સકારાત્મકતા, ઉત્સાહ અને ભારત

ભારત એ POKની હદમાં આવીને જે સર્જિકલ મુવમેન્ટ કરી તેના માટે તમામ એક્ટીવ કમિટી, સેના અને મુવમેન્ટ પર ગયેલા જવાનોને આભાર. હા એક સુચના....આ પોસ્ટમાં આપણી સેના, મોદીજી અને પક્ષોને ચર્ચામાં નહીં લાવું. કારણ કે હું જે મુદ્દા પર વાત કરવા જઈ રહ્યો છું એ આ બધાથી અલગ અને ઉપરનો મુદ્દો છે.

અને એ મુદ્દો છે ભારતીય જનતાનો પોતાની જ ક્ષમતા પર પાછો ફરેલો વિશ્વાસ. એક આનંદ છે આપણા બધામાં આજે સવારથી જ. એ આંનદ શેનો છે એ કોઈ તેનું વિશ્લેષણ કરી શકે? કોઈપક્ષનાં નેતા એ કૈંક અલગ કર્યું એટલે છે? ના, શું આપણા સૈનિકો એ આ કાર્ય કર્યું એનો છે? નાં. શું ભારતે પાકિસ્તાનને જવાબ આપ્યો એનો છે? ના. તો?

ગઈકાલની મુવમેન્ટથી ભારતની જનતાને પોતાના જ વજુદ પર પુનઃવિશ્વાસ આવ્યો છે. આપણા બધાને એક વિશ્વાસ બેસી ગયો કે, આપણે પણ જવાબ આપી શકીએ છીએ. અત્યાર સુધી ફક્ત સાંભળેલા દાખલાઓ જયારે નજર સામે શક્ય બનતા જોઈએ અને એ પણ આપણા જ લોકો દ્વારા થયેલા હોય ત્યારે કોઈપણ રાષ્ટ્રની જનતામાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના અને ઉત્સાહમાં ધરખમ વધારો થાય છે અને એ પણ એક લાંબા ગાળા સુધી દેશની જનતાને દેશના માળખા પર વિશ્વાસ બેસે છે.

ગઈકાલનાં જેવી મુવમેન્ટસને મનોવૈજ્ઞાનિક પણે સમજવા જઈએ તો ખ્યાલ આવે કે, તે ઘટના રાષ્ટ્રના તમામ નાગરિકો પર બહુ જ મોટી અને અમર પોઝીટીવ અસર છોડી જાય છે. જે જરૂરી છે કોઈપણ નાગરિકની પોતાના રાષ્ટ્રના હિત માટે. રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી અને ભાવનાત્મક જોડાણ જેવા એલિમેન્ટસ નાગરિકોની રોજબરોજની પ્રાથમિકતામાં આવી જાય છે. જે ઘણું અઘરું કાર્ય છે.

બસ આ જ તો કરવાનું છે. ભવિષ્યમાં આવનાર તમામ લીડરોને એક પ્રાર્થના કે, પોતાના દેશ માટે જનતાનો ઉત્સાહ આવો ને આવો જ જળવાઈ રહે એજ દિશામાં પ્રયાસો આદરે.

જય હિંદ

કમલ ભરખડા.

કડવું જરૂરી છે, મિત્ર!

જેમ કડવો ખોરાક પેટ સાફ કરે, તેમજ

સાંભળેલા કડવાં શબ્દો આપણી જીભ સાફ કરે,

કડવી વાસ્તવિકતાઓનું આત્મજ્ઞાન વિચારો સાફ કરે,

અને......

કડવાં અનુભવો આવનાર પ્રયત્નોમાં સુધારો કરે છે.

By Kamal Bharakhda

જાતિવાદ એક ગ્લોબલ સમસ્યા છે.

દુનિયામાં તમામ લોકો ક્યાંક ને ક્યાંક જાતિવાદનાં કિચડમાં ઓળઘોળ હોય જ છે. અને એ વાતમાં મારી સહમતી હોવાના કારણો રજુ કરવાં માગું છું. દેવદત્ત પટનાયકના એક શો માં એમણે જાતિવાદ પર ખૂબ સરસ સમજણ આપી હતી.

એમણે કહ્યું હતુ કે, જાતીવાદીપણું એક માનવીય સ્વભાવ છે. જેમ ભુખ લાગતાં આકૂલ વ્યાકુળ થઈ જવાય છે તેમજ સામાજિક પ્રાણી એવાં માણસમાં તેની પોતાની કોઇપણ પરિસ્થતીમાં બીજાથી અલગ હોવાની માનસિકતા જ ખરી જાતિવાદ છે.

જાતિવાદ એટલે દલિત-સવર્ણની માથાકૂટ જ નહીં પણ અમીરી-ગરીબી, હોશિયાર-સામાન્ય વગેરે વગેરે..

જેમ ભારતમાં જે પ્રમાણે જાતીવાદ છે તે બધાને ખ્યાલ જ છે પણ જાતિવાદ એ વૈશ્વિક સમસ્યા છે. માનવામાં ન આવ્યુ ?

જી હાં, જે પણ વ્યક્તિ અમેરિકા કે બીજા દેશોમાં ભણવાના કે નોકરીના સપના જોવે છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ પણે જાતિવાદનાં કિચડમાં ઘસી ચુક્યા છો.

ભણવા જતાં પહેલા તમારે જે બેન્ક બેલેન્સ બતાવવું પડે છે તેનાથી એ એમને યે ખ્યાલ અવે છે કે તમે પહોંચી શકો એવાં સમાજમાંથી આવો છો. અને જયાં સુધી કોઈ પાક્કી આવડત ન હોય ત્યાં સુધી કામ કરવાનાં વિઝા પણ નથી જ મળતાં. આ બધુ જાતિવાદ છે. અમીરી ગરીબી અને નિપુણ અને નકામો.

એટલે જાતીવાદમાંથી સંપુર્ણ નાબુદી મળવી એ લગભગ અશક્ય છે.

India's action against Pakistan

अगर पाकिस्तान के साथ वोटर ट्रीटी को रद करने का फैंसला क़ायम होता है तो अब से हम सब भारतीय सिर्फ़ यही कहेंगे की,

काश्मीर क्यां अब अगर पानी मांगो के तो भी चिर देंगे । :) ;) :p

#WeNeedStrongAction on #Pakistan

Kamal Bharakhda

શું દેશ માટે જીવવા મરવાનો ઇજારો ફકત સૈનીકોનો જ છે?

ફેસબુક પર આપણા શહીદો અને સૈનિકોનાં લેખો પર એક લાઈક અને કમેન્ટ કરીને તમે તમારી જવાબદારી પૂર્ણ કરી લીધી એમ સમજો છો? એક સૈનિક જ્યારે શહીદી વહોરે છે ત્યારે તેનો દેશ પ્રત્યેનો પ્રેમ, ભાવ અને ધગશ એ બધાય એલિમેન્ટ કરતા પણ પોતે પોતાની જાત સાથે કરેલ કમીટમેન્ટ બાબતેની વફાદારી સ્પષ્ટ હોય છે. 

એક સૈનિક ક્યારેય ભારતના અમુક ભ્રષ્ટ નાગરિકની જેમ એ સમયે ભ્રષ્ટ નથી હોતાં કે જે પતાના પર આવી જાય તો દેશને, પોતાની જાતને અને તમામને ભ્રષ્ટાચારનાં કિચડમાં હોમી દેતાં સેજ પણ વાર વિચારતા નથી અને એ બસ ઠંડા લોહી એ બધુ કરતા રહે છે. મજબૂરી જરૂરિયાતોથી ઉભી થાય છે કે અપેક્ષાઓથી તેનું આત્મજ્ઞાન કરવું જરૂરી છે. આપણા સૈનિકોને એટલો જ ભથ્થો મળે છે જે કોઈપણ સામાન્ય શિક્ષિત ભારતીયને મળે છે. નથી એમને કંઈ વધારે મળતું કે નથી આપણને કંઈ ઓછું! 

આવા લેખ ઘણા એ લખ્યા છે અને લોકો ભવિષ્યમાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા હેતુ લખતા જ રહેશે. પણ મારો લખવાનો મુદ્દો અહીં કૈંક અલગ છે. જેમ તમે અને હું એક મનુષ્ય અવતાર છીએ તેમ જ સૈનિક પોતે પણ એક માણસ જ છે! એવું કોઈપણ બંધારણ નથી કે, જેમાં લખ્યું હોય કે એક માણસ એક માણસ માટે પોતાનો જીવ ન્યોછાવર કરે. ફક્ત પોતાનાં આત્મસંતોષ અથવા સન્માન માટે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ન્યોછાવર તો ન જ કરે. એવી તો કેવી એનર્જી તેમનામાં હોય છે જે આપણા જેવી સામાન્ય જનતાને પોતાની જ મોરલ વેલ્યુજ માટે નથી હોતી?

મુંબઈમાં આતંકવાદી હુમલા વખતે અને હાલમાં પાકિસ્તાન સાથે થઇ રહેલા છમકલાઓમાં પણ આપણા પોલીસ કર્મીઓ અને સૈનિકો પોતાનો જીવ ગુમાવે છે. શું જીવ આપવો જ એમનો ધર્મ છે? નહીં એમનો ધર્મ છે એમના દેશની સાથેની વફાદારી. એવી તો કઈ જાદુની છડી એમની પાસે હોય છે કે તેઓ વફાદારીનાં સૌથી ઉચ્ચસ્તર પર બિરાજે છે? અને આપણે સમાન્ય જનતા કેમ ભ્રષ્ટ્રાચાર કરતા સેજ પણ વાર વિચારતા નથી? 

આપણા ભ્રષ્ટ નેતાઓ અને ઉચ્ચસ્તર પર બિરાજેલા અધિકારીઓને સારામાં સારા ભથ્થા મળતા હોય છે તો પણ લાલચનાં રવાડે ચડીને એમને ભ્રષ્ટ થતા એમનો આત્મા કાંપતો કેમ નથી? તેના કારણો મને થોડા ઘણા સમજાય છે અને બની શકે આ લેખના અંતે વધારે ક્લીઅર થશે.  

ભારતમાં વ્યક્તિગત, સામાજિક, સંસારિક સુખ સુવિધા અને સંસ્કાર મેળવવા ધર્મનાં રવાડે ચડવું પડે છે અને આપણા રોલમોડલો જેવા કે, ગુરુ ગોવીંદસિહજી, હુસૈન, જૈનોમાં એમના ગુરુઓ, ક્રિષ્ના, મહંમદ પયગંબર, નરસિહ મહેતા, શ્રી રામ (આલ્ફાબેટીકલ ઓર્ડર મુજબ લખ્યા છે) અને એમ દરેક ધર્મોમાં પોતાના સંસ્કારને ધ્યાનમાં રાખીને આપણે બધાય પેલા રોલમોડલોનું સંપૂર્ણ જીવન અને એમના વિચારો સામે ને સામે જ રાખે છે. જેનાથી આપણી સૌની ધાર્મિક અને સંસારિક પ્રત્યે વફાદારીની અગ્નિ પ્રજ્વલિત જ રહ્યા કરે. 

તેવી જ રીતે આપણા જીવનમાં દેશ અને દેશ પ્રત્યેની વફાદારી, પ્રામાણિકતા અને ભ્રષ્ટાચારથી મુક્ત જીવન પણ આપણા મહત્વના અંગો છે. પોતાના નીજી ફાયદા માટે વિચાર્યા વગર ભ્રષ્ટાચારનો હાથ પકડી લેતા આપણે સેજ પણ વિચારતા નથી. તેના કારણો ક્યાં છે? 

તેના કારણો એ છે કે, “દેશ માટે એમના નાગરિકોને વફાદારીની સમજ આપતા કોઈ રોલમોડલ જ નથી!”

દેશના ભ્રષ્ટ નેતાઓ અને એમના શાગીર્દો દેશ પ્રત્યેની વફાદારી બાબતે પ્રોમોશન કરે એમાં નાગરિકો પર શું અસર થવાની છે ? ખરેખર કોઈ એવો વર્ગ આ બાબતે દેશનો રોલમોડેલ બનવો જોઈએ કે જે યોગ્ય છે. અને મારી દ્રષ્ટીએ આપણા ભારતીય સૈનિકો જ આપણા રોલ મોડેલ બની શકે એટલી યોગ્યતા ધરાવે છે. 
જેટલું પ્રમોશન અને બ્રાન્ડીંગ ધર્મના રોલ મોડલોનું થાય છે એટલી હદે એ સૈનિકોની પરિસ્થતિનો ખ્યાલ કોઈને છે જ નહીં. ગણીને ૧૫મિ ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ “જરા યાદ કરો કુરબાની” જેવા પચાવી ગયેલા ગીતો સાંભળીને અને “કરવું પડે” એવી ભાવનાથી દિવસ પસાર કરી નાખવામાં આવે છે. ફક્ત દેશની સુરક્ષા અને વફાદારીનાં જેવા શબ્દો (હા શબ્દો એટલા માટે કહ્યા કે આપણા તમામ નાગરિકો માટે તો એ જવાબદારી ફક્ત શબ્દો જ છે) માટે પોતાનું જીવન ન્યોછાવર કરી જાણે છે. 

અરે સાહેબ આપણે મતલબ વગર થેલી પણ નથી ઉપાડતા તો એ આપણા સૈનિકોને પોતાના દેશ પ્રત્યે એવી તો કેવી સમજણ હશે કે એ લોકો પોતાના પરિવાર અને જીવનના તમામ સુખોનો ત્યાગ કરીને પોતાના અમુલ્ય જીવનને દાવ પર લગાવી દે છે? શું છે એ પરિબળો? 

બસ એ જ સમજવા સૈન્ય જીવનનું પરફેક્ટ બ્રાન્ડીંગ અને પ્રમોશન આપણા સમાજમાં થવું જરૂરી છે. એમના જીવન પર વેઢે ગણી શકાય એટલી ફિલ્મો બની છે. સરકારની ફરજમાં આવે છે કે એ પરમ આત્મા “ શહીદો “ અને કાર્યરત એવા આપણા સૈનિકોને, એમના જીવનને, એમની ઉપલબ્ધીઓને, એમની તકલીફોને અને એમની મહેનતને નાગરિકો સામે એવી રીતે લાવવામાં આવે કે એ તમામ ભારતનાં અંગ બની ને રહે. સેજ પણ દેશ વિરોધી કે ભ્રષ્ટાચાર જેવા વિચારો મગજમાં પણ આવે તો પણ આપણો આત્મા ધ્રુજી જવો જોઈએ. જ્યાં સુધી એવી પરિસ્થતિ ઉભી નહીં કરવામાં આવે ત્યાં સુધી આપણા સમાજમાં કોઈ પણ પ્રકારનાં અશુદ્ધ તત્વોને સામાજિક દુષણ ગણી બહાર કરવામાં આવે તેના ચાન્સીસ લગભગ શૂન્ય છે. જેમ અત્યારે ચાલે છે એમજ આગળ ચાલતું રહેશે. 

ઉપર જણાવેલ વિચાર કાઈ નવો નથી. ગામડાઓમાં આ પ્રથા જોર શોરથી હજુ પણ ચાલુ જ છે. ગામડાઓમાં “પાળિયા”, “સુરાપુરા” જેવા શબ્દ પ્રયોગ તમે સાંભળ્યા જ હશે. તેમને અંધશ્રદ્ધા જેવું માનવાની જરાય ભૂલ ન કર્તા. એ પ્રથા એક બ્રાન્ડીંગ જેવા વિચારનું સ્મોલ સ્કેલ વર્જન છે. કહેવાય છે કે જે વ્યક્તિ પોતાના પરિવાર, ગામ અને બહેનો દીકરીઓ માટે શહીદી વહોરે એમનાં પાળિયા બનતા. અને એ પાળિયા આખા ગામને ઈન્સ્પાયર કરતા રહેતા. ગામનાં પાદરે કે જ્યાંથી ગામનો વ્યક્તિ દરરોજ એક વાર તો પસાર થાય ત્યાં જ એમને રાખવામાં આવતા. દરેક ગામના વ્યક્તિએ ફરજીયાત માથું ટેકવીને જવું પડતું. (આવું હાલ આપણે રાષ્ટ્રીય લેવલ પર ન વિચારી શકીએ કારણ કે વિચારો અને માન્યતાઓ બદલે છે અને શિક્ષિત પ્રજા આ બધાને આડંબરમાં ગણી લે) જેથી દરેક વ્યક્તિને પોતાના આદર્શો અને ફરજ મગજમાં રહેતી. 

કહેવાનો અને સમજાવવાનો મૂળ તાત્પર્ય એજ છે કે નાગરિકોને એમના દેશ પ્રત્યેની ફરજો, હકો અને સંસ્કારો બાબતે સદાય જાગતા જ રહેવું જોઈએ. તેના માટે આપણે પાળિયા કે બીજા જુના પ્રકારો અપનાવવા જરૂરી નથી. પરંતુ લોકોમાં આપણા શહીદોની વીરતા અને ફક્ત દેશ પ્રત્યે એમની હિંમત અને વફાદારી એમનમ એળે ન જવા દઈને અથવા એક લાઈક કે શેર કરીને ભૂલવા દેવી ન જોઈએ. 

ઇઝરાયલ જેવો દેશ કે જેની દરેક બાજુએ એમના દુશ્મનો છે તેની સામે ઇઝરાયલે તેના દરેક નાગરિકને સૈન્યમાં જોડાવવું ફરજીયાત જેવી જોગવાઈઓ કરેલ છે. તે જ પ્રમાણે ઇંગ્લેન્ડ જેવા દેશોમાં પણ દરેક નાગરિકને સૈન્યમાં જોડાવવું ફરજીયાત છે. (રાજકુંવર પણ બાદ નહીં!) સમયે દેશ માટે દેશનો જનભંડાર દેશને કામ આવે એ હેતુ તો હોય જ છે પરંતુ સામાજિક, ઔદ્યોગિક અને દરેક દ્રષ્ટીએ પ્રમાણિક અને વફાદાર રહેતા પણ શીખવાડી દે છે. તેની અસર એ છે કે ભારતના એક રાજ્યથી પણ નાના એવા દેશો સંપૂર્ણ દુનિયા પર રાજ કરનાર સાબિત થયા છે. દુનિયામાં સૈથી વધારે નોબેલ એવોર્ડ ઇઝરાયલી (યહૂદી) લોકોના ખાતામાં છે જયારે વહીવટી કાયદાકીય ક્ષેત્રમાં કદાચ ભગવાનને પણ સ્વર્ગમાંથી ઉતરીને ઇંગ્લેન્ડ પાસેથી સલાહ સુચન લેવા જોઈએ. પરંતુ મૂળ વાત એ કે એ બંને દેશો જે પણ પરિસ્થતિ પર છે એ તેમના નાગરિકોની પોતાના દેશ પ્રત્યેની વફાદારી અને પ્રેમને લીધે છે. 

દેશની સરકારએ પોતાના રોલ મોડેલ તરીકે સૈનિકોને આગળ લાવવા જરૂરી છે. તેમના થકી જ દેશના તમામ નાગરિકો પોતાની કુટનીતિ રાજનીતિ અને કપટનીતિનો ભરપુર ઉપયોગ કરી શકવા શક્ષમ બને છે.  

હું માનું છું એ પ્રમાણે નીચે જણાવેલ મુજબના પ્રયત્નો થવા અત્યંત જરૂરી છે. 

1. દરેક પ્રાથમિક સરકારી શાળાઓ કે પ્રાઇવેટ શાળાઓમાં મીનીમમ ૩ રીટાયર્ડ સૈન્યના સૈનિકોને ફરજીયાત ભરતી આપી આવનાર ભવિષ્યના લીડરોની કમાન સોંપવી જોઈએ. જયારે જીવનના તમામ પાસના અનુભવી એવા સૈનિક પોતાનાં અનુભવો એ ભૂલકાઓ સામે રાખશે ત્યારે એ બાળકોમાં નાનપણથી જ દેશ માટે ભાવ ઉત્પન્ન થશે.  

2. ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં સૈન્ય અને રાષ્ટ્ર સુરક્ષા જેવા વિષયોનો સમાવેશ કરવો જોઈએ. 

3. દરેક શાળાઓમાં દરરોજ એક શહીદ સૈનિક અથવા કાર્યરત સૈનિકોની જીવનશૈલી પર ચલચિત્રની વ્યવસ્થા કરવી જોઈએ. સવારમાં અડધા કલાકની પ્રાર્થનાની જગ્યા એ 15થી ૨૦ મિનીટ આ કાર્યમાં ફાળવવા જોઈએ. 

4. દરેક કોલેજોમાં કોઈપણ ક્ષેત્રનાં વિદ્યાર્થીએ વર્ષના અંતમાં કમસે કમ એક સૈનિકના જીવન રજુ કરતુ વ્યક્તવ્ય રજુ કરવું પડશે. 

5. બની શકે તો મિત્રો સાથે ટ્રાવેલિંગ ટુર્સ પર જવા કરતા ભારતની કોઇપણ બોર્ડર પર જઈને ત્યાના સૈનિકો સાથે હળીમળીને એમની જીવનગાથા સમજવાં જેવા પ્રયાસો થવા જોઈએ. 
6. પરિવારનો એક નજીકનો સદસ્ય BSF અથવા અન્ય સેનામાં ભરતી ન હોય ત્યાં સુધી એ ચુંટણી લડી શકે નહીં તેવી જોગવાઈઓ. 

7. રાજ્યનો પ્રગતિ ક્રમાંકની સાપેક્ષતા તેના પ્રદેશમાંથી બનતા સૈનિકો પર પણ હોવી જોઈએ. 

8. વાયુ, જલ અને જમીની સૈન્યના વડાંઓ અને જે તે રેજીમેન્ટનાં મુખ્યાઓ એ દેશનાં યુવાનોના પ્રશ્નો જવાબ આપવા સામે આવવું પડશે. 

i) પ્રશ્નો જેમ કે, લોહિયાળ યુદ્ધની જરૂરિયાત કેમ પડે છે ? 
ii) કરોડો કરોડો રૂપિયાના એરક્રાફ્ટ લેવાની જરૂર શુકામ પડે છે ?
iii) કાશ્મીરમાં સૈન્ય ગતિવિધિઓ પરના સવાલો 
iv) આટલી વિશાળ સેના હોવા છતાં બોર્ડર લીક કેમ થાય છે ? 
v) સૈનિકો દ્વારા નાગરીકો પર ઈરાદાવગર થતાં અત્યાચારો  

મારું માનવું છે એ હિસાબે નાગરિકોના માનસિક અને ભાવાત્મક જોડાણ માટે આ પ્રકારના પ્રશ્નોના જવાબો જાહેર જનતા સામે સોલ્વ થવા જરૂરી છે. જો સેના ખરેખર બલીદાન આપે જ છે તો એ બલીદાનની સંપૂર્ણ જાણકારી જે તે દેશના તમામ નાગરિકોના રૂંવાટે રૂંવાટે હોવી જોઈએ.  

જેમ સૈનિક જે ભાવથી દેશ માટે લડે છે જો એજ ભાવ થી તમામ ભારતીય પોતાના માટે પણ જીવે અથવા લડે તો પણ દેશની તમામ સમસ્યાઓના નિરાકરણ માટે કોઇ સિસ્ટમની જરૂર રહેતી નથી. નાના નાના પ્રયાસો જ દેશને ફરી સુવર્ણ બનાવશે. 

જય હિન્દ 

કમલ ભરખડા

http://kamalbharakhda.blogspot.com/2016/09/blog-post_24.html

જાહેરાત દાનની કે પછી ડોનરની?

ગઈકાલે અડ્ડામાં એક મિત્રએ સુરતનાં  સત્જન દ્વારા કરવામાં આવેલ આપણા ૧૭ શહીદ સૈનિકોના પરિવારને આર્થિક મદદની જાહેરાત બાબતે અભિનંદન અને પરોક્ષ રીતે સમાજને એક સારી શિખામણ આપતો ફોટો પોસ્ટ કર્યો હતો. આર્થિક મદદ જો સદ્કાર્યે થતી હોય તો એ “દાન” છે.
એ જ પોસ્ટમાં કિરણ ત્રીવેદીજીની કમેન્ટ વાંચ્યા બાદ મને એવું લાગ્યું કે, એમનાથી પોસ્ટ જોયા પછી રહેવાયું નહીં હોય અને નિખાલસપણે એમણે પોતાની લાગણી વ્યક્ત કરી દીધી હશે, અને અમુક વ્યક્તિઓને એમનો વિરોધ પણ કર્યો. પરંતુ હું તો એમની વાત સાથે સંપૂર્ણ સહમત હતો. એમની અપીલ એ વ્યક્તિ પર ન હતી પરંતુ તેમની સહાય/દાન જાહેરાત કરવાની મેથડ પર હતી એવું મને દેખાઈ આવતું હતું અને એ સાચું પણ હતું.
હવે એજ પોસ્ટમાં બીજી કમેન્ટ એવી પણ વાંચવા મળી કે, એ સત્જ્ન દ્વારા થયેલા શુભ પ્રયાસોથી સમાજમાં લોકોને સહાય બાબતે એક સારો મેસેજ પહોંચે અને લોકો પોતાની શક્તિ અનુસાર જરૂરિયાતમંદોને નાની મોટી મદદ કરવા હેતુ માનસિક બળ મળે. ટેકનીકલી એ પણ સાચી વાત છે.
દાન જેવી ક્રિયાનો પણ એક પ્રોટોકોલ હોય છે અને જો તમારે તમારાં દાનથી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો ઈરાદો પણ હોય તો એ પ્રોટોકોલ મુજબ જ દાનની જાહેરાત થવી જોઈએ. જે દુનિયાનાં કોઈપણ વ્યક્તિ માટે સરખો જ હોય છે. દાનની જાહેરાત અને ડોનરની જાહેરાત વચ્ચે એક પાતળી ભેદ રેખા છે. કદાચ આ વખતે સુરતના એ સત્જનથી એ ઓળંગાઈ ગઈ એટલે જ એમને નાનો એવો ઠપકો મળ્યો.
એ ડોનર સત્જનની એક ભૂલ એ થઇ કે એમણે જે રીતે “ફક્ત ૧૭ શહીદ” સૈનિકોનાં પરિવારને આર્થિક મદદ માટે જે વાતાવરણ ઉભું કર્યું એ કદાચ મતે વધારે જ હતું. (હું કદાચ એ સત્જનની જગ્યા એ હોવ તો પણ એ સમયે મને તેમના જેટલો સારો વિચાર કદાચ ન આવે એટલે અહિયાં એમની ટીકા કરવાનો મારો કોઈ ઈરાદો નથી). હા! કદાચ એમણે એ જાહેરાત કરી હોત કે, આજ પછી કોઈપણ શહીદ સૈનિકનાં પરિવારને શિક્ષણ હેતુ આર્થિક મદદની જરૂર હશે તો મને જરૂર યાદ કરવો તો મને નથી લાગતું કે આ પ્રકારના રીએક્શન આવ્યા હોત.
બીલ ગેટ્સ, વોરેન બફેટ અને તેમના જેવા જ બીજા ઘણા ધનવાનોએ એમની ૯૦% ઉપરની જાગીર દુનિયાનાં જરૂરિયાત મંદો માટે દાનમાં આપવાનું નક્કી કરી નાખ્યું છે અને એ પણ એક અતિ-સામાન્ય અંદાજમાં.
ખરું દાન તો દુનિયાના તમામ સૈનિકો આપે છે પોતાનાં દેશની સાથે વફાદારી પૂર્ણ ફરજ નિભાવીને. તેમને વંદન.
અને હા, જેમને પણ હજી આ પોસ્ટ વાંચીને દુઃખ થાય તેમની પાસેથી હું માફીની અપેક્ષા રાખું છું.

Kamal Bharakhda.

કાશ્મીરને આઝાદ કરવાનાં મુદ્દે ભારતની સમસ્યા

ડેવિડ દેવદાસ, એમણે કાશ્મીર પર ઘણા પુસ્તકો લખ્યા છે. આજે હિન્દુસ્તાન ટાઈમ્સમાં (HT) એમના લેખમાં શ્રીનગરમાં પ્રોટેસ્ટ કરતા યુવાનો અને બ્લ્યુ શબ્દોમાં લખેલ FREE KASHMIR જેવા પોસ્ટર્સ સાથે એક ફોટો મુક્યો છે એ જોઇને મને આ લેખ લખવાનો વિચાર આવ્યો. 

કાશ્મીરી જનતા ખરેખર કાશ્મીરને આઝાદ કરાવીને શું ઈચ્છે છે એ એજ જાણે પરંતુ કાશ્મીરને આઝાદ કરાવવાના પ્રયત્નોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે! કાશ્મીરની જનતા શું સૈન્યના દબાણના લીધે પોતે આઝાદ થવા માંગે છે કે એમનો પોતાનો એક આઝાદ રાષ્ટ્ર તરીકે કોઈ ફૂલ પ્રૂફ પ્લાનીગ છે જેમાં દરેક કાશ્મીરી જનતાનાં સોનેરી ભવિષ્યની ચાવી છે જે ભારત સાથે રહીને બિલકુલ શક્ય નથી? જો એવું ખરેખર હોય તો તેઓ એ પ્લાનિંગ જણાવી શકે છે.

અત્યાર સુધી તો એજ ખ્યાલ હતો કે, કાશ્મીરને સંપૂર્ણ તાબે કરવા પાકિસ્તાન ભારત સાથે રાજનીતિ રમી રહ્યું છે જે કોઈપણ કારણોસર જોવા જઈએ તો કૈંક અંશે વ્યાજબી છે. કારણ કે, ખરેખર પાકિસ્તાનને કાશ્મીર હડપવું જ હોય તો પાકિસ્તાને કરેલા તમામ પ્રયત્નો ભલે નાગળદાયી ભર્યા હોય પરંતુ પાકિસ્તાન આ પ્રયત્નો ફક્ત પોતાની માનસિકતાએ તો ન જ કરી શકે. કાશ્મીરની જનતાનો પણ સાથ સહકાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હોય એ દેખીતું જ છે.

એટલે આપણે એ માની લેવાનું થયું કે, કાશ્મીર પોતે આઝાદ થવા પાકિસ્તાનનો સહારો લેવા માંગે છે કારણ કે ભારત કોઈપણ કારણોસર એ કરે તેના ચાન્સીસ લગભગ શૂન્ય છે. પરંતુ ભારતની પણ સમસ્યાઓ અને મૂંઝવણ સાવ નાખી દેવા જેવી નથી. ભારતીય સરકારોને પણ કોઈ શોખ નથી કે પોતાના યુવાધનને ત્યાં બોર્ડર સિક્યોરીટી ફોર્સ માટે તૈનાત કરાવતી રહે અને કાશ્મીરીઓ અને પાકિસ્તાનીઓ સાથે બાથ ભીડાવતી જ રખાવે. એક એક યુવાધનનો હિસાબ આપવો પડે છે.

કાશ્મીરની જનતા આઝાદી માંગે છે પરંતુ સેના બેઝ પર? તે લોકો એ સમજે છે કે પાકિસ્તાનનો સપોર્ટ લઈને ભારત પર દબાણ નાખીને તેઓ આઝાદી માટે મજબુર કરશે તો એ એમના વ્યર્થ પ્રયત્નો છે! શું તેઓને કોઈ પ્રાથમિક સમસ્યાઓ છે? અને જો એ પ્રાથમિક સમસ્યાઓ છે તો તેના કારણો કયાં? આજથી ૧૦૦ વર્ષ પહેલા જયારે રાજ પરીવારનું કાશ્મીર અને જમ્મુ પર શાશન હતું ત્યારે પણ એ પાયાની સમસ્યાઓ કાશ્મીરી લોકોને નડતી હતી? જો તેમનો જવાબ નાં માં હોય તો, એમની સમસ્યા સામે જ છે. કાશ્મીર જેમની જ્યુરીડીક્ષનમાં આવે છે તેમણે તેમનો જ સપોર્ટ લેવો અને જો બિનવ્યવહારિક ધોરણે તેઓ પાકિસ્તાન પાસેથી સપોર્ટ લેતા રહેશે તો એમના હાલ આવા જ રહેવાનાં છે. કારણ કે ભારત કાશ્મીરને છોડે તેની શક્યતાઓ તો લગભગ નહીંવત છે. કારણ કે?

ભારત એક અલગ અલગ સંસ્કૃતિ, વિચારો અને ભૌગોલિક પરિસ્થતિઓનો સુમેળ છે. ભારતમાં જેટલા પ્રદેશો છે એ તમાંમને પોતાની ભાષાનો મોહ હટાવી દે તો પણ સંસ્કૃતિઓનો છેડો એક બીજાને અડતો નથી. જેમ કે રાજસ્થાનીઓ અને પંજાબીઓ. ટૂંકમાં જેટલા રાજ્યો છે એટલી જ સંસ્કૃતિ છે અને દરેક પોત-પોતાની રીતે ભિન્ન છે જેમ કાશ્મીર. તથા દરેક રાજ્યો પોતપોતાની રીતે બીજા કરતા શ્રેષ્ઠ છે એવી જ હોડમાં રહે છે. દરકે પાસે પોતાનાં કુદરતી ખનીજો અને સંસાધનો છે જે એક આઝાદ રાષ્ટ્ર તરીકે સ્થપાવા જેટલું યોગ્ય ભંડોળ છે.

કોંગ્રેસ અને તેમની ગઠબંધન સરકારો વિષે હાલમાં મારી જે પણ ધારણા જેવી પણ હોય પરંતુ એક પરિસ્થતિ માટે હમેશા તેમનો દરેક ભારતીયો એ આભાર માનવો રહેશે કે ભારતના આઝાદ થયા પછી પણ તેમણે ભારતનાં એકબીજાથી સંપૂર્ણ રીતે અલગ તરી આવતા રાજ્યોને એકત્ર રાખીને ભારતીય બંધારણમાં જોડી રાખ્યા છે. જે ખુબજ અઘરું કાર્ય છે. તેમના માટે કોંગ્રેસ અને તેમની ગઠબંધન સરકારોને સલામ.

ટૂંકામાં, સાહેબ મારો કહેવાનો તાત્પર્ય એ કે, કાશ્મીરની જનતા જે પણ મુદ્દે આઝાદી માંગવાનાં કારણો રજુ કરે તે બધા કારણો યુનાઇટેડ ભારત સાથે જોડાયેલા તમામ રાજ્યો પાસે પણ રેડીમેડ છે, જો તેમણે પણ આઝાદી જોતી હોય તો! એટલે કાશ્મીરનું આઝાદ થવું એ ભારત માટે પરોક્ષ રીતે બહુજ મોટો ફટકો સાબિત થઇ શકે. ભલે તુરંત સમસ્યાઓ ઉભી ન થાય પરંતુ આવનાર ભવિષ્યમાં ભારતના રાજ્યો આઝાદ કાશ્મીરનાં (જો થયું તો) કેન્દ્રને દાખલાઓ આપી આપીને આઝાદી મેળવવાનું બંડ પોકાર્યાજ રહેશે અને ન છૂટકે દરેક રાજ્યોને કાશ્મીરની જેમ કોઈક પાકિસ્તાનનો સપોર્ટ પણ મળશે જ અને નજીકના ભવિષ્યમાં ભારત ફક્ત દિલ્હી જેટલું રહી જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પૂર્વ ભારત તો ભારત સાથે કઈ રીતે જોડાયેલું છે તેના કારણો ખરેખર ચોંકાવનારા જ હશે. દક્ષીણ ભારત કે જેની સંસ્કૃતિ બીજા તમામ ભારત સાથે અલગ જ તરી આવે છે એ પહેલા છેડો ફાડવાનો પ્રયત્ન કરશે. આ બાજુ પંજાબ પહેલેથી જ સ્વતંત્ર થવામાં માને છે. આ સંભાવનાઓ મારા મગજમાં આવી પરંતુ દેશની તમામ સરકારો પાસે આનાથી પણ મજબુત કારણો રહ્યા હશે એટલે જ કાશ્મીર મુદ્દે કોઈપણ “ઈંચ”ની સરકારને નિર્ણયો લેવામાં તકલીફ થતી રહે છે.

કહેવાય છે ને કે કાચો ઘડો માટીમાં ભળી જાય પણ જો પાક્કો ઘડો ભળવાનો પ્રયત્ન કરો તો એ ઘણી સમસ્યાઓ ઉભી કરીને જાય છે.
એટલે ભારત કાશ્મીરને આઝાદી ન આપી શકે તેના કારણો ભારત પાસે પાક્કા ઘડા જેવા મજબુત છે. હવે પાકિસ્તાન એ ઘડામાં કાંકરીચાળો કરવાનો પ્રયત્ન કરે છે અને ભારત કશું જ રીએક્શન આપતું નથી તેના કારણો એ કે, ભારતના એ પાક્કા ઘડાથી તમામ ભારત ગણરાજ્યની તરસ છીપાતી રહે છે અને રહેવાની છે. સમસ્યાઓને દરેક બાજુથી સમજવી જરૂરી છે.

કાશ્મીરની જનતાને એક જ પ્રાર્થના છે કે જેમ દક્ષીણ કાશ્મીરમાં ચળવળો ઓછી થઇ રહી છે તેમ જ તમે પણ ધીમે ધીમ માની જાઓ એમાં જ બધાની ભલાઈ છે. કાશ્મીરની જનતા ભારતીય તંત્રને શ્વાસ લેવાનો સમય આપે તો એ કાશ્મીરની બીજી તકલીફો તરફ ધ્યાન આપી શકે.

જય હિંદ.

Kamal Bharakhda


સ્ત્રીઓને વકીલાત માટે વકાલાત કરો.

દીકરીઓ એ ડૉક્ટરી કે કોમર્સ શાખામાં વગર વિચાર્યે અભ્યાસ કરવાં કરતાં વકીલાતનો અભ્યાસ કરી લેવો.

એ દીકરીને તો કામ આવશે જ પણ સાથે સાથે તમારાં વર્તુળમાં આવતાં તમામને એ કામ લાગશે.

#WomenEmpowerment in true way.

Kamal Bharakhda

સ્ત્રીઓનાં દુઃખનું કારણ

સ્ત્રીઓનાં સ્વાભિમાનની જવાબદારી પુરુષ વર્ગ લઇને બેઠો છે એટલે જ સ્ત્રીઓ દુઃખી છે.

ઉશ્કેરાઈ જવું અને ગુસ્સે થવાનાં કારણો?

કોઈ વ્યક્તિ ઉશ્કેરાઈ જવું કે ગુસ્સે શુકામ થાય ?

કારણ?

આ દુનિયા બે વસ્તુ પર ચાલે છે.
1. માન્યતાઓ
2. સંપુર્ણ સનાતન સત્ય

સત્ય એ સત્ય છે. સત્ય પામી ગયા બાદ તેને કોઈની માન્યતાઓની જરૂર નથી પછી સામે વાળો માને કે ન માને.

હવે જ્યારે કોઇ વ્યક્તિ સત્યને સુધી પહોંચ્યા વગર કોઈ એક સ્ટેન્ડ પર આવે છે ત્યારે એ પરિસ્થતી તેનાં માટે સત્ય છે પણ હકીકતમાં એ તેની માન્યતાઓ છે. જેમકે, જર્મન માટે યહૂદીઓ અપશુકનીયાંળ છે. એ હિટલરની માન્યતા કહેવાય. એ સત્ય જ હોય એ જરૂરી નથી.

હવે સ્વાભાવિક છે કે કોઈ તમારી માન્યતાઓ ને તોડી પાડે કે જેને તમે વર્ષોથી સત્ય સમજતા હતાં તો એ પોતાનો પક્ષ લે એ પણ સ્વાભાવિક છે.

ડાહ્યા માણસો પોતાની માન્યતાઓને કાંઇ પણ બોલ્યા ચાલ્યા વગર અપગ્રેડ કરી લેશે અને જે મિત્રો એક્સેપ્ટ નહીં કરી શકે એ  સ્વાભાવિક પણે રિએક્શન આપશે.

હિટલર હોય તો સામે વાળાને ગેસ ચેમ્બરમાં પધરાવી દેશે અને સામાન્ય વ્યક્તિ હશે તો એ ગુસ્સો કે લડવા બેસશે.

Kamal Bharakhda

બલી પ્રથા

બલી, એ માન્યતા છે. જેમ મુસ્લિમ ભાઇઓ આપે છે તેમજ પરોક્ષપણે હિંદુ ભાઇઓ પણ આ બલીમા માને જ છે.

આજે પણ માતાજીનો હવન જયાં જ્યાં થાય છે ત્યારે કોળું કાપવામાં આવે છે.

તમે જીવ કાપો કે ફ્ળ પણ તમારી દાનત તો કાપવાની જ ને! એજ ખોટી.

Kamal Bharakhda

કડવી ખાંડની ચાં!

ચાં ભલેને ગમે ત્યાંથી લાવો...પરંતુ ખાંડ કડવી નીકળે તો? આ અહેવાલથી સુરતમાં કાર્યરત એકમાત્ર PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં થયેલા મારા કડવા અનુભવ વિષે જણાવવા ઈચ્છું છું. 

PSU એટલે? રાષ્ટ્રની પ્રજાને ધ્યાનમાં રાખીને એમની ઔદ્યોગિક અને અન્ય પ્રાથમિક જરૂરિયાતોનો પુરવઠો અને સપ્લાયને સરભર રાખવા સરકાર પોતે જે પણ ઉદ્યોગમાં જંપલાવે તેને બંધારણીય શબ્દોમાં PSU (PUBLIC SECTOR UNIT) કહે છે. પેટ્રોલીયમ, ખેતી, રસાયણો, વાહનવ્યવહાર, શિક્ષણ, બેંક વગેરે વગેરે ક્ષેત્રોની પ્રોડક્ટ અને સર્વિસીસનો PSUમાં સમાવેશ થાય છે. 

કોઈક કારણસર મારે સુરત મારા મિત્ર તેજસને ત્યાં જવાનું થયું. તેજસ, હજીરા, સુરત સ્થિત પ્લાન્ટમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. અમારી ચર્ચા ચાલી રહી હતી ત્યારે રાતનાં ૧ વાગ્યે પ્લાન્ટમાંથી ફોન આવે છે કે, પ્લાન્ટમાં એક પ્રોબ્લેમ ઉભો થયો છે. 

પ્રથમતો તેણે ફોન ઉપરજ ઉપાય આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ પ્લાન્ટમાં તેજસથી પણ વધારે અનુભવી વ્યક્તિઓએ કશુંજ પ્રયત્ન કર્યા વગર હાથ ઉપર કરી લીધા. પરંતુ પોતે પ્રમાણિક અને કાર્યનિષ્ઠ હોવાને લીધે એ પ્રોબ્લેમનો ઉપાય કરવા માટે હું અને તેજસ રાતના ૨ વાગ્યે અમે સુરતથી હજીરા માટે રિક્ષામાં રવાના થયા. પ્લાન્ટમાં પ્રોબ્લેમ એટલો ગંભીર હતો કે જો તેજસ દ્વારા ઈમરજન્સી સેવા પૂરી પાડવામાં ન આવત તો સવાર સુધીમાં પ્લાન્ટ બંધ પણ થઇ શકત. (પેટ્રોલીયમ પ્રોડક્સન પ્લાન્ટ જો ૧૦ મિનીટ પણ બંધ થાય તો કેટલું નુકશાન થાય છે એની જાણ કદાચ બધાને નહીં હોય એટલે ગુગલ કરવા વિનંતી છે.) 

તેજસે ૫૦૦/- રૂપિયા ખરચ્યાં અને રાત્રે ૨ વાગ્યે અમે પ્લાન્ટના ગેટ પાસે પહોચ્યા અને અધિકારીઓની જ જરૂરિયાત હોવા છતાં એમની એટલી તો બેદરકારી હતી કે અમારા ગેટપાસની કોઈ જ ગોઠવણ ન હતી અને અમે એમને જાણ પણ કરી હતી કે અમે ગેટ પાસે પહોંચીએ એ પહેલા પ્લાન્ટમાં પ્રવેશ માટેની જોગવાઈઓ પૂર્ણ કરી રાખશો જેથી સમયનો દુર્વ્યવ ન થાય. 

પછી તો પ્લાન્ટમાં પ્રવેશ માટેની બધીજ પ્રક્રિયા ગેટ પાસે કરી અને ૨૦ થી ૩૦ મિનીટનો સમય પણ આપ્યો, (જે એક ત્યાજ હાજર અધિકારીનાં ફક્ત એક ફોનથી પણ સંભવ હતું) પણ અધિકારીઓ એટલા બધા તો આળસુ હતા કે ન પૂછો ને વાત. 

હવે અમને એન્ટ્રી તો મળી પણ કંટ્રોલ રૂમ ગેટથી ૨ કિલોમીટર અંદર હતો. પરંતુ પ્લાન્ટ પાસે એમનું એક પણ વાહન વ્યવસ્થાન હતી કે અમને ગેટથી કંટ્રોલ રૂમ સુધી પહોચાડી શકે. અમેં ચાલતા ગયા અને સમસ્યાનું સમાધાન પણ કર્યું અને એ પણ ૧૦ જ મિનીટમાં! અને સાથે સાથે ઉપરી અધિકારીઓને પણ એ સમજાવ્યું કે હવે જો આ પરિસ્થિતિ ઉભી થાય તો આગળ શું કરવું! પરંતુ સ્વાર્થ અને કટુતાની હદને જાણવી હોય તો ભારતીય સરકારનાં અધિકારીઓને જ મળો. 

એ કાર્ય તેજસની જવાબદારીની હદમાં હતું પણ એ કાર્ય બદલ એ એક અપેક્ષિત સામાન્ય આભાર પણ ન પામી શક્યો. કામ પુરૂ થતા થતા રાત્રીનાં ૩ વાગ્યા એટલે પાછા વળવાની ગણતરી હતી પરંતુ આટલા અધિકારીમાંથી એકપણ ભાયડાએ લેશમાત્ર વિવેક પણ ન કર્યો કે, ચાલો તમે ચિંતા ન કરશો અમે તમને મુકવા આવશું તમને વાહન મળી રહે ત્યાં સુધી. પ્લાન્ટનાં આટલા વિશાળ તંત્રમાં આવી એકપણ ઈમરજન્સી વાહનની વ્યવસ્થા પણ નહીં! 

અમને ગેટ પાસેથી કોઈપણ વાહન મળે એ સંભવ ન હતું અમારે વાહન મેળવવા ગેટ થી ૫ કિલોમીટર દુર એક ચારરસ્તા પાસે પહોંચવું પડે એમ હતું, અને એ ત્યાં હાજર બધાજ અધિકારીઓને ખબર છે છતાં કોઈનાં પેટનું પાણી પણ નથી હલતું. અમે અધિકારીઓને જાણ પણ કરી કે અમારી પાસે કોઈજ વાહનની વ્યવસ્થા નથી પણ એમનું તો કામ થઇ ગયું હતું ને.!! 

અમારા દ્વારા અનુભવેલી સમસ્યા કદાચ ઘણી સમાન્ય હોઈ શકે છે પરંતુ પેટ્રોલીયમ પ્લાન્ટ જેવા ઔદ્યોગિક માળખામાં ઈમરજન્સીની કોઈ પણ સગવડતા પોતાનાજ અધિકારીઓ માટે પણ નથી, એ વાતનો અનુભવ જયારે મને પ્રથમ વખત થયો ત્યારે મને ઘણુંજ દુ:ખ થયું. જ્યાં એક એક મિનીટના ઉત્પાદનનું કરોડોમાં મૂલ્યાંકન થતું હોય એ વ્યવસ્થામાં જો આટલી શુક્ષ્મ વ્યવસ્થાનું બંધારણ નથી એ વાતે મને આ અહેવાલ લખવા મજબુર કર્યો. 

