આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
જીવનનાં સૌથી સુખદ ક્ષણો માંથી એકની વાત કરું.

ઉના ક્રાંતિ!
" ઉના ક્રાંતિ પતશે હવે એટલે આગળનો એજન્ડા શું છે? "
આવુ પૂછતાં જ શ્રીમાન પ્ર.કી. એ ફોન રાખી દીધો.
#doProtest its our Rights but please don't harm #society
Kamal Bharakhda

ઇશ્વર
ઈશ્વરને હંમેશા થર્ડ પાર્ટી માનવું જરૂરી નથી. ઈશ્વરીય તત્વ કોઈ બાહ્ય કે આંતરિક ફોર્સ તો બિલકુલ નથી. એક પ્રકારનાં સ્ટેટ ઓફ માઈન્ડને ઈશ્વરીય અનુભૂતિ કહી શકાય છે.
દરેક વ્યક્તિ ને ખ્યાલ છે neurones એટલે કે ચેતના કોષો જેવું આપણા શરીરમાં કઇંક કાર્યરત છે. આપણી તમામ કાર્ય કુશાળતાઓ એ ચેતના કોષોને આભારી છે. જ્યાં સુધી વૈજ્ઞાનિકો એ એને જોઈ શકે એવી પ્રણાલી ન વિકસાવી ત્યાં સુધી એમને પણ વિશ્વાસ ન હતો.
એવી જ રીતે ક્રિએટીવીટી એટલે રચનાત્મકતા એ વ્યક્તિ દ્વારા લેવાયેલ સૂક્ષ્મ સંકલ્પ છે જે તેના ચેતના કોષો કે મગજના એ ભાગને એ રીતે એક્ટિવેટ કરે છે કે જેનાથી મગજ નો એ ક્રિએટિવ ભાગ કે જેને આપણે ઈશ્વરીય તત્વ જણાવ્યું છે એ કામે લાગી જાય છે.
દરેક ને ખ્યાલ છે કે રચનાત્મક થવા માટે માહોલની જરૂરિયાત પડે છે. પરંતુ એ એટલા માટે કે દરેક વખતે મગજનાં એ ભાગને એક્ટિવેટ કરવા માટે એ મહોલનાં કીક ની જરૂર પડે છે. હવે અમુક લોકો કુદરતી રીતે હર હંમેશ એજ સ્ટેટ ઓફ માઈન્ડમાં જીવતા હોય છે. પછી આગળ જતા એ લૌકિક માહોલ એમના માટે જરૂરી નથી રહેતો.
એટલે જ એ સ્ટેટ ઓફ માઈન્ડ એટલું બધું વિશાળ અને રસથી ભરપૂર છે કે તેના અનુભવીને એ એક પ્રકારનો અનેરો પ્રગાઢ આનંદ અપાવી જાય છે જે આ લૌકિક જીવનનાં સાધનો નથી અપાવી શકતાં. એટલે જ વ્યક્તિ તેને એક ઈશ્વરીય અનુભૂતિ તરીકે ઓળખાવે છે.
એટલે જ તો એ આનંદનો રસ માણતા જ રહે એટલે એક વ્યક્તિ સાધુ કે સંત બનવાની તરફ પ્રયાણ કરે છે અને એ રસનાં સતત પાનને લીધે તેના બાહ્ય વ્યક્તિત્વમાં એટલો ફેર નજર પડે છે કે જે તેમને બીજા સામાન્ય વ્યક્તિવાદથી અલગ તારે છે.
ઈશ્વર એ એક સુગંધ છે. જેમ દરેક વખતે સારી સુગંધથી આપણે ફૂલને ઓળખી લઈએ છીએ એ જ રીતે લોકો એ અલગ પ્રકારની અનુભૂતિને એક સુગંધ રૂપી ગણી ભગવાન કે ઈશ્વર જેવું સંબોધન આપી બેસે છે.
ૐ તત્ત સત
- કમલ

દેશનાં ખરા આતંકવાદી કોણ ?
દેશમાં જ રહેતા દેશ વિરોધી એવાં બૌદ્ધિક અને વૈચારિક આતંકવાદીઓ કરતા IS અને બીજા અમુક સંગઠનોનો દેખીતો આતંકવાદ ઘણો સારો.
- કમલ ભરખડા

ગુજરાતમાં દલિત મુદ્દે
૮. ગૌ-રક્ષા, જંગલ અને અન્ય પ્રાણીઓને લઇને જે જે અમાનવીય પ્રવુત્તિઓ ચાલે છે એમની વિગતવાર તપાસ કરાવો. પરંતુ આ સંદર્ભે દલિત જેવા મુદ્દાને સામે લાવવાની જરૂર જરાય નથી.

જય મહારાષ્ટ્ર !
બસ કનડકટર: (નજીક આવીને) કહાં કાનપુર (યુપી) જાઓગે ?

લેટ ધ જેલમ સ્માઈલ અગેઇન - કર્નલ અનીલ અથાલે
આ બધામાં અંતે સૌથી મોટુ અને એકલું નુકશાન ફક્ત કાશ્મીરની જનતાને જ છે. ફાયદાઓ કોઈ પણ પક્ષે નથી એ દેખાઈ આવે છે. પોતાના જ દાઝેલાનો અહમ સંતોષવા પાકિસ્તાન સતત ધર્મની રાજનીતિ ચલાવીને ભારતીય કશીમીરીજનતાના સ્વાભિમાનનો ઉપયોગ કરી રહ્યું છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વલણો સાબિત કરે છે કે, શાંતિ જેવા મુદ્દાઓ ફક્ત એમના માટે શિયાળામાં કેરીના પાક જેવી વાત છે.
કાશ્મીરના મુદ્દે જયારે કોઈપણ વિચારવાદી વ્યક્તિઓ સાથે ચર્ચા થાય છે ત્યારે મુદ્દો ફક્ત કાશ્મીરીઓની પ્રાથમિક જરૂરિયાતો પર આવીને અટકી પડે છે. કોઈપણ પરિસ્થતિમાં એક વાર ખરાબ થયેલી છાપ સુધારવામાં કોઈપણ સિસ્ટમને ઘણો ટાઇમ નીકળી જાય છે જયારે કાશ્મીરની જનતા હાલમાં કરેલા કોઈપણ પ્રત્યાઘાતો એ છાપને વધુ મજબુત કરે છે. આર્મી ફક્ત એક મશીનરી છે જેનું કાર્ય અવલોકન કરી પરિસ્થતિઓ પર કાબુ લાવવાનું છે. મોટા ભાગે થયેલા અવલોકનોમાં આર્મી સાચી સાબિત થઇ છે.
હવે વાત કરીએ એ નિર્દોષ કાશ્મીરી જનતાની કે જેમનો ખરેખર ઉદ્દેશ કાશ્મીરમાં રહીને કાશ્મીરની જ જળ જમીનો ઉપયોગ કરી પોતાનું જીવન હંકારવાથી જ નિસ્બત છે. એ તમામ લોકો આ બધાની વચ્ચે પીસાય રહ્યા છે. પોતાની જીવન જરૂરિયાતો પોતાના જ પ્રદેશમાંથી મળી ન શકે એટલે ઘરનો વ્યક્તિ અવળા કાર્યોમાં હાથ ડુબાડે એ કાળી વાસ્વિકતા છે.
આર્મીનો જે પ્રવાહ કાશ્મીરમાં છે એ કાશ્મીરની જનતાને જ આભારી છે. જનતાનો વિરોધ અને પ્રત્યાઘાતો ફક્ત કાશ્મીરમાં જ થાય છે એ ઈતિહાસ નથી. પાકિસ્તાન પોતાના વાગેલાને મટાડવા પોતાનો ઈલાજ કરવાની જગ્યા એ ભારતને પણ કાશ્મીર મુદ્દે ઘા આપવા માંગે છે. આ પાકિસ્તાનની એક નબળી અને ગાંડી રાજનીતિ છે અને પાકિસ્તાન આ માટે ભારતીય કાશ્મીરની જનતાનો ઉપયોગ કરી રહી છે.
પરંતુ આ સિલસિલો ચાલુ જ રહેશે એ નક્કી છે અને એ દેખાઈ પણ આવે છે. (અને એ પણ પાકિસ્તાના કહેવા પ્રમાણે ૧૦૦૦૦ હજાર વર્ષો સુધી!) આપણી ભારતીય સરકાર આમ બેઠા બેઠા કંઈ નથી કરી શકવાની. જરૂર છે ભારતીય કાશ્મીરી જનતાને ભારતનાં બીજા રાજ્યો સાથે સિંક્રોનાઈઝ (Synchronize) થવામાં મદદ કરવાની.
ભારત સરકારે એ ખાસ પ્રકારની પોલીસી ઉભી કરવાની જરૂર છે જેમાં જે પરિવારો ભારતના બીજા રાજ્યોમાં સ્થળાંતર કરે છે એમને દરેક ક્ષેત્રે સહાય મળશે. પરંતુ એ પોલીસી કાશ્મીરમાં દાખલ કરવાથી દેશને સદંતર નુકશાન છે. એટલે જ તો અત્યાર સુધીની તમામ સરકાર કાશ્મીર મુદ્દે નિષ્ફળ રહી છે.
ભારતમાં જો ખરેખર કોઈપણ સરકારને કે પાર્ટીને કાશ્મીર મુદ્દો વ્યવહારિક રીતે સુધારવો જ છે તો બસ આ જ એક માર્ગ બચ્યો છે.
૧. કાયમી ધોરણે સ્થળાંતર કરતા પરિવારને તે જે તે રાજ્યની તમામ સુવિધાઓ મળવી જોઈએ અને એ પણ તાત્કાલિક ધોરણે.
૨. પોતાનો ધંધો ચાલુ કરી શકે એ બદલ અમુક ૧૦૦% સબસીડી વાળી લોન આપવી પડે.
૩. નોકરી કરવા માંગતા યુવાનો ને જે તે રાજ્ય સરકારે લગતા વળગતા વિભાગોમાં નોકરીની સહુલીયાતો ઉભી કરવી રહી.
૪. જે તે રાજ્યમાં એમના સમાજમાં સહેલાઈથી ભળી શકે એવું વાતાવરણ ઉભું કરવું રહ્યું. આ કઇ પહેલી વખતનું નથી. ભારતે એ પહેલા પણ કર્યું છે. ભાગલા પછી તમામ પાકિસ્તાનમાં રહેતા હાલના ભારતીયો ખુબ જ સરળતાથી ભળી શક્યા છે.
બસ આ જ ઉપાય રહ્યો છે.

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો
-
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અન...
-
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી ...
-
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ ...
-
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર...
-
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અન...
-
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે...
-
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભ...
-
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવા...
-
દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો ...
-
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન...