સ્પષ્ટ નીતિજ પરિણામકારક છે.

કોઈ પણ પ્રકારનાં મુદ્દાઓ પરની ચળવળો, એ પછી ભારતની આઝાદી બાબતે ગાંધીજીની અહિંસક નીતિઓથી ગૂંથાયેલી ચળવળ કે પછી અમેરિકા અને જાપાનનો એકબીજાને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન હિંસક જવાબ.
ઉપર જણાવેલ બંને મુદ્દામાં લડનારનાં ખાતામાં સારું કે ખરાબ પણ મહત્વનું એ છે કે પરિણામ આવ્યું. બીજો મુદ્દો પણ ધ્યાનમાં લેવા જેવો છે કે એ ઘટનાઓની પાછળ એક સ્પષ્ટ નીતિ ને પકડી રાખી કાર્ય પાર પડ્યું હતું. એ પછી અમેરિકા અને જાપાને ભલે હિંસાનો સાથ લીધો અને ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતાએ અહિંસક ચળવળનો. પરંતુ કાર્યપદ્ધતિ સંતુલિત અને સપષ્ટ નીતિથી છલોછલ ભરેલી હતી. અરવિંદકેજરીવાલએ પણ અન્નાજી સાથે મળીને અહિંસક ચળવળો કરી અને એક જ નીતિથી ચાલવું છે એ બાબતે કેજરીવાલ અને એમનાસાથીદારો સ્પષ્ટ હતા એટલે જ AAPનું સર્જન શક્ય બન્યું.
પરંતુ આ વખતે પાટીદાર અનામત આંદોલન એ "મિશ્ર નીતિ" નો ભોગ બની રહ્યું છે. સવારમાં અહિંસક ચળવળ અને રાત્રે તોફાની પ્રવુત્તિઓ. આવી રીતે કોઈપણ સરકાર એમના પ્રશ્નોને ગંભીરતાથી લે એ બાબતો સ્પષ્ટ નથી. પોલીસ વિભાગ પોતાની નીતિઓથી સ્પષ્ટ છે. એમેણે જે સમયે જે કરવાનું છે એ એમેણે ગાંધીજીના સમયમાં પણ કર્યું હતું અને આજે પણ કરશે. એટલે એમેને વચ્ચે લાવીને મુદ્દાને ભટકાવવાની જરૂર નથી. પરંતુ મુદ્દો એ છે સરકાર પાસેથી પોતાની યોગ્ય માંગ ને એક જ નીતિથી જકડી રાખવાની જરૂર છે. આમ આવી રીતે હાલતા ચાલતા રાષ્ટ્રનાં માલમત્તાને નુકશાન પહોચાડી કોઈ પરિણામ આવે એની શક્યતાઓ દિવસે અને દિવસે ખુબજ અલ્પ થતી જાય છે. સમય જતા સરકારને ચળવળ વિરોધી મુદ્દાઓ મળશે ત્યાર પછી એનો ભોગ આંદોલન કારીઓએ જ બનવું રહ્યું.
મારી એક જ અપીલ છે પાટીદાર અનામત આંદોલન કારીઓને કે પછી કોઈ પણ ભવિષ્યની ચળવળોને કે, મિશ્રનીતિનાં ઉપયોગથી બિનજરૂરી સમસ્યાઓમાં વધારો થશે. એક જ સ્પષ્ટ નીતિ ને લઈને સ્પષ્ટ એઝંડા તૈયાર કરવામાં આવે તો નજીકના ભવિષ્યમાં જ આંદોલનની માંગો પ્રત્યેની સરકારની ગંભીરતામાં પણ ફરક પડવો રહ્યો.
- કમલ ભરખડા

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