ચાલો વ્યવસ્થા કદાચ ભૂલ કરી શકે પરંતુ એ વ્યવસ્થાનો ઘડનાર કોણ? એજ પ્લાન્ટમાં કાર્યરત એમના જ અધિકારીઓ, બરાબર ને? અને બધાજ અધિકારીઓ એમના કાર્ય પ્રત્યે પ્રામાણિક ન હોય તો’જ એ પરિસ્થિતિ ઉભી થઇ શકે છે અને થઇ. પરંતુ આ પરિસ્થિતિ પ્રાઇવેટ કંપનીઓની વ્યવસ્થામાં નથી કારણકે એમની પ્રાયોરીટી દેશ નથી પરંતુ પ્રોફિટ છે. 

આ બધાનું મૂળ એ નીકળ્યું કે, જો ભારતીય તંત્રના સરકારી અમલદારોજ આટલા બિનવ્યવહારિક, કુટીલ અને સ્વાર્થવૃત્તિ કેળવતા રહેશે ત્યાં સુધી મને નથી લાગતું કે ભારતીય સમાજમાં ક્યારેય પણ સારા દિવસો આવશે!! એક મિનીટ, એ અધિકારીઓ પણ આપણાજ સમાજમાંથી કોઈ એક છે. એનો મતલબ એમ કે જો શરૂઆત પોતાનાથી નહીં થશે અને અન્યાય, પ્રામાણિકતા અને પોતાની કાર્યનિષ્ઠા હેતુ લડત ઉભી નહીં કરીએ તો હાલની પરિસ્થતિંઓનો કોઈપણ ઈલાજ સંભવ નથી. શિક્ષિત હોવાનો લાભ તમે દેશને ન આપી શકો તો વાંધો નથી પરંતુ તમે તમારા માટે તો આપો! 

આ કડવી ચાં ના ઘૂંટ અમારે તો પીવા જ પડ્યા અને તમે વાંચનારે પણ આવા અનુભવો લીધા જ હશે પરંતુ આપણે અનુભવ આપનાર ન બનીએ એની તકેદારી ભારત સરકાર સાથે સાથે ભારતીય સમાજને પણ લેવાની છે. 

જય હિંદ

કમલ ભરખડા | 
સોમવાર, 23 ફેબ્રુઆરી 2015





ટેલીશોપિંગનું ગણીત! ફુલ પ્રોફિટ!

પહેલાં ધંધામાં પણ એક પ્રકારનું પ્રામાણિક સ્તર હતું. વેપારીઓ સ્કીમો લાવતા પણ ઓટલા પંચાયતો પણ ન પકડી શકે એવી અઘરી હોય અથવા સંપુર્ણ પ્રામાણિક હોય. મોટે ભાગે ગ્રાહકોના પૈસા વસુલ થતાં!

હવે અત્યારે ટેલીશોપિંગ જેવી પ્રોડક્ટ પ્રમોશન મેથડ ઘણી ચાલી છે. એક દિવસ થયુ કે જોઈએ શુ કહેવા માંગે છે એટલે લાગતી વળગતિ ચેનલ ચાલુ કરી અને ધ્યાનથી એમની મેથડ સમજવાનો પ્રયત્ન કર્યો...તો ઘણી સ્કીમો બાર આવી ;)

જેમ કે.....

- તમારાં ઘૂંટણનાં રોગને જડમુળમાંથી કાઢી નાખવા અમારાં પ્રોડક્ટને ખરીદો. અમારો બે મહિનાનો કોર્સ છે.

- બે મહિના વાપર્યા બાદ પણ તમને અમારો પ્રોડક્ટ ન ગમ્યો અથવા અસરદાર ન લાગ્યો તો "તમે પ્રોડક્ટ પાછો આપી શકો છો" અને તમને પૂરા પૈસા પાછા મળી રહેશે.

મજા તો હવે આવશે! પ્રોડક્ટ 45 દીવસ ચાલે એટલો જ હોય છે. (એવું એ લોકો નિખાલસપણે 30એક મિનિટની એડમાં એક વાર તો જરૂર બોલી જાય છે)

હવે 2 મહિના પૂરા કરવા બીજો ઓર્ડર કરવાનો. 2 મહિના એટલે કે 60 દિવસે પ્રોડક્ટ વાપર્યા પછી પણ તમને જો અસર ન કરે તો 45 દિવસ પહેલાં જ પૂરો થઈ ગયેલો પ્રોડક્ટ તમારે પાછો આપી દેવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો પણ 15 દિવસ વપરાયેલ બીજો પ્રોડક્ટ પાછો આપો એટલે સીધુ 50% નુકશાન. છે ને મારા બેટા! ભાયડા એ પેલ્લો ભાગ તો પધરાવી જ દીધો ને! ;)

છેલ્લે છેલ્લે

ભારતીયોની માનસિકતાનો સૌથી મોટો ફાયદો રાજકારણીઓ પછી અગર કોઈ લેતાં હોય તો એ આ લોકો છે. આ બધામાં ન પડવું! :)

તા.ક. મારો અનુભવ નથી. ચોખ્ખું અવલોકન સમજવું. :p

- કમલ ભરખડા

ફ્રોડ કર્યું હોય તો પગાર વધારો કેટલો થાય?

ફ્રોડ કર્યું હોય તો પગાર વધારો કેટલો થાય?

આજે સવારે જ મારી બેનને મેં એની કંપનીના બોસને આ અતિ અસામાન્ય પ્રશ્ર્ન પૂછવાનું કીધું!
મારી બેન સિવિલ એન્જિનિયર છે. અંધેરી, મુંબઇમાં એક સિવિલ કોન્ટ્રાક્ટરને ત્યાં છેલ્લાં 5 એક વર્ષથી જોબ કરે છે. મુંબઈની પ્રતિષ્ઠિત ભગુભાઇ કૉલેજમાંથી સિવિલ એન્જીનીયરીંગમાં ડિપ્લોમા પુરૂ કરીને ટ્રેનિંગ દરમ્યાન જ જોબ મળી ગઇ.

હવે પ્રામાણિક પણ કેલ્ક્યુલેટર જેવી મારી બેનને કોણ કંપની છોડે? આજે સવારે સવારે એનો મગજ ઉખળેલો હતો. મેં પરિસ્થતી હાથમાં આવતાં પુછ્યું, શુ થયું? એણે કહ્યુ કે, "યાર ઓલો કંપનીમાં કંઇજ નથી કરતો અને એની સેલેરીમાં 25ટકા વધારો કરી દીધો અને હુ આજે રવિવારે પણ કામ હોય તો જાઉં છે એની સાથે કેમ આવું ? અને એ વ્યક્તિએ કંપની સાથે ફ્રોડ પણ કર્યું છે. અને અમારાં બોસને બધી ખબર છે છતાં?"

પછી મેં એને શાંતિથી સમજાવ્યું કે, "સમાજમાં બે પ્રકારનાં લોકો હોય. એક તો તારા જેવા કેલ્ક્યુલેટર જેને એક વાર પ્રોગ્રામિંગ કરી આપો એટલે મંડ્યા રહે અને બીજો વર્ગ ઓછો છે પણ તેઓ તમામ કેલ્ક્યુલેટરોનાં પ્રોગામર છે.
જે બેઠા બેઠા આજ ધંધો કરે બસ પ્રોગ્રામિંગ! અને કંપનીની દુખતી નસો પણ આવા જ લોકોના હાથમાં હોય છે. એક વાર ભ્રષ્ટાચારનો હાથ પકડો એટ્લે તેનાં ડાઘા અમર થઈ રહે."

પછી મેં એને આગળ કહ્યુ કે, "બસ તું પણ પ્રોગ્રામર બની જા એટલે તારી બધી તકલીફો બિજા કેલ્ક્યુલેટરોને સોંપી દેજે."

પછી તરતજ એણે મને વેધક પ્રશ્ન પૂછ્યો કે,

"કમલ, તું કહે છે એમ પ્રોગ્રામર બનીને તું તારાં જ જમિર વિરૂદ્ધ કામ કરી શકે? મને ખબર છે તું ન જ કરી શકે પણ એ મારા સિનિયરએ કંપની સાથે પણ ફ્રોડ કર્યું છે છતાંય મારા બોસ એને એટલો સપોર્ટ કરે છે અને કમલ કંપનીમાં મારી વેલ્યુ મને ખબર છે. મારા વગર એ લોકોનો એક દિવસ પણ અધુરો છે કારણકે કંપનીમાં કામ પર મારી પકડ છે. જો હું એનાથી ઓછું કામ નથી કરતી તો એ મારા જેટલું પણ કામ નથી કરતો, તો પણ? પ્રોજેક્ટ લેવાં માટે કોઇપણ પ્રકારના કરપ્શન કરવાની જરૂર જ નથી એટલી તો આપણી સિસ્ટમ સુધરી છે. પણ આવાં લોકોની જરૂરિયાત કંપનીને કેમ રહે છે? અને મૉટે ભાગે આવા લોકો પુરુષો જ હોય છે."

મેં પછી કહ્યુ કે, "બેટા, આપણાં સમાજમાં સ્ત્રીઓને બાય ડિફોલ્ટ કેલ્ક્યુલેટર જ ગણી લેવામાં આવે છે અને એ ક્યાં સુધી ચાલશે એ તમારાં પર છે. બસ તને લાગે કે તારી સાથે યોગ્ય નથી થયુ તો લડવાની હિંમત પણ લાવો"
પછી આગળ કહ્યુ કે, તારા બોસને એક વાર શાંતિથી કહેજે કે, "સર, જો કામ સાથે સાથે આપણી કંપનીમાં હું પાર્ટ ટાઈમ ફ્રોડ પણ કરૂં અને એ પણ મારા નિજી ફાયદા માટે તો તમે મારા પગારમાં કેટલા ટકા વધારો કરશો? એ . હશે તો આટલાંમા જ સમજી જશે. "

આટલું કહ્યાં પછી તેનામાં કોણ જાણે એક આત્મવિશ્વાસ વધ્યો અને પ્રોગામર બનીને લડવા તૈયાર થઈ એવું મને લાગ્યું. અને એ લડે એવી શુભેચ્છા.

ખરેખર, આવા નાના નાના મોકા જ આપણે ઉપાડી લેવાં પડશે. હા મને એ વાતનો પણ ખ્યાલ છે કે ધંધાકીય ક્ષેત્રે પ્રામાણિકતાને જો પ્રાથમિકતા આપવામાં આવેતો ભાગ્યે કંપની ચાલે. પોતાનાં પરિવારનું ભરણપોષણ માથે હોવાનાં લીધે ઘણાં ખરાં પ્રામાણિક વ્યક્તિઓ સહન કરી લેતા હોય છે. પણ એનો મતલબ એ નથી કે લાફો મારવાનો મોકો ગુમાવી દેવો! ક્યારેક તો પોલિસી ચેંજ કરવી જ પડશે ને?

જો કાંઈ ન કરી શકિયે તો શબ્દોનો એવો પ્રહાર કરી દેવો જેનાથી સામે વાળાને આપણી મનોદશા ખબર પડી જાય અને એને એનું કૃત્ય. નહીંતર આ પ્રોગ્રામરો પોતાના નિજી ફાયદાઓ માટે દેશના વ્યક્તિ ધનનો ગેર ફાયદો લેતાં રહેશે અને દેશને પરોક્ષ રીતે ક્ષતિ પણ પહોંચાડતાં જ રહેશે. દેશને ભ્રષ્ટાચાર મુકત કરાવવાંનું કાર્ય આપણું જ છે. શરૂઆત આપણે શિક્ષિત વર્ગ જ કરીએ.
જય હિંદ.

કમલ ભરખડા

થઈ જવાય છે!

જવાબ નથી હોતો ત્યારે કવી બની જવાય છે, પરિસ્થતી હાથમાં હોવાં છતાંય કાયર બની જવાય છે.

કરેલા પ્રયત્નોની રાખ જોઈને રોવાઈ જવાય છે. પણ અનુભવોનાં ઢગલા જોઈને પાછાં શાંત થઈ જવાય છે.

તકલીફનાં ડુંગરો જાતે જ ઉભા થાય છે વ્હાલા,

પણ છતાંય,
બધુંય ભૂલીને આગળ નીકળી જવાય છે.

કમલ ભરખડા

When rules effects policies

If a rule drives decisions, it's a policy!

- Boundryless Organization, Sam Falk, MIT, June 2011.

If you think you are going through the bad policies then there's somewhere a defect in the rules according to the proven formats and those rules are mentioned in the Constitution of Nation.

So it's definitely time to change connecting Constitution's parameters for serviceable policies for the people.

Kamal Bharakhda

રાજનીતિનું સ્તર ઉંચુ આવી રહ્યું છે.

ચલો સારૂં છે દેશમાં રાજ્નીતિનું સ્તર ઉંચુ આવી રહ્યું છે. પહેલાં પક્ષો નીચલી કક્ષાની ધર્મની રાજનીતિથી રમતા હતાં પછી દલિત જેવા મુદ્દા પર પરંતુ ધર્મની રાજનીતિ કરતા દલિત મુદ્દો વ્યવહારિક કહેવાય જ્યારે હવે અમીરી-ગરીબી જેવાં ગ્લોબલ સમસ્યા કહી શકાય એવાં મુદ્દા પર ચૂંટણી પ્રચાર શરૂ થયાં છે. ભલે મૂળમાં એ નીતિ પણ સામાજિક ગંદકી જ છે પરંતુ કમસે કમ પહેલી બે નીતિ કરતા તો વ્યવહારિક છે. 

આ ભારતની જનતાને આભારી છે. એમણે રાજનેતાઓનું સ્તર વધારી આપ્યું. ધીમે ધીમે ચૂંટણી શિક્ષણ, રોજગાર અને દેશને ઉન્નતિ તરફ લઇ જતાં કાર્યો પર ચૂંટણી પ્રચાર અને પક્ષ વિરોધ થવો જોઈએ. એ પછી બનશે ભારત ફરી પાછું સોનાનું પક્ષી.

તમામ પક્ષો આપણાં જ છે. બસ આપણાં દેશને પહેલો પક્ષ આપો.

જય હિંદ

કમલ ભરખડા

મમ્મી અને છોકરો

રાહુલ ગાંધી: અરે મમ્મી તમને ઓલું મળ્યું કે નહીં? મેં તમને લગભગ મહિના પેલા ગોતવાનું કીધું તું ?

મમ્મી : શું, મોદી એ કરેલી ભુલની જ વાત કરે છે ને?

રાહુલ : ના રે.... હું તો છોટા ભીમનાં ટેટૂની વાત કરૂં છું?  સાલું ક્યાંક મુકાય ગયાં છે...તમે એક કામ કરોને....એ બધુ મુકીને પહેલા મને ગોતી દો.

મમ્મી : અલ્યા નાલાયક થોડો તો વિચાર કર માઁ નો. આ તારી માઁ આખો આખો દિવસ ને રાત ઓલા વાણિયાની ભુલ ગોતવામાં કાઢે છે ને તને જરીકેય દયા જેવી જાત નથી મરીગ્યો તેમાં?

રાહુલ : હા હવે જાવા દેનેે,  તેં ગોત્યું કે નઈ એ કે મને ?

મમ્મી : (ગુસ્સામાં આંખ બતાવીને) એકવાર કીધું તો ભાન નથી પડતી?

રાહુલ : (એક મહિના પછી બારી એ બેઠા હતાશ મુદ્રામાં) સાલુ આતો મોદી સાહેબની ભૂલો કરતાંય અઘરું નીકળ્યું. ;)

અચાનક ઉભા થઇને રાહુલજી કોઈને ફોન લગાવે છે

રાહુલ : હલો! CID ? જી ACP પ્રદયૂ મન સાથે વાત થશે ?

બસ આગળ તમે બધાં જાણો જ છો શું થયું હશે!

-------

By Kamal Bharakhda

આદર્શવાદીપણું

રાજનીતિમાં આદર્શવાદીપણું હથીયાર હોય છે. સત્તામાં ન હોય એ વધારે વાપરે.

Core #Truth

- કમલ ભરખડા

તા.ક. સામાન્ય જીવનમાં પણ લાગુ પડે છે.

સાચો ધર્મ

મારા ઘરની નીચે જ બસ સ્ટેન્ડ છે અને બસ સ્ટેન્ડની બિલકુલ પાછળ એક કલીનીક છે. ગઈકાલે લગભગ સવારનાં ૧૧ એક વાગ્યે હું ત્યાં બસ સ્ટેન્ડ પર જ હતો. અચાનક એક બેન તેના ફોનમાં જોર જોરથી વાત કરતા હતા અને એવું બોલતા હતા કે, “ મેડમ જલ્દી આઓ મુજે બોહોત દર્દ હો રહા હૈ! “ 

હવે આજુબાજુમાં ૨ કે ૩ કિલોમીટરમાં બીજા કોઈ દવાખાના છે નહીં. એટલે પછી હું એ બેન પાસે ગયો અને પૂછ્યું કે, “ બહેનજી કોઈ દિક્કત હૈ ? “ 

પછી બેને કહ્યું કે, “ અરે યે મેડમ કા દસ બજે કા ટાઇમ હૈ ઔર ગ્યારા બજને કો આએ ફિરભી અભી તક નહીં આએ હૈ, ઔર ફોન કિયા તો બોલે કી મેં આજ નહીં આઉંગી હમારે ઘરમે ગણપતી બિરાજે હૈ! “ 

વાગેલા પર દરરોજ ડ્રેસિંગ કરાવવું પડે એવી કાંઇક ઈજા થઇ હતી એટલે એમને ફરજીયાત એજ ડોક્ટર પાસે કરાવવું પડે એવું કૈંક એ બેન કહેતા હતા. એ એમની બેબી સાથે આવ્યા હતા. એટલે પછી એમને માટે રીક્ષા બોલાવી આપી અને મેં રીક્ષાવાલાને કીધું કે, “જિસ ડોક્ટર કે ઘર પે ગણપતિ ના પધારે હો ઉનકે કલીનીક પર લે જાઓ.” થોડી વાર તો એ રીક્ષાવાળો મને જોતો જ રહ્યો....પણ પછી લાઈટ થઇ એટલે નીકળી ગયો. 

ગજબ છે એક એક સેકન્ડ ટીચર બનીને જીવન શીખવાડ્યા જ કરે છે. 

આ અનુભવથી વ્યક્તિનો સાચો ધર્મ ખબર પડી! એમને માણસની એનેટોમી સાથે સાથે માણસાઈ પણ ભણી લેવાની જરૂર હતી. સારું છે ભારતમાં આવાં દાખલા જુજ જ મળે છે. 

Kindly #Priorities a #Humanity 

- Kamal Bharakhda 





Blind Faith Rituals

I think Blind Faith Rituals, concerned to any religion or to any other domain, are completely Manipulated thoughts and compilation by the people who want to control society according to their belief.

A Person should not follow the rituals too blindly due to Fear. A fear which has been emerging in their subconscious mind due to misunderstandings, misconceptions about rituals and a force that let you being treated as follower on account of uncertain assured threats on denying by not accepting those damn rituals.

What a bullshit!

Why those kinds of people are using court or public systems for Justice and profit, Indeed if they really have a blind faith on something which has ultimate divine power to solve their problems magically??? (to people who believe blindly on Rituals) Then why they are believing in man made systems? Aren't they should hold their passions till magic happens?

Makers of rituals were wise and smart and they have had created those facts to control the situations according to their present circumstances and now those facts are worthless. While some facts and rituals shouldn't deserve to be exist in current era.

Rituals are time driven particles.

Okay, let's guess, you do have importance for some facts and rituals as your belief and conclusions, then I could suggest, just keep it up to you and we all should have mine our own business but Don't let forcing the people to follow it. I do have heard about many cases where people got harmed and even died because they have accepted their rituals blindly instead of proper medical treatment. Oh common !

This is what the difference between the truth and facts.

Truth is truth.

Facts are mostly Manipulated.

A wise person would never takes any facts as truth. If they have doubt about something then they would begin research for evaluation or effectively of the facts and rituals for their hard conclusions. Then they would decide, what to deal with it and what will be best and worst.! But they shouldn't let force up the people for blind followups. No they wouldn't.

Be a researcher and don't take or grant any thoughts as it comes. Research for your existence. Research for those things which are pulling you to a zone of doubts. Do Research for the people and educate them. It's our responsibility. It's an opportunity.

All the best.

Jay hind.

Kamal Bharakhda

Jio is changing the Strategies of their Competitors!

Every time, Ambani Guys gets step into the telecom field, they have had created enormous change for every consumers of Indian telecom sector. It's feeling like Hotel Taj has started a service of 20 Rs. of Cutting Chai in thier campus for all! :)



Initially, They were come up with costless Incoming voice calls for every users, then they have provided mobile phones to every middle class persons which is stated as most populeted community in india as consumer and now finaly, they are come up with idea of Free voice calling services. They have just deleted the words like Roaming, Topup, Full Talk Time Offer etc. etc.

Well let's not discussing here about Jio's Data services and their euphorial claims for now. I think services will evolve soon as we expected!

Woh! Let's say who will win or loosing as competitor in telecom in India, but I must say, there is a clear and chearable WIN for every Indian Telecom Consumers. Now Jio has already created passive effect in their competitors.Everyone (parallel competitors of Jio) will try to do best for their consumers for not to loosing them. They have to otherwise...One Gujarati will definatly snatch their meal from their stomach! lol, Jokes apart.

All the best to the Indian Telecom Sector for next five years. Diwali for every Consumers.

- Kamal Bharakhda

શિક્ષક કે પછી નોકરીયાત

હવે શિક્ષકો કયાં જોવા મળે છે. જે છે એ નોકરિયાત છે. જરૂર છે પ્રામાણિક અને યોગ્ય નિયતિવાન શિક્ષકની કે જે સંપુર્ણ પણે સમર્પિત હોય દેશના ઘડતરમાં. હાલનાં શિક્ષકો જ આવનાર સફળ સમાજ અને ભારતનાં માસ્ટર માઈન્ડ છે. જરુરી છે શિક્ષકોએ સ્વાર્થનાં વર્તુળને દેશ સુધી વધારવાની.

જે દેશ માટે હાલમાં પણ સુશિક્ષિત અને પ્રામાણિક વર્ગ તૈયાર કરી રહ્યાં છે એ તમામ શિક્ષકોને કોટી કોટી પ્રણામ. ચરણ વંદન.

આપણે તમામ શિક્ષકો જ છીએ. દરેકે એ જવાબદારી સાથે લઇને જ ચાલવું રહ્યુ.

#Teacher's day.

Kamal Bharakhda

"સમાજ" અને "વાદ"

સમાજ એટલે એવો ઓટલો કે જે પોતાનાં વજનથી જ તૂટશે! પરંતુ "વાદ"નામનો પત્થર ક્યારેય નહીં તૂટે!

- કમલ ભરખડા.

#Believe in #Humanity and dump rest. 

Angry on Nations Attitude

જયાં દોષીઓને દંડની જગ્યા એ તેનો રાજકીય ફાયદો લેવા ચર્ચાનો વિષય બનાવવામાં આવે અને દેશને ઉન્નતિની તરફ લઇ જતી સુવિધાઓનો તિરસ્કાર કરવામાં આવે ત્યારે સમજી લેવું દેશની પ્રગતિ તરફ ગતિ શૂન્ય થશે અને તેનો જવાબદાર ખુદ રાષ્ટ્ર પોતે બનશે. 

કમલ ભરખડા

#IamAngryOnNationsAttitude

Formula of Great Stories Decoded

પ્રભાવશાળી અને ચોટદાર વાર્તાનો પ્લોટ કઈ રીતે તૈયાર થાય એ વિષય પર મેં થોડું એનાલીસીસ કર્યું છે અને મને વિશ્વાસ છે કે, વાર્તાકારોને જરૂરથી મદદરૂપ થશે. 

અમુક વાર્તાનો પ્લોટ/વિષય સામાન્ય લાગે તો કોઈ અતિ-શક્તિશાળી લાગે. ઘણાં સારા સારા ચલચીત્રૉ અને કથાઓ જોયાં વાંચ્યા અને સાંભળ્યા પછી એક અનુમાન પર આવ્યો કે, કોઈ પણ કથા કે વાર્તાનો મુખ્ય પરિબળ તેનો વિષય છે. કોઈપણ સામાન્ય વાર્તાનો વિષય નીચે જણાવેલ બે માંથી એક પરિબળ પર બને છે. 



૧. શક્ય વિષય ( Plot based on Reality and based on Possibilities ) 
૨. અશક્ય વિષય ( Plot based on Fiction and based on Philosophical Approach )

દર્શક, શ્રોતા અને વાંચનાર વર્ગ વાર્તા સાથે જકડાઈ રહે એ વાર્તાનાં વિષય પર નિર્ભર છે. શકય વિષયો રોચક નથી હોતા અને અશક્ય વિષયો પર ગંભીરતા ઉદ્ભવે તેના ચાન્સીસ ઘણાં ઓછા હોય છે. તો પછી સારી વાર્તા અને પ્રભાવશાળી વાર્તાનાં વિષય / પ્લોટ વચ્ચે ભેદ શો? 

વાર્તાને રોચક બનાવવા વાર્તાકાર ક્યારેક “શક્ય વિષય”ની રેખા ઓળંગીને અશક્ય વિષયનાં વાતાવરણમાં ઘસી પડે છે જે ફક્ત દર્શક, વાંચનાર અને શ્રોતા સમજી શકે છે. એજ રીતે અશક્ય વિષયને રીયાલીટીનો ટચ આપતાં આપતાં પ્લોટ બદલાઈ જાય છે. તો પ્રભાવશાળી વાર્તાની ચાવી બસ અહિયાં જ ક્યાંક છે. 

સારી વાર્તાઓમાં શક્યતાઓ અને અશ્ક્યતાઓને એક સાથે એક જ પ્લોટ પર બેસાડવામાં આવે છે. શક્યતાઓ અને અશક્યતાઓ વચ્ચેની એક પાતળી રેખાનો પ્રભાવ છે. બસ વાર્તાકારે એ પતલી લાઈનને પકડી રાખવાની છે. એક વાર વાર્તાની પ્રસ્તાવનાં મગજમાં બેસે એટલે એ લાઈન પર પ્લોટ તૈયાર કરવો એટલો પણ અઘરો નથી. જેવી લાઈન ચુક્યા કે પ્લોટની ગંભીરતા અને રોમાંચ ગુમાવી બેસતા વાર નથી લાગતી. 

Mahabharat, Rocky, God Father, Forest Gump, Cast Away, The Shawshank Redemption, Casablanca, Jonathan Livingston Seagull, Ramayana, Inception, Interstellar, Aanand, Breaking Bad અને જાણીતી નવલકથાઓ આ ફોર્મુલા ઉપર જ બનેલ છે. ઉપર જણાવેલ તમામ મહાન રચનાઓ અને પ્લોટનું પરફેક્ટ એનાલીસીસ કરવામાં આવે તો ખ્યાલ આવે કે અશક્ય પ્લોટને અનુભવ અને શક્યતાઓના પાત્રમાં સારી રીતે પીરસાયું છે જેનાં પ્રતાપે એ ચલચિત્રો અને રચનાઓ દર્શકો, શ્રોતાઓ અને વાંચનારનાં માનસ પટ પર અમર થઇ ગઈ છે. 

ધન્યવાદ. 

કમલ ભરખડા.

અંધવિશ્વાસ V/S માણસાઈ

અમારાં બિલ્ડીંગની લિફ્ટ દસ એક દિવસથી બંધ છે અને આજે જ રીપેર કરીને ચાલુ કરાઈ છે. પરંતુ લિફ્ટનું સ્ટેટ્સ હજી પણ બંધ જ બતાવે છે.

અમે છઠ્ઠા માળે રહીએ છીએ. મારી બેનને પગમાં ગોઠણ પાસે ઇજા થઈ છે એટ્લે તેને રોજ છ માળ  સુધી ચડવું પડે છે અને આખા દીવસમાં આવેલી ઇજાની રિકવરી પર પાણી ફરી વળે છે.

આજે લિફ્ટ બરાબર રીપેર થઈ પણ બંધ રહેલી જોતાં મેં વોચમેનને પુછ્યું, "ભાઈ આ લિફ્ટ હવે તો ચાલુ કરો, બહેન કોં પેરમે તકલીફ હો રહી હૈ", પછી એનાં જવાબે મને યક્ષ સામે ઊભેલા પાંડવ જેવો કરી નાખ્યો!

"  સાબ લોક ને બોલા હૈ કિ લિફ્ટ કલ સુબે સે ચાલુ કરના, આજ અમાવસ હૈ નાં ઇસિલિયે. "

મેં પછી વધારે દલીલ ન કરી.

કમલ.

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો