત્ય પણ છે કારણ કે, સદીઓ પહેલા આપણાં સંતો એ વિજ્ઞાનને સમજીને આગળ વધ્યા હતાં અને છેલ્લે એમનાં વિચારો ફિલ્ટર થઇને "આત્મા" અને "જીવની પરમ શાંતી" જેવાં માઈલસ્ટોન પર આવીને અટકી ગયાં. આપણાં સંતો અને વિશેષજ્ઞો જ્યારે પ્રાચિન ભારતીય સંસ્કૃતિ માટે વિજ્ઞાન, ચિકિત્સા અને સિવિલ જેવા વિષયો પર રિસર્ચ કરી રહ્યાં હતાં ત્યારે પશ્ચિમ સંસ્કૃતિ હ્જી કાચું માંસ ખાતી હતી. આપણે આગળ વધ્યાં અને તેઓની માનસિક ઉત્ક્રાંતિ હવે જઇને આધ્યાત્મ ઉપર આવી છે જે આપણે સદીઓ પહેલા સમજી ગયેલાં. ( હું કોઈને પણ મહાન સાબીત કરવાનાં પ્રયાસમાં નથી.)

બીજો એક પોઇન્ટ, પ્રાચિન સંશોધનો જ આધુનિક સંશોધનોનાં પિતામહ છે પણ લોકોનાં માનસપટ પર આધુનિક વિજ્ઞાન અને તેમનાં સંશોધનો જ અસર બતાવે છે. જેમ ઇતિહાસમાં આપણી સંસ્કૃતિની અસર એમનાં માનસપટ પર હતી એટલે જ તુર્કીનુ કોનસ્ટન્ટિપોલ બંધ થતાં જ એ લોકોને ભારત આવવા માટેનાં બીજાં માર્ગો ગોતવા નીકળવું પડ્યું. તેનાં કારણો સ્વાભાવિક છે. બસ એ મનોવૈજ્ઞાનિક ઇફેક્ટને લીધે આપણે ભારતીયો એવું માનીએ છીએ કે તેઓ રિસર્ચ કક્ષાએ ઘણાં સમૃદ્ધ છે. પરંતુ એવું નથી. (હજું આગળ લેખ ઘણો મોટો અને રસપ્રદ છે. અત્યારે સાબીત કરીશ તો વધારે લાંબો થઇ જશે. )

આપણાં માટે આંતરિક શક્તિઓનો ઉપયોગ નવી વાત નથી. ભારતમાં સદીઓ પહેલા કહેવાતા સંતો અને મહાનુભાવોએ પોતાની આંતરિક શક્તિઓનાં પ્રતાપે પ્રાચીન વિજ્ઞાનનાં ક્ષેત્રે જે જે માઇલ્સટોન ઉભા કર્યા છે તેનાં જોરે જ પશ્ચિમ જગત આધુનિક વિજ્ઞાન ઉભું કરી શક્યું છે. બની શકે આપણે એ ચમત્કાર અથવા અસામાન્ય વિદ્યાને સમજી શકતા હોઇએ પરંતુ ફક્ત આધુનિક અને પ્રત્યક્ષ અવલોકનોનાં આધારે જ આગળ વધેલા એ પશ્ચિમી સંસ્કૃતિના લોકો માટે ચમત્કાર ફક્ત શબ્દપ્રયોગ જ હોઇ શકે છે. અરે સાહેબ, યોગ અને ધ્યાન, કે જે આંતરિક શક્તિઓને ઉત્પન્ન કરનાર છે તેની ઓળખાણ જ સમગ્ર જગતને ભારતે કરાવી છે.

પશ્ચિમ જગત આધુનિક વિજ્ઞાનનાં ઘડવૈયા છે અને સ્વાભાવિક છે તેઓ ચમત્કાર જેવા વિજ્ઞાનમાં ન જ માને કારણકે આંતરિક શક્તિઓ તેમનાં માટે હજુ પણ કાલ્પનિક કથા સમાન જ છે. જ્યારે હાલનો ભારતીય સમાજ પશ્ચિમની જ સમજ પર ઉભો થયો છે એટલે એમની માન્યતાઓ એ આપણી પણ માન્યતાઓ.
એક ભગવાન, એક કથા, અમુક સાંસારિક જીવનની સલાહો અને વાતે વાતે લોકોની સામે આંખ બંધ કરીને બેસી જવાની આવડત! બસ આટલી વસ્તું ભેગી કરો એટલે ભારતમાં સંત તૈયાર. (આવું હું નથી કહેતો.... લોકો જ આવુ માને છે.) પશ્ચિમમાં આ આવડતો મનોવૈજ્ઞાનિક પાસે હોય છે.

ભારતનાં સફળ અને ઐતિહાસિક સાધુ, સંતો અને વ્યક્તિ વિશે થોડી વાત કરૂ.

ખુર્શીદ બાટલીવાલા (બાવા)નું એક વક્તવ્ય સાંભળ્યું હતું. તેમાં એમણે નક્ષત્રો અને ગ્રહોનાં પરિભ્રમણ જેવી માહિતી નરી આંખે આપતાં સાધુ સંતોની વાત કરી હતી. ત્યારે એમનો મુદ્દો એ લોકોની આવડતને ચમત્કારમાં ફેરવવાનો ન હતો. પરંતુ તેઓ એ સાબિત કરવા માંગતા હતા કે ઉચ્ચ કક્ષાનાં યોગ અને ધ્યાન જેવી માનસિક અને શારીરિક કસરતોથી ત્યારનાં લોકોએ એવી એવી આવડતો પામી લીધી હતી કે જે અત્યારના હાઈ એન્ડ ટેકનોલોજી જ ફક્ત એમના જેવું રીઝલ્ટ આપી શકે. હવે એ આવડત કહો કે વિદ્યા એમના માટે સામાન્ય હતી. પરંતુ એક રીતે જોવા જઈએ તો એ સામાન્ય વ્યક્તિ કે જે પોતાની સંગ્રહિત બુદ્ધિથી જેટલું તારણ કઢી શકે એ અનુસાર એ આવડત એમના માટે ચમત્કાર ગણી શકાય. જેમકે, નાડી પકડીને ઈલાજ કરતા હકીમ અને વૈદ્યોની આવડત મારા માટે ચમત્કારિક જ છે.

ભારત 2000 વર્ષોથી લોખંડને કાટ રહિત બનાવવાની પ્રોસેસનાં જાણકાર પણ છે અને જન્મ પણ આપ્યો છે, અને ઉપયોગ પણ કરતાં આવ્યાં છે. અશોક સ્તંભ તેનો દાખલો છે. વાસ્કૉ-દ-ગામા સાઉથ આફ્રિકાથી નિરાશ થઇને ભારતની ખોજનો પ્રયાસ પૂરો કરવાનાં હતાં ત્યારે જ એમને ભારતીય વેપારીઓએ ભારત આવવાનો રસ્તો બતાવ્યો હતો. પશ્ચિમમાં ત્યારે એવું માનવામાં આવતું હતું કે વાસ્કૉ-દ-ગામાનું જહાજ વિશ્વમાં સૌથી મોટુ હતું પરંતુ જે વેપારીઓ એ એમને ભારતનો રસ્તો બતાવ્યો હતો તેમની પાસે વાસ્કૉ-દ-ગામાનાં જહાજ કરતાં 12 ગણા મોટાં અને એક નહીં પણ એવાં 4 જહાજો હતાં! (મેસ્સિવ કન્સ્ટ્રક્શનનો નમૂનો અને તેં પણ સામુદ્રિક વિજ્ઞાનમાં! કે, જેમાં અતીસુક્ષ્મ વિજ્ઞાનની સમજ જરૂર પડે છે.)

મારું પોતાનું એ માનવું છે કે, “વ્યક્તિની દ્રષ્ટી અને આવડત તેના દ્વારા નક્કી કરાયેલ ઓબ્જેક્ટ પર નિર્ભર છે”. પહેલા ઓબ્જેક્ટ ઘણાં ઓછા હતા અને તેની સામે તકલીફો વધારે હતી એટલે શંશોધનોની જરૂરિયાતો પણ વધારે જ હતી. હવે એ એક જ ઓબ્જેક્ટ પર વારંવાર રીસર્ચ અથવા તત્વ ચિંતન કરવાથી એક સમય એવો આવે છે જયારે ઓબ્જેક્ટ અને વ્યક્તિ બંને એક થઇ પડે છે. પછી તે વ્યક્તિ એ ઓબ્જેક્ટ સાથે એટલો કનેક્ટ થઇ જાય છે કે સવાલ જવાબનાં દરેક દરવાજા ખુલા થઇ રહે. (આ પરિસ્થતિ દરેકનાં જીવનમાં કોઈનાં કોઈ મુદ્દે જરૂર અનુભવાતી હોય છે. તેના કારણો વિચારવા જશો તો નહીં મળે પણ કઇંક અજુગતું પોતાના કંટ્રોલમાં આવી રહ્યું છે એવો ભાસ થયા રાખે છે જે આપણા માટે પણ પ્રશ્નાર્થ ચિન્હ જેવું જ હોય છે. પરંતુ બસ એજ ક્ષણ ને આપણે ચમત્કાર અથવા જાદુ જેવા શબ્દો સાથે બિરદાવી આપીએ છીએ!)

અત્યારના સમયમાં લોકોની દિનચર્યા અને સંગતને જોઈને ફક્ત એટલું જ સમજમાં આવે છે કે, લોકો પોતાની બાહ્ય પાંચ ઇન્દ્રિયોનો (આંખ-કાન-નાક-જીભ-ચામડી) પણ ઉપયોગ કરી શકતા નથી. હવે આપણે જે જે પરિસ્થ્તિઓને ચમત્કારમાં ગણીએ છીએ એ ચમત્કાર નથી પરંતુ મારા મત મુજબ એ વ્યક્તિની "છઠ્ઠી ઈન્દ્રિય" નો કમાલ છે. જે કાર્ય કરવા માટે છઠ્ઠી ઇન્દ્રિયોની જરૂર પડે તેને મોટે ભાગે ચમત્કારનું લેબલ ચોંટાડી દેવામાં આવે છે. જોનાર અને સમજનાર પોતાના મત અને બુદ્ધિ પ્રમાણે જ અનુમાન કરશે. હાં ચમત્કારના નામે ધતીંગો પણ થતા જ આવ્યા છે પરંતુ તે ધતીંગોમાં પણ જોનાર સમજનારની નબળાઈઓ કરતા એ આવડત વધારે મહાન હોય છે. દાનત બાજુ પર મુકીએ ત્યારે ખ્યાલ આવે કે કોઈ પણ વિસ્મય પમાડે એવી વિદ્યા ચમત્કારમાં જ ગણાતી હતી. હવે શિક્ષણમાં એ લેવલ નથી રહ્યું. હવે સમાજની રચનાનાં હિસાબે લોકો પાસે શારીરિક અને માનસિક શસ્ત્રોનો ઉપયોગ કરી કોઈ પણ વિદ્યા મેળવવા જેટલી માનસિકતા જ વધી નથી.

હું માનું છું એમ ચમત્કાર શબ્દનો પ્રયોગ નેગેટીવ છે. હું એરોનોટીકલ એન્જીનીયર છું એટલે કોમર્સના વિદ્યાર્થી માટે એરોફોઈલ અને શોકવેવ ડીઝાઇન મિથ્યા જ છે. તેના પ્રમાણે હું ચમત્કારિક સાબિત થયો. ;)

મધર ટેરેસાને સંતનું બિરૂદ આપનાર લોકો પાસેથી એવી અપેક્ષા રાખું છું કે, તેમનાં માટે ચમત્કાર શબ્દનો સમાનાર્થી ધતિંગ તો નહીં જ હોય પણ આપણે માની બેસીએ એમાં વાંક આપણો.

Kamal Bharakhda

સ્ત્રી, દેશ અને અભિપ્રાય

એક સ્ત્રી વગર જો ઘર ઉન્નતિ ન પામી શકે તો,
લગભગ 50% સ્ત્રીઓની વસ્તી ધરાવતાં આપણાં દેશમાં સ્ત્રીઓની માનસિકતાનો, એમની દીર્ઘ દ્રષ્ટિનો, એમની નૈતિક માંગ અને એમનાં અભિપ્રાય આધારિત નીતિઓ નહીં બને ત્યાં સુધી એમને તો ન્યાય નહીં જ મળે અને દેશને પણ કોંક્રિટ ઉન્નતિ નહીં જ મળે.

એક તમામ વર્ગનો અસંતોષ પૈડાં વગરની ગાડી જેવો જ છે, જેમાં ભલેને ગમે તેવી વ્યવસ્થા કેમ ન હોય પણ દેશની ગાડી ક્યારેય આગળ ન વધે.

Kamal Bharakhda

પેરેન્ટ, બાળક અને ભવિષ્ય

મેં એવું સાંભળ્યું છે કે, ડેવલપ દેશોમાં 18 વર્ષ પછી પેરેન્ટ્સ તેનાં બાળકોને પોકેટમની આપવાનું બંધ કરે છે. ખરૂં કે ખોટું?

ચાલો જે પણ હોય પણ એ પ્રથાના ફાયદા ઘણાં છે.

જેમકે પોતાની પોકેટમની માટે બાળક જે પણ પાર્ટ ટાઈમ જોબ કરે છે તેનાં પરથી તેને એ ફાઉન્ડેશન વાળી ઉંમરમાંજ તેને ઘણીખરી દુનિયાદારી સમજાઈ જાય છે. મોટા ભાગે તો તેને ખ્યાલ આવી જાય કે આ બધામાં મહેનત કરવાં કરતા આપબળે ભણી લેવું સારૂં.

એટલે એ છોકરો સીધો એ પ્રયત્ન કરશે કે, મને ગમે છે શું અને હું કેમ કરીને જલ્દીથી જલ્દી મારૂં ભણતર પુરું કરીને મારી તમામ જવાબદારીઓ હું પોતે જ લઇ શકું એટલી સક્ષમતા આવે.

આ ખરેખર વ્યક્તિગત રીતે એપ્લાય કરવા જેવો મજબૂત આઈડિયા હોઇ શકે.

એ બાળક તેની જાતે જ પ્રોબ્લમ સોલ્વ કરતા શીખશે...અને જે વસ્તું અત્યારે ભારતમાં ગ્રેજ્યુએટ થયાં પછી વિચારવાનું ચાલુ કરે અને અંતે લાઇન બદલે એ લાઇન લીધાં પહેલાં જ થસે.

આવું મારૂં માનવું છે. તમારાં બધાનાં વિચારો જાણવા છે.

Kamal Bharakhda

સ્વચ્છ ભારત

સ્વચ્છતા તરફ નીકળવાના અમુક નિયમો

1. રસ્તો , કચરા પેટી નથી કે થૂંકદાની

2. જે ભાઇઓ બહેનો સાફ સફાઇ ના દિવ્ય કાર્ય મા લાગ્યા છે એમને આપણાં મા બાપ જેવું સ્થાન આપવું જોઈએ.. કારણ કે બાળપણમાં જ્યારે આપણે અસમર્થ હતાં તયારે આપણાં મા બાપ જ કચરો ઉપાડતા હતાં.

3. સરકારને અપીલ કરીએ કે એમને તકલીફ ન પડે એટ્લે એમને મદદ લાગતી પિટિશન પર સાઈન કરીએ જેથી સરકાર તુરંત જ એક્શન લે.

ગાંધીજી, આંબેડકરજી અને દલિત મુદ્દો

ગાંધીજીની દલિત વર્ગ માટેની વિચારધારા જે સમજવા મળી અને એ જાણી દુઃખ થયુ. પરંતુ મારે એક વાત કરવી છે. મને સમજવાનો પ્રયત્ન કરશો.

જો પૂજ્ય બાબા સાહેબ આંબેડકરજી પોતે "દલિત" ન હોત તો શું એમને દલિત વર્ગ માટે ઝુંબેશ ચલાવી હોત ?

જો તમારી પાસે મારા ઉપરના પ્રશ્નનો જવાબ ન હોય તો.... તો.... તો......

આપણાં માંથી કોઈને હક નથી એ બોલવાનો કે, ગાંધીજી એ દલિતો સાથે ત્યારે અન્યાય કર્યો.

જય હિંદ.

Kamal Bharakhda

Cleanness

Cleanness brings Emotions
Emotions brings Discipline
Discipline brings Accuracy
Accuracy brings Success
Success brings Nation Ahead.

Cleanness is not a small step it's a key.

Let's be with it.

Kamal Bharakhda

પાકિસ્તાની કલાકારો મુદ્દે ભારતની રોક કેટલી વ્યાજબી ?

જયારે હું ૭માં ધોરણમાં હતો ત્યારે અમે ૩ વર્ષ પૂરતા સુરત શિફ્ટ થયા હતા. આજે સવારે Hindustan Timesમાં પાકિસ્તાન કલાકારો પર સૈફ અલી ખાનની કમેન્ટ વાંચ્યા બાદ એકાએક સુરત રહેતા હતા ત્યારનો એક સંવાદ યાદ આવી ગયો. 

Page No. 14, Hindustan Times, Mumbai
Saturday, October 01, 2016

મારી મમ્મીને ત્યાંથી કોઈ એમના સ્નેહીજન અમારા ઘરે આવ્યા હતા. સુરત એમને કઇંક બે-ત્રણ દિવસનું કામ હશે એટલે અમારે ઘરે જ રોકાયા હતા. અમારે અમારા પડોસનાં પટેલ અંકલ સાથે ખુબ બનતું. એમના બાળકો પણ અમારા જ જેવડા હતા. ક્યારેક આખો આખો દિવસ અમે એમના ઘરે હોઈએ અને ક્યારેક એ લોકો અમારા ઘરે આખો દિવસ પસાર કરે. મહેમાન હતા ત્યારે જ એક વખત અંકલે તેમને ત્યાં જમવાનું રાખ્યું. જમીને પાછા ફરતી વખતે એમણે મારા મામીને કહ્યું કે, તમારા જેવા પડોશના વ્યવહાર મેં હજી સુધી નથી જોયો. કેટલી બધી આત્મીયતા!

અમારી પટેલ અંકલ સાથે સારા સબંધોની શરૂઆત પણ અમે બધા બાળકો એ જ કરી હતી. અમે શરૂઆતમાં ભણવાના લીધે એક બીજાના ઘરે જવાનું શરુ કર્યું. અને સબંધો પછી ધીમે ધીમે આગળ વધ્યા. વ્યવહારમાં ન મારા પરિવારને કઈ કહેવું પડે કે ન તે અંકલની ફેમેલીને. દંભ વગરનો એક અલગ પ્રકારનો સબંધ ડેવલોપ થઇ ગયો હતો. 

બસ એજ આખો સિનારિયો મને યાદ આવી ગયો, આજે સવારે જયારે મેં સૈફ અલી ખાનની કમેન્ટ વાંચી અને લાગ્યું કે ખરેખર એ જ તો સત્ય છે. જ્યાં સુધી એક બીજા દેશોના વ્યક્તી એકબીજાના દેશમાં આવીને ભળશે નહીં,એક બીજાને સમજશે નહીં અને એક બીજાને કામ નહીં આવે ત્યાં સુધી કોઈને પણ એક બીજાની વેલ્યુઝની ખબર પડવાની નથી. બસ આમને આમ ચાલતું રહશે. 

થોડા સમય પહેલા નવાઝ શરીફ વિષે કઇંક વાંચ્યું હતું. તેઓ એક અતિ બુદ્ધિશાળી, સ્વતંત્ર અને લિબરલ પ્રકૃતિનાં વ્યક્તિ છે. જેના લીધે જ મોદીજી પણ એમને મળવા ઉત્સુક થયા હતા. પરંતુ હાલમાં જ શરીફનું જે વર્તન છે એ એમનુ પોતાનું છે જ નહીં. તેઓ કઠપૂતળી છે એમના સમાજની અને જેહાદી સંગઠનોના મોભીઓની. ફક્ત સરિફ નહીં પરંતુ તમામ પાકિસ્તાની રાજકીય પક્ષો એ લોકોના નીચે જ બેશે છે. 

જેવા વિચારો ભારતમાં પાકિસ્તાનીઓને લઈને છે તેનાથી પણ વધારે પાકિસ્તાનીઓ આપણા વિષે વિચારે છે અને એ પણ નેગેટીવ. આજે શરીફ સેજ પણ ભારતનાં પક્ષમાં આવવાનો પ્રયાસ કરે તો તે જેહાદી સંગઠનો શરીફ અને એમની પાર્ટીને પાકિસ્તાનના અડધી બુદ્ધિનાં લોકો સામે તેમણે ભારતના પીઠ્ઠું કહીં ને ઈમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે. હવે સ્વાભાવિક રીતે પાકિસ્તાનને ભારત સાથે સબંધોમાં સંતુલિતતા જળવાઈ રહે એવાં કોઈપણ પ્રયાસો શરીફ કરવા જાય તો એમણે જનતાના દ્વેષનો સામનો કરવો રહ્યો. જે ટેકનીકલી રાજકીય દ્રષ્ટિ એ યોગ્ય નથી. ઠીક છે આગળ વધીએ. 

તો મુદ્દે અત્યાર સુધી સમજવા એ મળ્યું કે, કોઈપણ બે મોટી એન્ટીટીને ભેગી કરવા માટે શરૂઆત તેના નાનામાં નાના એકમથી જ કરવી પડશે. દેશનો એકમ એની જનતા હોય છે. જ્યાં સુધી વિચારો અને લોકોની આપ-લે નહીં થતી રહે ત્યાં સુધી દરેક દેશની જનતા એકબીજાને સમજ્યા વગર વાહિયાત કમેન્ટ આપતી જ રહેશે અને તેની સીધી અસર એ બંને દેશોના સબંધો પર પડશે. તો અંતે તો સમજવાનું આપણા એકબીજાને જ થયું. આવી રીતે કલાકારોને અટકાવી ને સબંધોમાં સુધારાની અપેક્ષા લગભગ શૂન્ય થઇ છે. 

જોકે ભારતે અત્યાર સુધી એવાં પ્રયત્નો પણ કર્યા છે કે કલાકારો થકી બે દેશ જોડાઈ રહે. પરંતુ હવે ઈરાદા બદલાયા હોય તો કઈ કહીં ન શકાય. બાકી જો હજુ પણ ભારતનો એજન્ડા પાકિસ્તાનને સુધારવાનો જ હોય તો ઉપર જણાવેલ પ્રયાસો આદરવા જ રહ્યા. બાકી તો જય જગન્નાથ. 

જય હિંદ. 

Kamal Bharkahda

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો